________________
૨૬૨
ભાવતીર્થ - દ્વાદશાંગી સાધુઓ પાળે છે અને શ્રાવકધર્મ તેમના શ્રાવકો પાળે છે. મારી પાસે તે સિવાય કોઈ સ્વતંત્ર ધર્મ નથી. આ ભગવા વેષમાં ધર્મતત્ત્વ સમાયેલ નથી.” એમ મરીચિએ સ્પષ્ટ કપિલને કહેવું પડે. મરીચિ આખા સમવસરણમાં એક variety-વિશેષતા છે. ભગવાં વસ્ત્ર, કમંડલ, છત્ર, ચાકડી, સોનાની જનોઈ ધારણ કરેલ છે. વળી, મરીચિ પ્રબળ પુણ્યશાળી છે. તેથી જન્મકાળથી જ તેજનાં કિરણોના પુંજ જેવું તેજસ્વી રૂપસંપન્ન શરીર મળેલ છે. જ્ઞાનપ્રતિભાનો પણ પાર નથી. પ્રચંડ પુણ્યશાળી રાજપુત્ર છે. તેમણે ઉપદેશ દ્વારા હજારોને પ્રભાવિત કરી દીક્ષા અપાવી છે. અનેકને ઋષભદેવ ભગવાનના શિષ્ય બનાવ્યા છે. મરીચિની personality-વ્યક્તિત્વ એવી છે કે ભલભલા અંજાઈ જાય. કપિલ પણ રાજકુમાર છે. તેને વૈરાગ્યથી નીતરતી, સંવેગમય જિનવાણી ફાવી નથી, એ અપેક્ષાએ ભારે કર્મી જીવ છે. તેની નજર મરીચિ પર ગઈ. પરંતુ મરીચિએ ફરી તેને જિનવાણી સાંભળવા મોકલ્યો. પણ તેને કંઈ ઉપદેશ પરિણામ પામ્યો નહીં, એટલે પાછો મરીચિ પાસે આવ્યો. શ્રોતા તરીકે કપિલ રાજકુમાર છે, જિજ્ઞાસુ છે. વળી, તમારી જેમ વાતો કરીને ઘર ભેગો થાય તેવો નહીં પરંતુ રાજપાટ છોડીને સંન્યાસ લેવા તૈયાર થશે. એટલે એમ ને એમ માત્ર કુતૂહલથી નથી આવ્યો, પણ ધર્મ સમજવા, ધર્મ પામવા આવ્યો છે. માત્ર તે સૂક્ષ્મ આચાર કે ઊંડા તત્ત્વને સમજી શકે તેવો પ્રાજ્ઞ જિજ્ઞાસુ નથી. તેથી પાછો આવીને મરીચિને કહે છે કે મને તમારા મનમાં રસ છે. મરીચિ સમજી ગયા કે આ મારા માટે યોગ્ય વ્યક્તિ છે. છતાં સાધુઓ પાસે શ્રેષ્ઠ ધર્મ છે તેમ મરીચિ કહે છે. તેથી કંટાળીને કપિલ પૂછે છે કે “ત્યાં ધર્મ છે તો તમારી પાસે ધર્મ જ નથી ?” એટલે મૂંઝાયેલા મરીચિએ લોભથી વિધાન કર્યું કે “અહીં પણ ધર્મ છે.” આ વિધાનમાં અહીં શબ્દની સ્પષ્ટતા નથી કરી કે “મારી પાસે શ્રાવકધર્મ છે જે ઋષભદેવ ભગવાને કહેલ છે, તે સિવાય નવો ધર્મ મારી પાસે નથી.”
સભાઃ એવું કહ્યું નહીં પણ એમની બુદ્ધિમાં તો હશે ને ?
સાહેબજી ઘરાકને છેતરવા ખોટા ભાવ કહે અને પછી દાવો કરે કે મારી બુદ્ધિમાં સાચો ભાવ હતો એટલે મેં છેતર્યા ન ગણાય, તો ચાલે ? ખબર હોવા છતાં સામેવાળાને છેતરે તે ધૂતારો જ ગણાય. સાચું જાણવા છતાં સ્વાર્થથી ખોટું કહે તે અસત્ય જ છે. વળી, 'અહીં તો જીવન સમર્પિત કરીને શરણે આવનાર છે, તેને ગેરમાર્ગે દોરી જીવનભરનો વિશ્વાસઘાત કર્યો, જે મહાપાપ જ ગણાય. કસાઈ બકરાં કાપે તેના કરતાં શરણે આવેલાનું ગુરુ આ રીતે કાટલું કાઢે તો કસાઈ કરતાં તેને વધારે પાપ લાગે. અહીં કપિલ બાળ જીવ છે છતાં જિજ્ઞાસાથી
१ स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य" [उपदेशमाला-५१८] ।
(વાર્વિશિક્ષા રોજ ૨૬ ટીવા) न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याह'जह' गाहा, यथा शरणं भयार्तप्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलंकारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तु शब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतौ क्षिपतीति ।।५१८ ।। (उपदेशमाला श्लोक ५१८ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org