________________
૨૮૬
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પારગામી છે અને વ્યક્તિરૂપે જીવંત તીર્થ છે. તેમને પણ આલંબન તરીકે દ્વાદશાંગી તે બીજું ભાવતીર્થ છે. આ બે તીર્થના અનુશાસનમાં રહેનાર જ ત્રીજા તીર્થમાં આવશે, બાકીના બધા બહાર. પ્રથમ અને બીજા ભાવતીર્થના અનુશાસનમાં રહેનાર એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘને ધર્મતીર્થ કહ્યું અર્થાત્ પહેલાં વ્યક્તિની વાત હતી હવે સમૂહની વાત છે. વ્યક્તિ કરતાં સમૂહનો મહિમા વધારે છે. તેથી શ્રીસંઘનો તીર્થ તરીકે મહિમા શાસ્ત્રમાં ઘણાં વર્ણવ્યો છે.
ગીતાર્થ એવા સંઘાધિપતિ, ગણાધિપતિ, કુલાધિપતિ, ગચ્છાધિપતિ, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ, ગણિ, સ્થવિર, વૃષભ આદિ સાધુઓ કે જે સ્ત્રાર્થના વેત્તા છે, તે સર્વે સ્વતંત્ર વ્યક્તિરૂપે ભાવતીર્થ સ્વરૂપ છે. તેઓને પણ આધાર દ્વાદશાંગી જ છે. આવા પ્રાજ્ઞ પુરુષોના અનુશાસનમાં સમર્પિત થઈને રહેલા તે શ્રીસંઘના સભ્ય છે. શ્રીસંઘનું પ્રાથમિક ઘટક ગચ્છ છે, જે એક પ્રાજ્ઞ ગુરુના અનુસરણને સૂચવે છે, એટલે કે તેમના સમર્થ ગુરુભાઇ આદિ સ્વતંત્ર વિચરવા યોગ્ય અને અનુશાસનપ્રદાનમાં સક્ષમને છોડીને માત્ર તેમનો નિશ્રાવર્તી પરિવાર ગચ્છની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે. આવા ગંથ્થોના સમૂહને કુલ તથા તેમના મુખ્ય નાયકને કુલાધિપતિ કહે છે. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આવે છે કે અમુક આચાર્યના પ્રસિદ્ધ પટ્ટધર શિષ્યોથી આટલા ગણ, આટલાં કુલ અને તેની આટલી શાખાઓ નીકળી. વળી, ઠેરઠેર તે ગણ, કુલ કે શાખાઓનાં નામ અને સંદર્ભો પણ આપ્યા છે. આ બતાવે છે કે જૈનસંઘમાં સંઘ નામનો મોટો સમૂહ એમ ને એમ નથી બનતો, પણ બધાં પેટા ઘટકો ભેગાં થાય ત્યારે જ બને છે. અરે ! તેનું પહેલામાં પહેલું ઘટક જે ગચ્છ છે તેનો પણ મહિમા અપાર કહ્યો છે. આગમમાં ત્યાં સુધી લખ્યું છે કે 'ગીતાર્થ ગુરુના શરણે રહેલા ચારિત્રસંપન્ન શિષ્ય-પ્રશિષ્યો તે જ ગચ્છ છે. આવો ગચ્છ જ્યાં સુધી જગતમાં રહેશે ત્યાં સુધી શાસન જયવંતું
१ सव्वो वि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । समुदाओ होइ संघो गुणसंघाउत्ति काऊणं ।।२९० ।।
__ (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) *'से भयवं! किं तेसिं संखातीताणं गच्छमेरा थाणंतराणं अत्थि, केई अण्णयरे थाणंतरेणं जेणं उसग्गेण वा, अववाएण वा कहं चिय पमाय-दोसेणं असई अइक्कमेज्जा अइक्कंतेण वा आराहगे भवेज्जा?' गोयमा! निच्छयओ णत्थि। 'से भयवं! के णं अट्रेणं एवं वच्चइ जहा णं निच्छयओ नत्थि?' गोयमा! तित्थयरे णं ताव तित्र समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसुं पि णं सम्मदंसण-नाण-चारित्ते पइट्ठिए। ते य सम्मइंसण-नाण-चारित्ते परमपुज्जाणं पुज्जयरे परम-सरण्णाणं सरण्णे, परम-सेव्वाणं सेव्वयरे । ताइं च जत्थ णं गच्छे अण्णयरे ठाणे कत्थइ विराहिज्जति से णं गच्छे समग्ग-पणासए उम्मग्ग-देसए। जे णं गच्छे सम्मग्ग-पणासगे उम्मग्ग-देसए से णं निच्छयओ चेव अणाराहगे। एएणं अट्ठणं गोयमा! एवं वुच्चइ जहा णं संखादीयाणं गच्छ-मेरा ठाणंतराणं जे णं गच्छे एगमण्णयरट्ठाणं अइक्कमेज्जा से णं एगतेणं चेव अणाराहगे। 'से णं भयवं! केवइयं कालं जाव गच्छस्स णं मेरा पण्णविया केवतियं कालं जाव णं गच्छस्स मेरा णाइक्कमेयव्वा?' गोयमा! जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे णं अणगारे ताव णं गच्छमेरा पण्णविया, जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे अणगारे ताव णं गच्छमेरा नाइक्कमेयव्वा। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमु अध्ययन फकरो ५)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org