________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૬૩ ધર્મ સમજવા અને ધર્મ આચરવા આવ્યો છે. ખાલી વાતો કરવા આવ્યો નથી. તેને વિશ્વાસ બેસે તો સંસારના રાજવૈભવ-ભોગ બધું છોડી શરણ સ્વીકારવા તૈયાર છે. આવાનો વિશ્ર્વાસઘાત સત્યના જાણકારથી ન જ કરાય. આમાં શરણે આવેલાનું કાસળ નીકળે છે. વળી, ઉન્માર્ગનો વંશવેલો કેવો વધે છે તેનું 'આ અજોડ દૃષ્ટાંત છે. ભગવાન ઋષભદેવના પૌત્રથી જ નવા દર્શનનું બીજ રોપાયું. અસંખ્ય વર્ષનાં વહાણાં વાયાં તો પણ આજે સાંખ્યદર્શન પ્રવર્તી રહ્યું છે. અસંખ્ય વર્ષમાં સાંખ્યદર્શનના અસંખ્ય સાધુ થયા હશે, તે સર્વને અવળા માર્ગે ચડાવવાનું મરીચિ જ આદ્ય નિમિત્ત બન્યા. છતાં મરીચિ ઉત્કટ ઉસૂત્રભાષણના પરિણામવાળા ન હતા. પછી પણ ઉન્માર્ગ પ્રવર્તન અંગે થોડા સાવધાન હતા. તેમણે કપિલને દીક્ષા આપી પણ જાણે છે કે આ બાલ જીવ છે, તેને વેષ અને આચારમાં જ ધર્મબુદ્ધિ છે. તેથી તેને વેષ પકડાવી દીધો. જીવનમાં થોડા સંન્યાસીના સ્થૂલ આચાર બતાવ્યા. પરંતુ પોતાના મતના ઊંડા સિદ્ધાંતો કે તત્ત્વજ્ઞાન કશું સમજાવ્યું નહીં; કારણ કે મરીચિને ખબર છે કે જો કપિલને તત્ત્વ સમજાવવું હોય તો મારે આખી જિંદગી ભગવાનના સિદ્ધાંત વિરુદ્ધના સિદ્ધાંત સ્થાપિત કરવા પડે. જે માર્ગથી પડ્યા પછી પણ મરીચિને બહુ પસંદ નહોતું. એટલે ગુરુ એવા મરીચિએ કપિલને અબૂઝ રાખ્યો. આવા બાળબુદ્ધિ શિષ્ય સાથે વર્ષો સુધી પવિત્ર આચારમય જીવન જીવી, મૃત્યુ પામી, મરીચિ પાંચમા દેવલોકમાં ગયા. કપિલને પણ આસુરી નામનો એક શિષ્ય થયો છે અને તેની સાથે સંન્યાસના મરીચિએ બતાવેલા આચાર પાળતો વિચરે છે. કપિલ જીવનભર ગુરુને સમર્પિત હતો, એટલે ગુરુ જે આચાર બતાવી ગયા તે તપ, ત્યાગ, બ્રહ્મચર્ય આદિના યથાર્થ આચાર પાળી મરીને તે પણ પાંચમા દેવલોકમાં ગયો. પવિત્ર જીવનથી પુણ્ય બાંધ્યું છે, પરંતુ કપિલને ભગવા વેષ પર એટલી પ્રીતિ બંધાઈ કે દેવલોકમાં ગયા પછી પણ આ આપણો મત ફેલાય તો સારું એવી બુદ્ધિ છે. તેથી મનુષ્યલોકમાં આવીને પોતાના શિષ્ય આસુરીને સિદ્ધાંત ભણાવવાનું ચાલુ કર્યું. એટલે સાંખ્યદર્શનનો philosophical groundwork-ફીલોસોફીનો પાયો આસુરીથી ફેલાયો. કોઈ પણ ધર્મ, મજબૂત તત્ત્વજ્ઞાનની વિચારધારાથી જ પ્રભાવશાળી બને છે. સાંખ્યદર્શનનો આવો १ अमुमेवार्थं प्रतिपादयन्नाहप्रथमगाथागमनिका-'दुर्भाषितेनैकेन' उक्तलक्षणेन मरीचिर्दु:खसागरं प्राप्तः भ्रान्तः कोटीनां कोटी कोटीकोटी तां, केषामित्याह'सागरसरिनामधेज्जाणंति' सागरसदृशनामधेयानां, सागरोपमाणामिति गाथार्थः । द्वितीयगाथागमनिका-'तन्मूलं' दुर्भाषितमूलं संसार: संजातः, तथा स एव नीचैर्गोत्रं च कृतवान्-निष्पादितवान् 'त्रिपद्यां' प्राग्व्यावर्णितस्वरूपायामिति। 'अपडिक्कंतो बंभेत्ति' स मरीचिः चतुरशीतिपूर्वशतसहस्राणि सर्वायुष्कमनुपाल्य तस्मात् दुर्भाषितात् गर्वाच्च 'अप्रतिक्रान्तः' अनिवृत्तः ब्रह्मलोके दशसागरोपमस्थितिः देवः संजात इति। कपिलोऽपि ग्रन्थार्थपरिज्ञानशून्य एव तद्दर्शितक्रियारतो विजहार, आसुरिनामा च शिष्योऽनेन प्रवाजित इति, तस्य स्वाचारमात्रं दिदेश, एवमन्यानपि शिष्यान् स गृहीत्वा शिष्यप्रवचनानुरागतत्परो मृत्वा ब्रह्मलोक एवोत्पन्नः, स ह्युत्पत्तिसमनन्तरमेव अवधिं प्रयुक्तवान्-किं मया हुतं वा? इष्टं वा? दानं वा दत्तं? येनैषा दिव्या देवर्द्धिः प्राप्तेति, स्वं पूर्वभवं विज्ञाय चिन्तयामास-ममहि शिष्यो न किञ्चिद्वेत्ति, तत्तस्य उपदिशामि तत्त्वमिति, तस्मै आकाशस्थपञ्चवर्णमण्डलकस्थः तत्त्वं जगाद, आह च-'कपिलो अंतद्धिओ कहए' कपिल: अन्तर्हितः कथितवान, किम?-अव्यक्तात व्यक्तं प्रभवति, तत: षष्टितन्त्रं जातं, तथा चाहुस्तन्मतानुसारिण:- "प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च ભૂતના?" ત્ય, મનં વિસ્તરેખ, પ્રતં પ્રસ્તુતિ થાર્થ:૪૨૮-૪૩૨)
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ४३८-४३९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org