________________
ભાવતીથ - ચતુર્વિધ શ્રીસંઘ
૨૩ ટકવાનું છે. અત્યારે જૈનોમાં એવો વર્ગ છે કે જે એકલા સમ્યગ્દર્શનની જ વાત કરે છે. તેમને સમ્મચારિત્ર સાથે લેવાદેવા નથી. પણ તેમને ખબર નથી કે આગમોમાં લખ્યું છે કે આ તીર્થ એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનથી કદી ટક્યું નથી કે ટકવાનું પણ નથી.
સભા એ લોકો ભાવચારિત્રને તો માને જ છે ને ?
સાહેબજીઃ હાલમાં ભાવચારિત્ર છે જ નહીં તેમ કહે છે. આવા એકાંત નિશ્ચયવાદીને સંઘ બહાર કરવા તેમ આગમોમાં કહ્યું છે.
એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનમાં તીર્થ નથી કહ્યું. તીર્થમાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ત્રણેનો માત્ર અવકાશ જ નહીં પણ હાજરી અને સાતત્યરૂપે અસ્તિત્વ પણ જોઈએ, તો જ તીર્થ અવિચ્છેદ રહે. તેમાં પણ ચારિત્રની પ્રધાનતા છે. ભગવાનની પહેલી દેશના નિષ્ફળ ગઈ અને બીજી દેશનામાં તીર્થ સ્થપાયું; કેમ કે અહીં બીજી દેશનામાં જ ચારિત્રના સાતત્યની સંભાવના છે. ભાવચારિત્ર ગીતાર્થની નિશ્રા વિના ટકે નહીં, એટલે જીવંત વ્યક્તિરૂપ તીર્થ પહેલાં જોઈએ. વળી, અનુસરણ માટે દ્વાદશાંગી પણ અવશ્ય જોઈએ. જો એ બે તીર્થ હોય તો જ ત્રીજું તીર્થ સ્થાપી શકાય. પહેલાં બે ભાવતીર્થ ન હોય અને ત્રીજું ભાવતીર્થ સ્થાપી શકાય તે ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું છે. તીર્થસ્થાપનાનો ક્રમ જ આ છે. તીર્થકરો પહેલી દેશનામાં ત્રિપદી આપીને તીર્થસ્વરૂપ પટ્ટધરો સ્થાપે છે અને તેઓ પરોપકાર અર્થે દ્વાદશાંગીની રચના કરે છે, જેથી આલંબનરૂપે શાસ્ત્રો સ્થાપિત થઈ જાય છે. પછી તેને અનુસરનાર ચારિત્રધર મહાત્માઓનો સમૂહ તે ગચ્છ, કુલ, ગણરૂપે પ્રસિદ્ધિ પામે છે. અરે ! મહાનિશીથ સૂત્રમાં તો આવા ચારિત્રધર મહાત્માઓના સમૂહરૂપ ગચ્છને જ સંઘ શબ્દથી પ્રબોધ્યો છે; કેમ કે ત્યાં સંઘ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ બરાબર સંગત થાય છે. સંઘ શબ્દ સંઘાત-સમૂહ અર્થમાં છે. મોક્ષસાધક ગુણોનો સમૂહ જેમાં છે એવા જનસમુદાયને સંઘ કહેવાય. આ ભવચક્રમાંથી તરવા માટે આલંબનરૂપ-સાધનરૂપ બને એવા આધ્યાત્મિક ગુણોનો સમૂહ જે જનસમુદાયમાં છે, તે જનસમુદાય શ્રીસંઘ છે. બાકી બીજા ગુણોના સમુદાયને સંઘ કહ્યો નથી. ગુણો તો અન્ય વ્યક્તિઓમાં પણ હોય, પરંતુ જે ગુણો મોક્ષે ન લઈ જાય, આત્મકલ્યાણ ન કરે તેવા ગુણોની અહીં વિવક્ષા નથી. અહીં તો જે ગુણો તમને ભવસાગરથી પાર ઉતારે, સંસારસાગરથી તમને તરવા માટે અનુકૂળતા કરી આપે તેવા વિશુદ્ધ ગુણો લેવાના. માત્ર પુણ્ય બંધાવી આપે તે ગુણો નથી લેવાના. તમને ભૌતિક સુખ-સગવડમાં ગોઠવી આપે એવા પુણ્યના કારણરૂપ ગુણોની અહીં કોઈ કિંમત નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર સ્વરૂપ મોક્ષસાધક પરિપૂર્ણ ગુણોનો સમૂહ ભાવચારિત્રધર મુનિઓમાં છે. તેથી તેનો ગચ્છ તે જ તત્ત્વથી તીર્થ છે.
શાસનમાં એક નહીં પણ અનેક ગચ્છો હોય છે. પ્રભુ વીરના જ નવ ગણ હતા. તેમના શિષ્યો, પ્રશિષ્યો લઈએ તો હજારો થાય. તીર્થંકરના કાળમાં પણ એક ગચ્છ નથી, પણ ગચ્છોનો સમૂહ હોય છે. ગચ્છ એટલે એક ગીતાર્થ ગુરુના અનુશાસનમાં રહેલા ચારિત્રસંપન્ન સાધુઓનો સમૂહ. આવા અનેક ગચ્છોમાં સમાન સામાચારીવાળા ગચ્છો હોય તે બધાને ભેગા કરીએ તો તે ગચ્છોના સમૂહને કુલ કહેવાય. મુનિજીવનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org