________________
૩૩૫
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સમૂહને પણ શ્રીસંઘ કહેવા શાસ્ત્રો તૈયાર છે. આવો આજ્ઞાસાપેક્ષ સમૂહ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં હશે ત્યાં સુધી જ તીર્થ ટકવાનું. અત્યારે કોઈ કહે કે જિનાજ્ઞાસાપેક્ષ કોઈ જ નથી તો તે વિદ્યમાન તીર્થનો અપલાપ કરનાર છે, મહાપાપનો ભાગીદાર છે; કેમ કે વર્તમાનમાં પણ જિનાજ્ઞાસાપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે જ. સંખ્યામાં કેટલા, આચાર પાલન કઈ કક્ષાનું અને જાહેરમાં લોકમાન્યતારૂપે તેમનું પુણ્ય કેટલું તેની ચર્ચા નથી, પણ છે ખરા. 'પાંચમા આરાના અંત સુધી અવશ્ય આજ્ઞાસાપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા રહેશે, છેલ્લે સંખ્યામાં એક એક પણ રહેશે. ત્યાં સુધી સંઘરૂપ તીર્થ જયવંતુ રહેશે. જ્યારે તેમનો વિચ્છેદ થશે ત્યારે સંઘરૂપ તીર્થ પણ નાશ પામશે.
સભાઃ ચારમાંથી એક-બે હોય તો ?
સાહેબજી : અરે એમ પણ કહ્યું કે અપેક્ષાએ એકમાં ચારનો આરોપ કરી શકાય; કારણ કે ગુણનો સંઘાત છે. તેથી એકલો સાધુ, એકલી સાધ્વી, એકલો શ્રાવક કે એકલી શ્રાવિકાને પણ અપેક્ષાએ શ્રીસંઘ કહ્યો છે. માત્ર આજ્ઞાસાપેક્ષ હોવાની શરત અનિવાર્ય છે, તેમાં કોઈ બાંધછોડ નથી. સંઘના સભ્ય તરીકેની આ જઘન્ય લાયકાત છે.
તીર્થંકરસ્થાપિત શ્રીસંઘરૂપ મહાન સંસ્થામાં સભ્યરૂપે પ્રવેશ મેળવનારમાં સૌ પ્રથમ જિનાજ્ઞા સ્વીકારવાની તૈયારી તો જોઈએ જ. ભગવાન જે કહે છે તે જ સાચું છે, પ્રભુ જેને ખોટું કહે છે તે નિચે ખોટું જ છે. તમને મનમાં થવું જોઈએ કે હું જેમને રોજ નમું છું, જેમના ચરણોમાં ભક્તિથી આળોટું છું, તેમની કહેલી વાત મને સત્ય તરીકે તો ચોક્કસ મંજૂર જ છે, શ્રદ્ધાથી સ્વીકારવા તૈયાર જ છું. બાકી સંપૂર્ણ પાલન તો પૂ. આનંદઘનજી મહારાજ જેવા પણ કહે છે કે “ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા” જિનાજ્ઞાપાલન સરળ નથી, અને સંપૂર્ણ પાલન તો વિરલા જ કરે. અરે ! ઘણી આજ્ઞાનું પાલન કરનારના જીવનમાં પણ કોઈ કોઈ આજ્ઞાપાલન અંગે ત્રુટિ સંભવિત છે. માટે સંપૂર્ણ આજ્ઞાપાલન કરે તે જ સંઘમાં, તેવો આગ્રહ ના રખાય. પણ આજ્ઞા ન પાળનારને પણ પૂછીએ કે તું આજ્ઞા પાળવા જેવી હૃદયથી માને છે કે નહીં ? જો ના, તો સંઘનું સભ્યપદ રદ સમજવું.
સભા ૯૯ આજ્ઞા માને પણ ૧ જિનાજ્ઞા ન માને તો ચાલે ?
સાહેબજી : ૯૯ આજ્ઞા માનનાર પણ ૧ આજ્ઞા ન માને તો બહાર કાઢી મૂકીએ. જમાલિ પ્રભુ મહાવીરના અન્ય સર્વ સિદ્ધાંતોને માનતા હતા, આચાર પણ શ્રેષ્ઠ રીતે પાળતા હતા, પણ મહાવીરના એક સિદ્ધાંતને સમજવા છતાં નકાર્યો તો કાઢી મૂક્યા ને ? માન્યતાના ધોરણમાં શરત સંપૂર્ણની છે. શ્રીસંઘની આ
१ दुष्प्रसह-यक्षिणी-नागिलाख्यव्रति-व्रतिनी-श्रावकवदपश्चिमा सत्यश्रीः। (योगशास्त्र प्रकाश ३, श्लोक ११९ टीका) २ इक्को वि नीईवाई अवलंबतो विसुद्धववहारं । सो होइ भावसंघो जिणाण आणं अलंघतो।।२९१।। तित्थं चाउव्वण्णो संघो संघो वि इक्कगो पक्खो। चाउव्वण्णो वि संघो सायरिओ भण्णए तित्थं ।।२९२।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org