________________
૧૦
પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો” એવો લોકાંતિકદેવોનો વિનંતિસ્વરૂપ શાશ્વત આચાર :
સારાંશ એ છે કે તીર્થંકરો ધર્મતીર્થની સહાય વગર અંતિમ ભવમાં સ્વબળે મોક્ષે જનાર છે, તેથી તીર્થંકરો પોતાના આત્મકલ્યાણ અર્થે, પોતાના ઉપકાર માટે કે પોતાને તરવાના સાધન તરીકે ધર્મતીર્થની સ્થાપના કરતા નથી; પરંતુ આપણા સૌના કલ્યાણ માટે, આપણા પર ઉપકાર કરવા તીર્થંકરોએ ધર્મતીર્થ પ્રવર્તાવ્યું છે.
ધર્મતીર્થનો મહિમા
એટલે જ તો જ્યારે ભગવાનનો દીક્ષાનો સમય થાય છે ત્યારે,નવ લોકાંતિકદેવો દેવલોકમાંથી પોતાના શાશ્વત આચાર પ્રમાણે ભગવાનને વિનંતી કરવા આવે છે ત્યારે કહે છે, “લાયક વિ જીવો પરમપદ પામી શકે, સ્વકલ્યાણ કરી શકે, તે માટે આપ દીક્ષા ગ્રહણ કરી, સાધના દ્વારા કર્મક્ષય કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીઘ્રતાથી સર્વજીવહિતકારી ધર્મતીર્થ પ્રવર્તાવો.” તેનો અર્થ એ છે કે ભગવાનને પોતાના કલ્યાણ માટે શાસન કે તીર્થની જરૂ૨ નથી, અંતિમ ભવમાં સ્વબળથી તેઓ સંસાર તરી શકે તેમ છે; પણ જગતના જીવોને તા૨વા માટે, તેમનો ઉદ્ધા૨ ક૨વા માટે આ ધર્મતીર્થની જરૂર છે, એટલે પરોપકારની પ્રવૃત્તિ તરીકે તીર્થ પ્રવર્તાવે છે. તેમના જીવનનું આ સર્વોત્કૃષ્ટ કર્તવ્ય છે અને છતાં તે કરતી વખતે તીર્થંકરોનું માનસ સંપૂર્ણ નિર્લેપ છે.
સંપૂર્ણ નિર્લેપભાવથી તીર્થંકરો દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન ઃ
દુનિયાના બીજા ધર્મો જેને ઈશ્વર તરીકે માને છે, તે ઈશ્વરના જીવનમાં ઈશ્વરપદને ખામી પહોંચે તેવી પ્રવૃત્તિ હોય છે; કેમ સારી પણ પ્રવૃત્તિ કરતી વખતે તેમાં લેપાઈ જાય છે, જ્યારે આપણા તીર્થંકરો
નિર્લેપભાવે કરે છે.
સભા ઃ બીજા ઈશ્વર લેપાઈ જાય છે તે કેવી રીતે ?
સાહેબજી ઃ તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મતીર્થ ઝાંખું પડે અને ધર્મની જગતમાં અવનતિ થાય, તે વખતે ધર્મની ઉન્નતિ ક૨વા ઈશ્વર સદેહે અવતાર લે. તેનો અર્થ એ જ કે પોતે સ્થાપેલું ધર્મતીર્થ દુનિયામાં ઝળહળતું રહે તેની ચિંતા ઈશ્વર કરે છે.
સભા ઃ લોકકલ્યાણની કામનાથી ચિંતા કરે તો ?
સાહેબજી ઃ કામનામાત્ર વિકાર છે. જૈન દર્શનમાં શુભ કામનાને પણ વિકાર કહ્યો છે. સંપૂર્ણ નિર્વિકારી તત્ત્વ કે પૂર્ણ શુદ્ધતત્ત્વમાં કામનારૂપ વિકારનો અંશ કે પડછાયો પણ ન હોય. શાસ્ત્રમાં લખ્યું કે “કૃતકૃત્ય
૨
१ जय जय नन्दा ! जय जय भद्दा ! भद्दं ते जय जय खत्तिय वर-वसहा ! बुज्झाहि भगवं ! लोगणाहा ! सयलजगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं हिअसुहनिस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सइ त्ति कट्टु जयजयसद्दं पउंजंति ।।
(લ્પસૂત્ર॰ સૂત્ર-૧૨ )
* નાવ રિસ-મળ-રામં તાવ તોનંતિયા સુરા । ધુળિયું મતિ ‘ખા-નીવ-હિયયં તિસ્થં પર્વાટ્ટી’।।રૂ૨રૂ ।। (महानिशीथसूत्र गीयत्थ-विहार नामनुं छटुं अध्ययन )
२ कृतकृत्यस्य प्रयोजनोद्देशाभावादप्रेक्षितकार्यचेष्टानाप्तत्वात् परानुग्रहप्रवृत्तिरेव तर्हि न स्यादिति चेत्, न, तीर्थकृन्नामकर्मानुभावाज्जगद्धितकारित्वशैल्युपपत्तेः, अनपेक्षितप्रयोजनभास्करप्रकाशनादिवदित्याह-“तीर्थप्रवर्तनफलं ” (९) इत्यादि । । अथवा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org