________________
ધર્મતીર્થનો મહિમા
સભા તીર્થકરો અતીર્થસિદ્ધ છે ? સાહેબજી : ચોક્કસ. તીર્થકરો તીર્થસિદ્ધ નથી.
તીર્થકરોનો સર્વત્ર ઉચિત વ્યવહાર :
સભા તીર્થકરો પણ આગલા તીર્થની આરાધના તો કરે છે ને ?
સાહેબજી : અહીં આગલા ભવમાં બોલો, આ ભવમાં નહીં. આગલા ભવમાં કોઈ ને કોઈ તીર્થના અવલંબનથી સાધના કરી છે. માટે તીર્થકર તીર્થકર બન્યા તેમાં પણ કારણ કોઈ ને કોઈ તીર્થ છે, પણ અંતિમ ભવમાં તો એવા મહાન સાધક છે કે તેમને તરવા માટે કોઈ ધર્મતીર્થની જરૂર નથી. તમે લોકો તીર્થકર પરમાત્માઓનાં ચરિત્રો વાંચો છો, તો પણ તમને ખબર નથી કે તીર્થંકરો વર્ષો સુધી ગૃહસ્થજીવનમાં રહે, પણ કદી “નમો અરિહંતાણ” શબ્દ પૂજ્યબુદ્ધિથી બોલતા નથી. માત્ર દીક્ષા લેતી વખતે “નમો સિદ્ધાણં” બોલે છે. નવકારના દ્વિતીય પદને છોડીને “નમો અરિહંતાણ”, “નમો આયરિયાણ” વગેરે પદોને જપતા નથી, જિનપ્રતિમા વગેરેની ભક્તિ પણ કરતા નથી. તીર્થંકર પરમાત્માઓ જીવનમાં ધર્મોપકારી બુદ્ધિથી પ્રત્યક્ષ કોઈને પણ નમતા નથી. આ તેમનો ગૃહસ્થાવાસનો ઉચિત વ્યવહાર છે.
સભા : મા-બાપને પગે લાગે ને ?
સાહેબજી: તે તો સામાજિક ઉચિત કર્તવ્ય છે, ત્યાં ધર્મોપકારી પૂજ્યતા નથી. તીર્થકરો સામાજિક ઉચિત કર્તવ્યો અવશ્ય પાળે પણ તેમના જીવનમાં તેમને આત્મકલ્યાણ માટે અરિહંત, આચાર્યપદની ભક્તિની પણ જરૂર નથી, જિનપ્રતિમા વગેરે આલંબનની પણ જરૂર નથી, કોઈ સગુરુ-શાસ્ત્રાભ્યાસની પણ જરૂર નથી. ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર પ્રભુ સુધી ચોવીસ તીર્થંકરો થયા, પણ એક પણ તીર્થંકર પરમાત્મા માટે એવો દાખલો ન મળે કે તેમણે પોતાના જીવનમાં કોઈને ગુરુ તરીકે સ્થાપ્યા હોય કે શાસ્ત્રનું એક પાનું પણ હાથમાં લઈને વાંચ્યું હોય કે કોઈ પાસે ધર્મનું માર્ગદર્શન લેવા ગયા હોય.
સાધકદશામાં પણ તીર્થકરોનું લોકોત્તર વ્યક્તિત્વ :
સભા : પાર્શ્વનાથ ભગવાનના કેવલી વિચરતા હોય તો વર્ધમાનકુમાર દર્શન કરવા ન જાય ?
સાહેબજી : ન જાય. તીર્થકરો કોઈને ગુરુ કરતા નથી કે સાધના કરવા કોઈનું શરણું સ્વીકારતા નથી. કોઈનું અવલંબન લઈને તેઓ તરતા નથી, સ્વબળે સાધના કરી મોક્ષ સુધી પહોંચે છે. તેથી આ ભવમાં પોતાને તરવા ધર્મતીર્થની તેમને હરગીઝ જરૂર નથી. તીર્થકરોનું જન્મથી જ અલૌકિક વ્યક્તિત્વ છે. હા, છે સાધક, જન્મે ત્યારે પૂર્ણ પરમેશ્વર નથી, પરંતુ સાધક હોવા છતાં તેમની સાધકદશા સામાન્ય નથી. આમજનતાના કોઈ સાધક સાથે સરખાવી શકાય નહીં, એ કક્ષાના આ સાધક છે. તેઓ જે ભૂમિકામાં હોય તે ભૂમિકામાં ઉત્કૃષ્ટ હોય છે. કદી “નમો અરિહંતાણ” બોલતા નથી, કોઈને ધર્મબુદ્ધિથી પ્રત્યક્ષ નમસ્કાર કરતા નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org