________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૭૧
વર્તન કરવું, વાણી ઉચ્ચારવી આ બધું પાપબંધનું જ કારણ છે. અરે! શ્રુતમાં કહેલ સર્વ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા આવી જાય તો પણ કલ્યાણનો નક્કર પાયો મંડાઈ જાય. પુણ્યથી અતિ દુર્લભ જિનવચન મળ્યું છે, તો તેને પામીને તેની વિરુદ્ધની વિચારધારાઓને તિલાંજલિ આપવામાં જ કલ્યાણ છે. વિકસિત એવા મનુષ્ય આદિ ભવોમાં જ દ્વાદશાંગીની ઉત્તમ આરાધના કરવાની કે ઘોર આશાતના કરવાની chances-તકો છે. એકેન્દ્રિય આદિ ભવોમાં તો આરાધના-આશાતનાની કોઈ પ્રબળ શક્તિ છે જ નહીં. શક્તિ વિનાના નબળા ભવોમાં તો બીજું કાંઈ કરવાનું છે જ નહીં. સબળા જીવો ધોકા મારે તો ખાવાના, વગર વાંકે ખાધે જ રાખવાના. બધા મારે, પીસે, છતાં મજબૂરીથી સહન કરે જ રાખવાનું. શક્તિસંપન્ન ભવમાં જ સત્કર્મ-કુકર્મ કરવાની તીવ્ર શક્તિઓ મળે. આવા ભવમાં મૂર્ખ-અજ્ઞાની-મિથ્યાદૃષ્ટિ જીવ દ્વાદશાંગીની ઘોર આશાતના કરી ડૂબે. પાત્ર જીવ સદ્દહણા-ઉપાસના કરી તરે. દ્વાદશાંગીના કોઈ પણ વચન સાંથે વૈચારિક વિરોધ પણ જોખમી છે એમ તમને લાગવું જોઈએ.
દા.ત. અત્યારે જૈનોમાં કેટલાય medical line-દાકતરી શાખામાં ભણીને ડૉક્ટરો થાય છે. ત્યાં જીવવિજ્ઞાન-biology જ એવું ભણાવે છે કે તે ભણનારને આત્મા આદિની શ્રદ્ધા જ તૂટી જાય . મોટે ભાગે નાસ્તિક જ બને. વળી, અબ્રહ્મને natural instinct-કુદરતી વૃત્તિ સમજાવે. આ તો સૃષ્ટિનો ક્રમ છે, એક biological demand છે, આવું જેના મગજમાં fit થઈ જાય તેને જીવનમાં બ્રહ્મચર્ય નિરુપયોગી દમન લાગે, અકુદરતી જીવન લાગે. દુનિયાના અનેક ધર્મોના સંન્યાસીઓ બ્રહ્મચર્ય પાળવું તે મહાન ગુણ છે, તે કેળવવા જેવો આચાર છે, તેનાથી આત્માનું સત્ત્વ, શક્તિ વગેરે ખીલે, શ૨ી૨બળ-મનોબળ પણ દૃઢ થાય તેમ માનીને પાળે છે કે સમાજને પાળવાની પ્રેરણા આપે છે. તે બધી વાતો તેને માટે હાસ્યાસ્પદ ગણાય. આવાં મહાઅસત્યો જેના મનમાં સ્થિર થઈ જાય તેને તીર્થંકરો-ગણધરો-મહામુનિઓ-પવિત્ર શ્રાવક-શ્રાવિકાનાં શીલવંત જીવન નકામાં લાગે; કારણ કે બ્રહ્મચર્યનો આદર્શ જ ન રહ્યો. જો વાસના કુદરતી હોય તો સાધકોએ બ્રહ્મચારી થવા જીવનમાં જે ભોગવાસનાનો ત્યાગ કર્યો, સદાચાર પાળ્યો, ઇન્દ્રિયોનો વિજય કર્યો, ઇન્દ્રિયોનો સંયમ કર્યો તે બધું નકામું થાય. આવા વિપરીત વિચારો જેના મગજમાં હોય તેને દ્વાદશાંગી સાથે અવશ્ય અશ્રદ્ધા, અબહુમાન, વૈચારિક વિરોધ, આશાતના હોય જ.
દ્વાદશાંગી ઉપર સદ્દહણા-બહુમાન માટે પહેલાં તો પાંચે ઇન્દ્રિયોને પહેલા નંબરની દુશ્મન માનવી પડશેઃ
તમને કોઈ પૂછે કે પાંચે ઇન્દ્રિયોને તમે મોજમજાનું સાધન માનો છો કે સાધનાનું સાધન ? ઇન્દ્રિયો મોજમજા કરવા માટે મળે છે, જીવનમાં જેટલી ઇન્દ્રિયોની મોજમજા મળે તેટલું જીવન સાર્થક, તેવું તો તમે નથી માનતા ને ?
સભા ઃ ઇન્દ્રિયો તો પુણ્યપસાયે મળી છે.
સાહેબજી : હા, પુણ્યથી મળી છે, પરંતુ પુણ્ય ઇન્દ્રિયોના વિકાર-વાસનાના સેવનથી નથી બંધાયું, ઇન્દ્રિયોના સંયમથી બંધાયું છે. જેણે પણ શક્તિનો સદુપયોગ કર્યો તેને તે શક્તિ મળે તેવું પુણ્ય બંધાયું. તમે ઇન્દ્રિયોને શક્તિ કહો તો મને વાંધો નથી. ૮૪ લાખ જીવાયોનિમાં એક એક ઇન્દ્રિયરૂપ શક્તિ અનંતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org