________________
૨૯૬
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
જાહેર ક્ષેત્રમાં જોખમી પૂરવાર થાય છે. તેથી સંધાચાર્યનો અનિવાર્યતારૂપે શાસ્ત્રમાં આગ્રહ નથી. પડતા કાળમાં ભગવાને છેલ્લે ગીતાર્થના હાથમાં શાસન સોંપ્યું છે. ચતુર્વિધ સંઘ એટલે આ રીતનું માળખું છે, જે ચારિત્રધર મહાત્માઓથી જ શરૂ થાય છે.
સભા : આજે સંઘની વ્યવસ્થા છે ?
સાહેબજી ઃ જઘન્ય ધોરણે ગીતાર્થનિશ્રિત સુસાધુના ગચ્છરૂપે તો તે અવશ્ય વિદ્યમાન છે. તે મર્યાદિત ધોરણે પણ ન હોય તો શાસનનો વિચ્છેદ કહેવો પડે. પરંતુ સમગ્ર જૈનોને આવરતી સુબદ્ધ સંઘવ્યવસ્થા તો કેવી હોય તે શાસ્ત્રમાં દર્શાવી છે, જેનું વર્ણન ધર્મતીર્થના સંચાલનમાં આવશે. સાંભળશો ત્યારે ખબર પડશે કે તમે શું અનુકરણ કરો છો અને શું નથી કરતા, અને શાસ્ત્રોનું અનુશાસન ન ઝીલવાથી પરિણામ શું આવ્યું છે, તે બધું એડમીનીસ્ટ્રેશનના વર્ણનમાં આવી જશે. અત્યારે તો સંઘને ભાવતીર્થ સ્વરૂપે ઓળખાવું છું. આ બધા સામૂહિકરૂપે જીવંત ધર્મતીર્થ છે. પાંચે જીવંત ધર્મતીર્થનું વર્ણન કર્યા પછી જંગમતીર્થની અપેક્ષાએ જે સ્થાવર તીર્થ કહ્યું છે તે સ્થાવર તીર્થનું સાંગોપાંગ વિવેચન કરીશું, એટલે ધર્મતીર્થની વ્યાખ્યારૂપે ઓળખાણ પૂરી થશે. જે ગચ્છ ગીતાર્થનિશ્રિત નથી તે ચોરની પલ્લી છે :
સભા : આવા ગીતાર્થની નિશ્રામાં જે સંઘ નથી, તે સંઘ કેવો ?
સાહેબજી ઃ તેના માટે શાસ્ત્રમાં બહુ કડક શબ્દો છે. આગળ કહીશ; કેમ કે આમાં ઘણા શબ્દો તમારા માટે તો નવા જ છે. તમે ગચ્છ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ કુલ, ગણ તો નવા જ હશે. કલ્પસૂત્રમાં આવે છે કે આખું શાસન ચારિત્રધરથી સ્થપાય છે અને તેમનાથી જ ચાલે છે. ચારિત્રધર છે ત્યાં સુધી આ શાસન છે. ચારિત્રધરની આ શાસનમાં અત્યંત કિંમત છે, પ્રધાનતા છે. વ્યવહારમાં પણ મોટે ભાગે ‘શ્રમણસંઘ’ શબ્દ જ બોલીએ છીએ. વળી, ‘ચતુર્વિધ સંઘ’ એકલો નથી બોલતા, પણ ‘શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ' બોલીએ છીએ. આ જ દર્શાવે છે કે ચારિત્રધરથી જ આ શાસનનું મંડાણ-સંચાલન-વ્યવસ્થા-વહન છે. પણ તે ચારિત્રધરનો પ્રારંભ ગીતાર્થ કે તેના શાસ્ત્રીય અનુશાસન વિના છે જ નહીં. તેથી તીર્થનો પ્રારંભ તીર્થસ્વરૂપ ગણધરોથી જ થાય છે, જે પ્રથમ ધર્મતીર્થ છે, અને તેમણે રચેલાં શાસ્ત્રો તે બીજું ધર્મતીર્થ છે અને `તે બંનેના શરણમાં રહેલ સંઘ ત્રીજું ધર્મતીર્થ છે. જે ગીતાર્થ ગુરુની નિશ્રા કે અનુશાસનમાં નથી તેવો ગમે તેટલો સાધુ-સાધ્વીનો સમુદાય હોય તેને શાસ્ત્રમાં ગચ્છ જ કહ્યો નથી. તમે સાંભળી ન શકો તેવા શબ્દો વાપર્યા છે. ‘ચોરની પલ્લી છે” તેમ કહ્યું છે.
સભા : અતિશયોક્તિ લાગે છે.
સાહેબજી ઃ તમને અતિશયોક્તિ લાગે પણ જ્ઞાનીઓ તર્કપૂર્વક સાબિત કરી આપે. ધર્મનું ક્ષેત્ર એટલું પવિત્ર છે કે, આખો સંસાર છોડીને જે મુનિજીવન સ્વીકારે છે, તેને જગત પવિત્ર આત્મા તરીકે જુએ છે અને
१ चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम् । द्वादशाङ्गं पुनर्जेनं, वचनं पुरमुच्यते । ।१०१ । । वास्तव्यका जनास्तत्र, ये तदादेशकारिणः । તે વ ચ વતુર્વર્ગા, યથોક્ત મુળમૂષળા:।।૨૨।। (૩૫મિતિ0 ચતુર્થપ્રસ્તાવ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org