SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધર્મતીર્થનો મહિમા અવકાશ નથી. પુણ્ય પણ કર્મ છે અને કર્મમાત્ર આત્મા માટે અંતે તો બંધન છે. જ્યાં સુધી બંધન હોય ત્યાં સુધી પૂર્ણ મુક્તિ થાય નહીં. આ વાસ્તવિકતા હોવાથી પૂર્ણ ઐશ્વર્યયુક્ત સિદ્ધપદ એવું છે કે ત્યાં પુણ્યની અપેક્ષા જ નથી. પુણ્યકર્મના વિપાકથી અરિહંતો જગત ઉપકારની જેવી પ્રવૃત્તિ કરે છે તેવી પ્રવૃત્તિ સિદ્ધોના જીવનમાં નથી. અરિહંતોના જીવનમાં જગદુદ્ધારની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ છે, તે કરવા પુણ્યની ઉત્કટ માત્રા જોઈએ; તે પુણ્ય અરિહંતો પાસે જ છે, સિદ્ધો પાસે નથી. છતાં સિદ્ધોના ઐશ્વર્યને અરિહંતોના ઐશ્વર્ય કરતાં ન્યૂન inferior આપણે માનતા નથી. જૈન ધર્મમાં ઈશ્વર એટલે એકલું અરિહંતપદ કે એકલું સિદ્ધપદ નથી, અરિહંત અને સિદ્ધ બંનેને આપણે ઈશ્વર કહીએ છીએ. ‘નમો અરિહંતાણં’થી ભૂત, ભવિષ્ય અને વર્તમાનના અનંતા અરિહંતોને નમસ્કાર કરીએ છીએ, તેમ ‘નમો સિદ્ધાણં’થી પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના અનંતા સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. તેમાં કાળ, ક્ષેત્ર કે વ્યક્તિની કોઈ મર્યાદા નથી. ગુણમય સ્વરૂપથી બંનેને નમસ્કાર છે અને તે એક વ્યક્તિ નહીં પણ અનંત વ્યક્તિસ્વરૂપ છે તે અભિવ્યક્ત કરવા બહુવચન મૂક્યું છે. આપણે ‘નમો અરિહંતં” નથી બોલતા, પણ ‘નમો અરિહંતાણં” બોલીએ છીએ. અનેક પરમેશ્વરની ઉપસ્થિતિ રાખવા માટે બહુવચન મૂક્યું છે. જૈનદર્શન વ્યક્તિની અપેક્ષાએ એકેશ્વરવાદમાં (ઈશ્વર એક જ છે તેવું) માનતું નથી, પણ ગુણમય સ્વરૂપ અપેક્ષાએ એકેશ્વરવાદમાં અવશ્ય માને છે. વ્યક્તિરૂપે આપણે એક ઈશ્વરમાં નહીં પણ અનેક ઈશ્વરમાં માનીએ છીએ. આજ સુધીમાં કેટલા તીર્થંકરો થયા અને ભવિષ્યમાં કેટલા થશે ? તો જૈનશાસ્ત્ર કહેશે કે ગણ્યા ગણાય નહીં. અરિહંતો અનંતા થયા અને અનંતા થશે, તેમ સિદ્ધો પણ અનંતા થયા અને અનંતા થશે. બંને સંખ્યાથી અનંતા છે, પણ સિદ્ધોનો આંકડો અનંત સંખ્યામાં મોટો રહેશે; કારણ કે બધા અનંત પણ સરખા નથી. જૈન ગણિતમાં અનંતનું ગણિત બતાવ્યું છે, તે ભણ્યા હોય તેને ખબર પડે કે જૈનશાસ્ત્રોમાં અનંતના અનંતા ભેદ કર્યા છે. અનંત એક નથી, તેના પણ અગણિત પ્રકાર છે અર્થાત્ અરિહંતો જેટલા થયા તેનો આંકડો પણ અનંત છે, સિદ્ધો જેટલા થયા તેનો આંકડો પણ અનંત છે, પણ બંનેમાં તફાવત છે, સંખ્યા સમાન નથી. છતાં જેટલા અરિહંતો થયા છે તે આ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાના પ્રભાવે થયા છે. આ જગતમાં તમામ અરિહંતો અને સિદ્ધો આ ધર્મતીર્થની જ ફલશ્રુતિ છે. તેની ઉપાસના દ્વારા જ આજ દિવસ સુધીમાં અગણિત આત્માઓ અરિહંતપદ અને સિદ્ધપદને પામ્યા છે. આ ધર્મતીર્થની ઉપાસનાનું ઉત્કૃષ્ટ ફળ કહ્યું. ધર્મતીર્થની ઉપાસનાનું મધ્યમ ફળ અને આનુષંગિક ફળ : હવે મધ્યમ ફળમાં ગણધ૨૫૬, કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, શ્રુતકેવલી, ઋદ્ધિસંપન્ન १ सर्वमेव सुखं सर्वसुखं दुःखलेशाकलङ्कितं मुक्तिसुखम् तस्य मूलमाद्यं प्रथमं बीजमर्हच्छासनम् । अथवा वैषयिकाणां सुखानां मुक्तिसुखस्य च सर्वेषां सुखानां मूलबीजं जिनशासनम् । सर्वे च तेऽर्थाश्च सर्वार्थाः पञ्चास्तिकायाः ससमयाः सर्वेषु सर्वार्थेषु यो विनिश्चयः परिच्छेदः । एवं संसारस्थितिघटना मुक्तिमार्गश्चेति तं प्रकाशर्यात प्रतिपादयति जैनमेव शासनम्। सर्व Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy