________________
૨૭૨
ભાવતીર્થ - દ્વાદશાંગી પુણ્યરાશિથી મળે છે. તમને પાંચ ઇન્દ્રિયો મળી છે. અત્યારે પુણ્ય ઘણું છે, પણ આ શક્તિ વિકાર-વાસનાને પોષવા મળી છે, એવું તમારી બુદ્ધિમાં હોય તો તે મિથ્યાત્વ છે, દ્વાદશાંગીની આશાતના છે; કારણ કે તમને મળેલી શક્તિ તમારા કે બીજાના આત્માને દુઃખ-સંતાપ આપવા માટે નથી.
ઇન્દ્રિયો સુખનું સાધન છે તેવું તમારું માનસ હોય તો તે મૂળથી જ ભ્રમ છે. આ તમારી ઊંધી માન્યતા નહીં ટળે ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થાય. જીવનના પરમાર્થ સમજવા બુદ્ધિ કસવી પડે. તમે ઇન્દ્રિયોને શક્તિ તરીકે વિચારો તો તેમાં શાસ્ત્રોને કોઈ વાંધો નથી. ઇન્દ્રિયોની શક્તિનો સદુપયોગ કરી સાધના કરનાર આત્મિક ગુણોનો વિકાસ કરી શકે છે, પણ સુખ તો આત્માના ગુણોથી જ મળશે. ઇન્દ્રિયો સાધનામાં સહાયક બની શકે, ઇન્દ્રિયોથી આત્માનું સુખ ન મળે. ઇન્દ્રિયોનો મૂળ સ્વભાવ તો તમને બાહ્ય-જડદુનિયામાં ખેંચી જવું તે છે. ઇન્દ્રિયોમાં સતત ભોગની તરસ છે. નવા નવા ભોગની urge-demand-તૃષ્ણા-માંગ ઇન્દ્રિયોમાં પેદા થાય છે. વિષયોની તૃષ્ણાની ભરમાર પેદા કરવી તે ઇન્દ્રિયોનું કામ છે. જીભમાં ચોવીસે કલાક સ્વાદની ડીમાન્ડ છે. તે તમને શાંતિથી-જંપીને બેસવા ન દે. ચોવીસે કલાક pinching-દબાણ કર્યા જ કરે. ભરપેટ માલપાણી ખાધા પછી પેટ કહે હવે નહીં, તો પણ જીભ કહે કે નવો સ્વાદ આપો. તેથી તમે મોઢામાં પાન નાંખો. તે પૂરું થાય એટલે માવો-મસાલો-ચીંગમ એમ ચાલ્યા જ કરે. ખરજવું થયું હોય તેને ચોવીસે કલાક ચળ આવ્યા જ કરે, તેમ ચોવીસે કલાક ઇન્દ્રિયોની ભોગતૃષ્ણાની ચળ ચાલ્યા જ કરે. ચોવીસે કલાક ઇન્દ્રિયોને નવા નવા ભોગ આપો તો પણ તે ધરાશે નહીં. સતત ઇન્દ્રિયો તરસરૂપે વ્યથા આપે છે. તમે જીવનમાં આજ દિવસ સુધી ઇન્દ્રિયોથી સતત ભારે સંતાપ અનુભવ્યો છે. જો તેવું ન હોત તો ભગવાન બ્રહ્મચર્ય કે ઇન્દ્રિયોના સંયમનો આદર્શ ન બતાવત. પ્રત્યેક તીર્થકરે આ જ આદર્શ બતાવ્યો છે. આ કાયમનાં સિદ્ધ થયેલાં સત્યો છે. દરેક ધર્મમાં ઇન્દ્રિયોના સંયમની પ્રેરણા-ઉપદેશ છે. જૈનશાસ્ત્રોમાં તો ઇન્દ્રિયોને મોહની દૂતી, આત્માની એક નંબરની શત્રુ કહી છે; જે જીવતાં તમને તૃષ્ણાઓનો સતત તાપ આપે છે અને તમારે ન જવું હોય તો પણ ટાંટિયા ખેંચીને દુર્ગતિમાં લઈ જવાની પ્રબળ શક્તિ ધરાવે છે. ઇન્દ્રિયોને ભારે પરવશ પડેલા જીવો સીધા નરકમાં ધકેલાય છે.
આ દ્વાદશાંગીના ઉપદેશ સાથે તમારે માનસિક વિરોધ હોય તો દ્વાદશાંગી પ્રત્યે તમને અશ્રદ્ધા નક્કી છે. તમારા મનમાં જ્યાં જ્યાં આવી અશ્રદ્ધાની સંભાવના હોય ત્યાં ત્યાં સંશોધન કરી તેનું નિરાકરણ કરવું જરૂરી છે. તે સિવાય સર્વજ્ઞ વચનો પ્રત્યે ઓઘથી શ્રદ્ધા પણ નહીં ઘટે. વિસ્તૃત શ્રદ્ધા અને સમજણ તો ગીતાર્થ જ્ઞાની પુરુષને જ હોય છે, પણ તમે ઓઘથી શ્રદ્ધા કેળવો તો પણ ધન્ય બની જાઓ.
86
---
--
स.
-- -- -- -- -- ભાવતીર્થ - દ્વાદશાંગી સંપૂર્ણ
ة
ع
ع
ع
ع
ع
ع
ع
ع
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org