SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અહમિંદ્રો, દેવીઓ, કરોડો અને અબજોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ-સાધ્વીઓ આવે, કેવલી અને ગણધરો પણ આવે. તીર્થકરો શ્રીસંઘમાં નથી. તેઓ તો શ્રીસંઘના સ્થાપક અને નાયક છે. શ્રીસંઘમાં ગણધર, કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર આદિ શ્રુતકેવલી, લબ્ધિધારી ઋદ્ધિસંપન્ન મહાત્મા, મહાવાદી વગેરે અનેક પ્રકારની પ્રભાવકતાની શક્તિવાળા પ્રભાવક ધર્માચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વી બધાં આવે. અરે ! વિસ્તારથી વિચારો તો ત્રણ લોક અને ત્રણ કાળના જિનશાસનના ભાવથી આરાધકો સર્વ આવે. શ્રીસંઘનું ઐશ્વર્ય : આવા શ્રીસંઘનું ઐશ્વર્ય કલ્પના બહારનું છે; કારણ કે 'આ જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો પ્રકાર પુણ્યાનુબંધી પુણ્ય છે, જે તારક પુણ્ય છે, જેના ઉદયવાળા જીવોનું ભૌતિક ઐશ્વર્ય પણ વખાણવા લાયક છે; કેમ કે તે ધર્મપ્રભાવના અને કલ્યાણનું સાધન છે, આવું ભૌતિક અને ધાર્મિક ઐશ્વર્ય સર્વ પ્રકારે આ શ્રીસંઘમાં સમાઈ જાય છે. વિશ્વમાં ઇચ્છવા લાયક, પામવા લાયક, વખાણવા લાયક એવું જે કાંઈ પણ સ્વ-પરહિતકારી ઐશ્વર્ય છે, કે જે સ્વને સુગતિની પરંપરા અને પરને ધર્મપ્રભાવનારૂપે બોધિબીજ આદિનું નિમિત્ત હોય, તેવું સમગ્ર ઐશ્વર્ય શ્રીસંઘમાં છે. અહીં સંઘ એટલે કોઈ એક સ્થળનો સ્થાનિક સંઘ નહીં, પરંતુ તેમાં દુનિયાભરના સંઘોનો-ભરતક્ષેત્ર કે મહાવિદેહક્ષેત્રના સંઘોનો પણ સમાવેશ છે. જેટલા પણ જિનશાસનના ભક્તો-ઉપાસકો છે તે બધા તેમાં આવી જાય. સંખ્યાથી શ્રીસંઘ ઘણો વિશાળ સમૂહ છે અને ગુણથી પણ મહાન જનસમુદાય છે. ત્રણ લોક, ત્રણ કાળમાં જેટલા પણ ઉત્તમ જીવો છે તે બધા આ શ્રીસંઘમાં સમાય છે, જે સમૂહ તરીકે નાનોસૂનો સમૂહ નથી કે ગુણોથી નાનાસૂના ગુણો નથી. સભા ઃ ત્રણ કાળના અને સર્વ ક્ષેત્રના તમામ ગુણિયલ જીવો શ્રીસંઘમાં કેવી રીતે સમાય ? સાહેબજીઃ આજે પણ એવી પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ છે કે જેના સભ્યો અનેક દેશોમાં ફેલાયેલા હોય, તેમ જ તે સંસ્થાનું ભૂતકાલીન કે ભાવિ સભ્યપદ પણ અતિશય મહત્તા ધરાવતું હોય, તો તીર્થકરોથી સ્થાપિત શ્રીસંઘ સંસ્થાના સભ્યપદની વિશાળ મર્યાદા સર્વ ક્ષેત્ર-કાળને આવરે તે કાંઈ અજુગતું નથી. અરે ! ‘નમો અરિહંતાણં’ આદિ નવકારનાં પદોમાં પણ સર્વ કાળ અને સર્વ ક્ષેત્રના અરિહંતોને નમસ્કાર જણાવ્યો છે, તો શ્રીસંઘમાં સર્વ કાળના, સર્વ ક્ષેત્રના તમામ સમ્યગ્દષ્ટિ જીવોનો સમાવેશ સમુચિત જ છે. હા, માત્ર સંઘપૂજાના અવસરે વર્તમાનકાલીન ચોક્કસ ક્ષેત્રની મર્યાદિત વ્યક્તિઓ જ સંઘ તરીકે ઉપસ્થિત થાય, પરંતુ તારક તીર્થ તરીકે નમસ્કાર કરાતા સંઘમાં વ્યાપકરૂપે સર્વ સમ્યગ્દષ્ટિ ગુણિયલ જીવોનો સમાવેશ ઉચિત જ છે. તેમાં ક્ષેત્ર-કાળની ટૂંકી મર્યાદા આવશ્યક નથી. તેથી શ્રીસંઘ એટલે ગુણગણથી અપૂર્વ ગણી શકાય તેવો અનંત જીવોનો સમૂહ છે, તેને તારક તીર્થની ઉપમા આપી તે પ્રભાવની અપેક્ષાએ યોગ્ય જ છે. ૧ ‘ઇન’ વાચ-ક્ષેત્ર-વસ્તુ-ક્રિપદ્ર-તુષ્યમિત્રં દિરન્વ-સુવર્ણ-મf-મોવિત્ત-શર્વ-શતા-પ્રવામેિવું ૨ ધનપતિधनद्धिप्रतिस्पर्धि तीर्थोपयोगफलं ददाति प्रयच्छति यः स तथा, (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक २ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy