SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ તીર્થકર અનંતર શ્રીસંઘ : શ્રીસંઘને તીર્થકર અનંતર કહ્યો, એટલે તીર્થંકર પછી બીજા ક્રમે શ્રીસંઘ પૂજ્ય છે. તીર્થકર જેમ પરમ પવિત્ર-પૂજ્ય-મહાન-શિરસાવંઘ છે, આજીવન આજ્ઞા ધારણ કરવા લાયક છે, શ્રેષ્ઠ શરણ છે; તેમ શ્રીસંઘ પણ પરમ પવિત્ર-પૂજ્ય-મહાન-શિરસાવંઘ-આજ્ઞા ધારણ કરવા લાયક શ્રેષ્ઠ શરણ છે. તેથી તીર્થકર પછી મહાનતાની દષ્ટિએ બીજા નંબરે શ્રીસંઘ છે, એટલે જ પચ્ચીસમો તીર્થકર કહ્યો અર્થાત્ ચોવીસ તીર્થંકર પછી પૂજ્યતાના સ્થાને ગણો તો વાંધો નથી. સભાઃ પચ્ચીસમા તીર્થંકર કહેવામાં અપેક્ષા શું ? સાહેબજી: સંઘને તીર્થકરોએ સ્થાપિત કર્યો છે, ગણધરો દ્વારા શાસ્ત્રો રચાવીને આખું બંધારણ આપ્યું, સભ્યપદની લાયકાતો, પ્રવેશનો અધિકાર આદિથી આરંભીને છેક સંચાલન અને રક્ષા સુધીનાં સર્વ કર્તવ્યો સ્થાપિત કરાવ્યાં, તેથી સંઘના સર્જક-સ્થાપક-નાયક તીર્થકરોની પ્રથમ મહાનતા અને શ્રીસંઘની દ્વિતીય મહાનતા, એ આશયથી પચ્ચીસમા તીર્થંકરની ઉપમા છે. તીર્થકર સમકક્ષ શ્રીસંઘ : વળી એક અપેક્ષાએ શ્રીસંઘ તીર્થકર સમકક્ષ પણ છે. તીર્થકરોમાં જે પ્રતિબોધકતા-તારકતા છે તે શ્રીસંઘમાં પણ છે. તીર્થકરો એવા સમર્થ શ્રીસંઘને સ્થાપે છે કે જેમાં સ્વતુલ્ય ઉદ્ધારની શક્તિ છે. પામર જીવોને ભવસાગરમાંથી વિસ્તાર કરવાનું સામર્થ્ય શ્રીસંઘરૂપ તીર્થમાં પણ અચિંત્ય છે. તેથી તીર્થંકરની પૂજા તુલ્ય શ્રીસંઘની પૂજાનો મહિમા છે, જે શ્રીસંઘને તીર્થકર સમકક્ષ દર્શાવે છે. સભા : શ્રીસંઘનો તીર્થંકર જેટલો પ્રભાવ ન પડે ? સાહેબજી : વ્યક્તિ કરતાં સમૂહનો પ્રભાવ જુદો છે. ચોત્રીસ અતિશય આદિ ઐશ્વર્યવાળા તીર્થકરો અપાર પ્રભાવકતા ધરાવે છે, તો પણ સંઘનું સામૂહિક પ્રભાવક ઐશ્વર્ય નાનું સૂનું નથી. સંઘમાં ગણધરો, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, લબ્ધિસંપન્ન મહાત્માઓ, વાદીઓ, ગીતાર્થવૃષભો, પ્રભાવક આચાર્યો, ઉપાધ્યાયો, અને ઇન્દ્રો, ચક્રવર્તીઓ આદિથી માંડીને અનેક પ્રભાવક શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ છે. તેથી સંઘમાં પણ १ 'एषा' सङ्घपूजा, विषयमहत्त्वाद्, एतदाह-यदेष श्रुते भणित:-आगम उक्तः तीर्थकरानन्तरः सङ्घ इत्यतो महानेष इति Tથાર્થ:L. ___ (पंचवस्तुक श्लोक ११३४ टीका) * 'सत्तीए संघपुआ विसेसपुआउ बहुगुणा एसा। जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो।।२५ ।। शक्त्या सङ्घपूजा विभवोचितया, विशेषपूजाया दिगादिगतायाः सकाशात् बहुगुणा एषा सङ्घपूजा विषयमहत्त्वात्, व्यापकविषयत्वादित्यर्थः । व्याप्याद् व्यापकस्य महत्त्वे उपपत्तिमाह-यद्-यस्माद् भणित आगमे तीर्थकरानन्तरः सङ्घ इत्यतो મહાનેષ કૃતિ પાર, T. (પ્રતિમાશતા પ્રશ્નો ૬૭ ટકા) ★ एवं तावत् तीर्थकरनमस्काराः प्रतिपादिताः। साम्प्रतं तीर्थकरानन्तरः सङ्घ इति कृत्वा तीर्थान्तरग्रामव्युदासेन नगररूपकेण तत्संस्तवं कुर्वनाह (नंदीसूत्र श्लोक ४ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy