________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૨૯૫ દેશકાળના ફેરફારથી આવા અનેક ફેરફાર સંભવિત છે. આવા આચારવિષયક ગૌણ ફેરફાર ભૂતકાળમાં પણ સામાચારીભેદરૂપે હતા અને વર્તમાનકાળમાં પણ રહે છે. ગણમાં અનેક સામાચારીભેટવાળા સમૂહ પણ આવે, જ્યારે કુલમાં એક સામાચારીવાળા જ હોય. આ ગચ્છ-કુલ-ગણ દ્વારા સંઘનું માળખું તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. દરેક ગચ્છનો અનુયાયી શ્રાવક અને શ્રાવિકા વર્ગ પણ હોય છે; કારણ કે શ્રાવકો પણ આત્મકલ્યાણ કરવા માટે ગીતાર્થ ગુરુને જીવનમાં માર્ગદર્શક તરીકે અવશ્ય સ્વીકારે છે. તેઓ ગૃહસ્થશિષ્ય બને છે. આ શાસ્ત્રીય વ્યવસ્થા છે. જે ગીતાર્થ ગુરુનું શરણું સ્વીકાર્યું તે ગચ્છનો તે શ્રાવક કહેવાય. ટૂંકમાં, તે તે ગચ્છના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ મૂળ સંઘનો પેટા સંઘ થાય. આવા અનેક ગચ્છોનું કુલ બને, અનેક કુલોનો ગણ અને અનેક ગણોનો સંઘ બને. આ ગચ્છ-કુલ-ગણોની સંઘના administrationવહીવટમાં જવાબદારી પણ શાસ્ત્રમાં બતાવી છે. વહીવટી બંધારણ સમજવા પ્રથમ સંઘનું માળખું સમજવું જ પડે. જે ન સમજે તેને શાસન-સંઘની વ્યવસ્થાનું ભાન ન થાય. અત્યારે તો સંઘ કે સંઘનું માળખું શું હોય તેનું રેખાચિત્ર જ તમને ખબર નથી. સંક્ષેપમાં એક ગીતાર્થનિશ્ચિત સુસાધુનો સમૂહ તે ગચ્છ, એક સામાચારીવાળા ગચ્છોનો સમૂહ તે કુલ, ભિન્ન ભિન્ન સામાચારીવાળા કુલોનો સમૂહ તે ગણ અને ભિન્ન ભિન્ન વાચના પરંપરાવાળા ગણોનો સમૂહ તે સંઘ. આ રીતે તીર્થકર ત્રીજા ભાવધર્મતીર્થરૂપ ચતુર્વિધ સંઘ નામની મહાન સુબદ્ધ સંસ્થાની સ્થાપના કરે. .
સભા સંઘની ઉપર કોણ આવે ?
સાહેબજી સંઘાચાર્ય હોય. પરંતુ સંઘાચાર્ય કાયમ માટે હોય જ તેવો ઉલ્લેખ શાસ્ત્રમાં મળતો નથી. પ્રસ્તુતમાં પહેલાં બે તીર્થને જે અનુસરે તે જ ત્રીજા શ્રીસંઘરૂપ ભાવધર્મતીર્થમાં આવે, એટલે સુબદ્ધ અનુશાસન આપમેળે આવી ગયું. તંત્ર પોલું રહેતું નથી.
સભા સંઘ જ સર્વોપરી ન કહેવાય ? સંઘાચાર્યની શું જરૂર ?
સાહેબજી આખા સંઘને માર્ગદર્શન આપનાર વ્યક્તિ તો જોઈએ ને ? જેમ કે ગણધર સંઘાચાર્ય જ હતા. છતાં શાસનમાં સંઘાચાર્ય અનિવાર્ય નથી, પણ હોય તો સારું. ન હોય તો ગીતાર્થના અનુશાસનથી પણ શાસન ચાલે. એકાંત નથી. ૧૪ પૂર્વધર શ્રી સુધર્માસ્વામી સંઘનાયક-સંઘાચાર્ય હતા. તેમના પછી જંબુસ્વામી હતા. આવા સંઘાચાર્ય દરેક ગચ્છ-કુલ-ગણને માન્ય થાય, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ સમસ્ત ચતુર્વિધ સંઘમાં જેમની આદેયતા હોય. વળી, એટલા જ્ઞાનસંપન્ન-પ્રતિભાસંપન્ન-ગુણિયલ હોય કે આખા સંઘને સચોટ-યોગ્ય માર્ગદર્શન આપી શકે, સંઘનાં વિઘ્નો દૂર કરી શકે, શાસનપ્રભાવના માટે સુબદ્ધ રીતે સંઘની શક્તિને channelise-પ્રવાહિત કરી શકે. તેવી સમર્થ વ્યક્તિ સંઘાચાર્ય તરીકે હોય તો શાસનનો જયજયકાર થાય. છતાં સંઘાચાર્ય ન હોય તો સંઘ, સંઘ જ ન ગણાય તેવું શાસ્ત્રમાં નથી, અને ખેંચી તાણી ગમે તેને સંઘાચાર્ય બનાવાય તો શાસનને ભારે નુકસાન પણ થાય; કારણ કે નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિમાં લાંબી દીર્ઘદૃષ્ટિ, ગંભીરતા આદિ અનેક ઉત્કૃષ્ટ ગુણો જોઈએ. સંઘમાં હાલની પ્રવૃત્તિનું ૧૦૦ વર્ષે ભાવિ ફળ શું? અને જાહેર ક્ષેત્રમાં અનિષ્ટના નિવારણ માટે સુબદ્ધ વ્યવસ્થાતંત્ર કેવી ખૂબીવાળું જોઈએ, તેનું તલસ્પર્શી જ્ઞાન ન હોય અને સત્તા સોંપાય તો અનુસરનારા સમસ્ત વર્ગને મોટા અહિતનું કારણ બને. સમુચિત ગુણો વિનાની સર્વજનમાન્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org