SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘની તારકતાનું રહસ્ય : શ્રીસંઘને અલગ ધર્મતીર્થ કહેવા પાછળ કારણ શું ? તે પણ બહુ સમજવા જેવો મુદ્દો છે; કેમ કે ગણધરોમાં પોતાને અને જગતને તારવાની શક્તિ છે માટે તેઓ તા૨ક તીર્થ બની શકે. જ્યારે સંઘ તો જે જીવો ભવસાગરથી કંટાળ્યા છે, અને તા૨ક તીર્થના શરણે આરાધના માટે આવ્યા છે, તેવા જીવોનો સમૂહ છે. હવે જે પોતે જ ત૨વા માટે કોઈની સહાય લે છે અને શરણું સ્વીકારવા માંગે છે, તેવા જીવો પોતે જ તા૨ક તીર્થ કેવી રીતે બની શકે ? ગણધરોમાં તો વ્યક્તિગત તીર્થપણું બેસે તેમ હતું, દ્વાદશાંગીમાં પણ તારકતારૂપે તીર્થપણું સમજાય તેમ છે, પણ શ્રીસંઘ તો જે સ્વતંત્ર રીતે તરી શકતા નથી તેથી બીજાનો આશરો લઈને તરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેવા સહાયના ઇચ્છુક નબળા જીવોનો બનેલો છે, તે આખા જગતને તારવા માટે લાયક તીર્થ કેવી રીતે બને ? ૨૯૯ શ્રીસંઘની તા૨કતાને સ્પષ્ટ કરવા આ પ્રશ્ન કરું છું. દા.ત. કોઈ માણસ દરિયામાં છબછબિયાં કરતો હોય, બહાર નીકળવા પ્રયત્ન કરતો હોય, થોડું થોડું માંડ માંડ સહાયથી તરતો હોય; ત્યારે તમને કોઈ કહે કે આને પકડીને તમે તરી જાઓ, કારણ કે આ પાર ઉતા૨ના૨ છે, તો તે કેવું લાગે ? તેમ શ્રીસંઘમાં સમાવેશ પામતા સામાન્ય આરાધકો જે તીર્થના શરણે જ આવેલા છે, તે સ્વયં તીર્થ કેવી રીતે બને ? તો શાસ્ત્ર કહે છે કે શ્રીસંઘમાં ગમે તે એક વ્યક્તિને અમે સ્વતંત્રરૂપે તીર્થ કહેતા નથી, પરંતુ ભવસાગરમાંથી તરવા પ્રયત્નશીલ સર્વ આરાધકોનો જે સમૂહ છે તે જ તીર્થ છે. વર્તમાનમાં ઘણા ‘સંઘ મહાન’ ‘સંઘ મહાન’ના નામે કૂદકા મારે છે, પણ તેમાં તો તેને પોતાને જ સંઘના નામે ચડી બેસવું હોય છે. સભા : શ્રીસંઘ પચીસમો તીર્થંકર છે ને ? સાહેબજી : હા, ચોક્કસ. અરે ! તમે તો પચીસમો તીર્થંકર કહો છો, પણ હું તો સંઘને પહેલો તીર્થંકર કહીશ. 'સાચા સંઘના મહિમાનું તમને ભાન નથી. વર્ણન ચાલુ કરીશ તો મોં પહોળાં થઈ જશે. શાસ્ત્રમાં લખ્યું કે શ્રીસંઘ તીંર્થંકર અનંતર, તીર્થંકર સમકક્ષ અને તીર્થંકર કરતાં અધિક પૂજ્ય છે. શ્રીસંઘની મહાનતા, તારકતા સમજવા તમારી બુદ્ધિમાં સાચા ખ્યાલો સ્થાપિત કરવા માંગું છું. પ્રસ્તુતમાં સંઘઘટક એક વ્યક્તિ મહાન નથી, અહીં સમૂહની મહાનતા છે. મનમાં સમૂહનું મહત્ત્વ સ્થાપિત કરવા સ્પષ્ટ બુદ્ધિ કેળવવી પડે. વ્યવહા૨માં પણ કોઈ એક વ્યક્તિના પ્રભાવ-બળ કરતાં સમૂહનું સંગઠનબળ ઘણું વધારે હોય છે. વળી, આમજનતા, લોકમાનસ પર તો સમૂહનો પ્રતાપ-પ્રભાવ જુદો જ પડે છે. સંઘમાં ભવસાગરથી તરવા આવેલા જીવો છે, જે બીજાની સહાયથી તરવા માંગે છે, પ્રયત્નથી તરી રહ્યા १ सत्तीए संघपूआ विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो । । ११३४ । । गुणसमुदाओ संघो पवयण तित्यंति होंति एगट्ठा। तित्थयरोऽविअ एअं णमए गुरुभावओ चेव । । ११३५ ।। तप्पुव्विआ अरहया पूइ अपूआ य विणयकम्मं च। कयकिच्चोऽवि जह कहं कहेइ णमए तहा तित्थं । । ११३६ । । एअम्मि पूइअम्मी णत्थि तयं जं न पूइअं होइ । भुवणेऽवि पूणिज्जं न गुणद्वाणं तओ अण्णं । । ११३७ ।। तप्पू आपरिणामो हंदि महाविसयमो मुणेअव्वो । तद्देसपूअओऽवि हु देवयपूआTUTIQUĪ ||૧૩૮ || (પંચવસ્તુ મૂત) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy