________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૨૮૭
૧
રહેશે. મહાનિશીથ સૂત્રમાં લખ્યું કે આવા ગચ્છને જ અમે ચતુર્વિધ સંઘ કહીએ છીએ, ગચ્છથી મહાન કશું નથી. તેમાં જ અનેક ગુણોનો સમૂહ રહેલો છે. આવા અનેક પાવન ગચ્છો ભેગા થાય એટલે કુલ બને.
સભા : અત્યારે કાં કુલો છે ?
સાહેબજી ઃ અત્યારે પણ કલ્પસૂત્રમાં વર્ણવેલ મૂળભૂત ચાંદ્રકુળ તો છે જ. અમે દીક્ષા આપીએ ત્યારે કોટિકગણ, વય૨ી શાખા, ચાંદ્રકુળ, તમારા આચાર્યનું નામ આ, તમારા ઉપાધ્યાયનું નામ આ, તમારા ગુરુનું નામ આ વગેરે બધું બોલીએ જ છીએ. વળી, વર્તમાનકાલીન સ્તર પ્રમાણે અનેક પેટા કુળો તો પ્રત્યક્ષ દેખાય જ છે. હા, તેનાં ચોક્કસ નામ સ્થાપિત ન થયાં હોય એવું બને.
દિગંબરપંથની ઉત્પત્તિ અને તેની માન્યતાઓ :
સભા : ચાર ફિરકા એટલે ચતુર્વિધ સંઘ નહીં ?
સાહેબજી : ન ગણાય. દિગંબરો ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૬૬૩ વર્ષે શ્રીસંઘથી બહાર નીકળ્યા; કારણ એમણે આ બધા ભાવતીર્થનો લોપ કર્યો તે જ. સૌથી પહેલાં તેમણે ગીતાર્થ, જ્ઞાની, શાસનના નાયક, સૂત્ર-અર્થના વેત્તાનો અપલાપ કર્યો. તેઓ તે કાળના શ્રુતધરની આજ્ઞાને સમજવા તૈયાર ન થયા. અહીં તેમણે પહેલું ભાવતીર્થ ઊડાડ્યું.
દિગંબરપંથ શિવભૂતિ નામના સાધુથી ચાલુ થયો છે. ભૂતકાળના ગૃહસ્થજીવનમાં આ શિવભૂતિ રાજમાન્ય વ્યક્તિ છે. ત્યારબાદ વૈરાગ્યથી દીક્ષા લીધી છે. રાજાએ બહુમાન તરીકે તેમને રત્નકંબલ વહોરાવેલી, જેને તેઓ સાચવી સાચવીને રાખતા હતા. ગુરુને આ મૂર્છા ખટકી, એટલે એક દિવસ શિવભૂતિ બહાર ગયા ત્યારે ગુરુએ તે રત્નકંબલને ફાડી નાંખી. હવે પાછા આવ્યા પછી શિવભૂતિને આની ખબર પડી એટલે તેમણે ગુરુને રિસાઈને આનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે તને આનાથી મમતા-આસક્તિ વધતાં હતાં માટે ફાડી નાંખી. ત્યારે શિવભૂતિએ સામો પ્રશ્ન કર્યો કે મૂર્છાનું કારણ હોવાથી કામળી પરિગ્રહ છે તો વસ્ત્ર કેમ પરિગ્રહ નહીં ? ગુરુ તર્કબદ્ધ સમજાવે છે કે વસ્ત્ર આરાધના માટે જરૂરી છે તેથી પરિગ્રહ નથી, પણ ઉપકરણ છે; જે આરાધનાનું કારણ ન હોવા છતાં મૂર્છાથી સંગ્રહ થાય તે પરિગ્રહ છે. પરંતુ હઠથી આ માન્યા નહીં. ઊલટું, ગુરુને કહ્યું કે ભગવાને અપરિગ્રહને ધર્મ કહ્યો છે, માટે વસ્ત્ર-પાત્રનો પણ ત્યાગ કરવો જોઇએ.
૧ મુખિનો સંઘ તિસ્થં ળ-પવયા-મોવ-મ[- ટ્ઠિા | વંસળ-નાળ-રિત્તે ઘોળ-તવું એવ ॥ચ્છ-ગામે ય ।।૨o ।।... તિસ્ત્યયરે तित्थयरे तित्थं पुण जाण गोयमा ! संघं । संघे य ठिए गच्छे गच्छ-ठिए णाण- दंसण-चरित्ते । । ५५ ।।
(महानिशीथसूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन) * 'गिहिसंघायं'ति।गृहिणां-संसारिणां मातापित्रादीनां सङ्घातं 'हित्वा' परित्यज्य संयमसङ्घातमुपगतः सन् णमिति वाक्यालङ्कारे ज्ञानचरणसङ्घातं सङ्घातयति स्वात्मनि स्थितं करोति स ज्ञानचरणं सङ्घातयन् भवति सङ्घः, सङ्घातयतीति सङ्घ इतिव्युत्पत्तेः । विपरीतस्तु सङ्घो न भवति । । १४० ।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक १४० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org