SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સાધના યાદ આવી જાય અને પૂર્વભવનું જ્ઞાન પ્રગટ થાય. તે જ રીતે પાંચમા આરાના છેડે શાસન વિચ્છેદ થવાનું છે એમ શાસ્ત્રમાં લખ્યું, છતાં પાંચમો આરો પૂરો થયા પછી છટ્ઠા આરામાં, પણ જાતિસ્મરણજ્ઞાન વગેરેથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દરેક કાળમાં ચારે ગતિમાં શક્ય છે. શ્રી ઋષભદેવ પ્રભુથી પૂર્વે ભૂતકાળમાં પહેલા આરામાં, એવા પણ યુગલિકો હોય કે જેમને જાતિસ્મરણજ્ઞાન આદિ દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયાં હોય. છતાં પહેલા આરામાં આ ભરતક્ષેત્રમાં શાસન વિદ્યમાન હતું તેવું કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. સભા : જાતિસ્મરણજ્ઞાન પામે તેનામાં સમ્યગ્દર્શન આવે જ ? સાહેબજી : ના, તેવો નિયમ નથી. પણ જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્દર્શન પામવામાં કોઈને નિમિત્ત થઈ શકે. જાતિસ્મરણજ્ઞાન પ્રકારનાં છે. હિતકારી અને અહિતકારી. ઘણાને પરલોકનું જ્ઞાન થાય તો તે તેના માટે અહિતકારી હોય. તમને ૫૨લોકનું જ્ઞાન નથી તે તમારા માટે સલામતી છે; કેમ કે આગલા ભવની ખબર પડે તો અહીં રોકકળ, છાતી કૂટવાનું ચાલુ થાય. અરે ! પૂર્વભવ યાદ કરી કરીને દુઃખી થઈ જાઓ. પૂર્વભવમાં દેવલોકમાં હોય ત્યાં શ્રેષ્ઠ રિદ્ધિ-સિદ્ધિ ભોગવી એવું યાદ આવે, તેથી રોજ રડી રડીને દુ:ખી થઈ જાય. સભા (શિષ્ય) : તેથી વૈરાગ્ય પણ આવે ને ? સાહેબજી : તમે વૈરાગ્ય પેદા કરવાની જવાબદારી લીધી છે ? ગમે તેટલી સમજ આપો તો પણ જીવમાં પાત્રતા ન હોય તો ધર્મ ન પામે. અત્યારે પણ જાતિસ્મરણજ્ઞાનના દાખલા બને છે. તેમાંના કેટલાક તો વૈજ્ઞાનિકોએ પણ નોંધ્યા છે, સારા પ્રોફેસરોએ પણ નોંધ્યા છે. તે વાંચો તો તમને થાય કે તેમને પોતાનો પૂર્વભવ જાણ્યા પછી સંતાપ, ક્લેશ, રાગ-દ્વેષ વધ્યા છે. તે જાણકારીથી તેમના આત્માને જીવનમાં સાચી દિશા મળી કે તત્ત્વદૃષ્ટિથી જીવનનો રાહ પલટાયો હોય, તેવું કશું બન્યું જ નથી. અહિતકારી જાતિસ્મરણજ્ઞાનની કોઈ કિંમત નથી. હિતકારી જાતિસ્મરણજ્ઞાન થાય તો પણ સમ્યગ્દર્શન સુધી જીવ પહોંચે જ તેવો નિયમ નથી. કોઈને સામાન્ય ધર્મશ્રદ્ધા તો કોઈને બોધિબીજની પ્રાપ્તિ પણ કરાવે. પહેલા, બીજા આરામાં યુગલિકો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામે પરંતુ સમ્યગ્ ચારિત્રની પ્રાપ્તિ નથી. તેઓ સર્વવિરતિ પામી શકતા નથી. સર્વવિરતિ ન હોય ત્યાં સુધી શાસન નથી. સર્વવિરતિથી જ શાસનની સ્થાપના છે અને સર્વવિરતિના અંત સાથે શાસનનો અંત છે. શાસ્ત્રમાં ઠેર ઠેર લખ્યું કે તીર્થ એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનથી ટકવાનું નથી, પરંતુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના સહઅસ્તિત્વથી सर्वजिनानां भरतैरवतविदेहतीर्थकृताम्। नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामल्पत्वात् कदाचित्कत्वाच्च। नवरं केवलमयं विशेष: सत्त्वेन = कषायसत्तया । अप्रमत्तयतयोऽपि सप्तमगुणस्थानवर्तिनोऽपि कषायकुशीला भण्यन्ते । अत एवंभूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवन्तीति भावः । । ६१ । । १७५ ।। ( सम्यक्त्व प्रकरण - दर्शनशुद्धि प्रकरण चतुर्थ साधुतत्त्व विवरण श्लोक ६१, कुल १७५मो श्लोक) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy