SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o ભાવતીર્થ - દ્વાદશાંગી સમાયેલી છે. અસ્તિત્વમાત્ર સાપેક્ષ છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નિરપેક્ષ અસ્તિત્વ ધરાવતી જ નથી. જે સાપેક્ષ છે તે બધું સત્ય છે એવું નથી કહ્યું, પણ જે સત્ય છે તે બધું સાપેક્ષ જ છે. આ દુનિયામાં નિરપેક્ષ કદી સત્ય હોય તેવું બને જ નહીં. નિરપેક્ષ સત્યનો એક પણ દાખલો આપી શકાય તેમ નથી. જૈનદર્શન અનુસાર સાપેક્ષતા universal-સાર્વત્રિક છે. જ્યારે આઈન્સ્ટાઈનની સાપેક્ષતા ત્રણ વસ્તુમાં જ છે. (૧) space, (૨) time અને (૩) motion. (અવકાશ, સમય અને ગતિ.) તેમાં પણ હવે તો કેટલાય વિરોધાભાસો ઊભા થયા છે. ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો કહે છે કે આ થિયરીમાં ગોટાળા છે. આજથી આઠ વર્ષ પહેલાં મારે સારા relativityના expert સાથે sitting થયેલું-સાપેક્ષતા સિદ્ધાંતના નિષ્ણાત સાથે વાર્તાલાપ થયેલો. તેમાં તેમણે કહેલ કે આ આઇન્સ્ટાઇનની થિયરીની પૂર્વધારણાનો નિયમ એ છે કે, કોઈ પણ પદાર્થની ગતિ પ્રકાશની ગતિથી વધારે ન હોય. પ્રકાશ એક સેકન્ડમાં એક લાખ ૮૦ હજાર માઈલની ગતિ કરે છે. મેં પૂછ્યું કે આ માનવાનો આધાર શું ? તો કહેલ કે આનાથી આગળની ગતિ ઉપલબ્ધ નથી, માટે ઉત્કૃષ્ટ ગતિ આટલી છે તેમ માનીને થિયરી ચાલે છે. મેં કહ્યું કે તમારી પાસે માપવાના સાધનો ઓછી ક્ષમતાવાળાં હોય તેથી પ્રકાશથી તીવ્ર ગતિ માપી ન શકો તેવું બને, પરંતુ તેથી વિશ્વમાં તેનાથી ઉત્કૃષ્ટ ગતિ અસ્તિત્વ ધરાવતી જ નથી તેમ માનો તો તે ભ્રમ ન કહેવાય ? જૈનશાસ્ત્રો તો આના કરતાં વધારે ગતિ સ્વીકારે છે, અને અમને તો વિશ્વાસ છે કે વધારે ગતિ માનવી જ પડે. હવે આટલાં વર્ષો પછી વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ હાઉકિન્સે સ્પષ્ટ લખ્યું કે આના કરતાં વધારે ગતિ ઉપલબ્ધ થાય છે. તેથી પ્રકાશની ગતિને ઉત્કૃષ્ટ ગતિ માનવી તે ભ્રમ છે. વિજ્ઞાનમાં અગડમુ-બગડમ્ ચાલ્યા જ કરે, છતાં વાતો રુઆબ સાથે કરે. વિશ્વમાં તીર્થકરોએ જે સિદ્ધાંતો આપ્યા છે તે હજારો વર્ષ પછી પણ સુધારા-વધારા વગર સત્યતાની ઝાંખી કરાવે છે. આજે પણ જૈનસાપેક્ષવાદ સમજી-વિચારે તો તાજ્જુબ થઈ જાય તેવી તેમાં વાતો છે. સર્વ વિધાનો નયસાપેક્ષ જ હોઈ શકે, તે વાતને જૈનશાસ્ત્રોએ લાખો તર્ક આપીને સાબિત કરી છે. સામાન્ય ભાષાપ્રયોગ પણ સાપેક્ષ હોય તો જ સત્ય બને. દા.ત. આ કપડું છે પણ તે રૂમાંથી બનેલ છે, ઊનમાંથી નહીં; અર્થાત્ સુતરની અપેક્ષાએ તે કપડું છે પણ ઊનની અપેક્ષાએ તે કપડું નથી. એમ, એક માણસ અહીં છે અર્થાત્ તે બીજે નથી. વર્તમાનમાં પણ તે માણસનું એક જગ્યાએ અસ્તિત્વ છે, તો બીજી જગ્યાએ અસ્તિત્વ નથી. આમ, અસ્તિત્વમાત્રમાં સાપેક્ષતા સમાયેલી જ છે, કોઈ વસ્તુ એકાંતે સાબિત ન કરી શકાય. તમે કહો કે આ માણસ નિષ્ણાત-જાણકાર છે, તો તે પણ કોઈ વિષયની અપેક્ષાએ હશે. જેમ ડૉક્ટર medical scienceમાંઔષધશાસ્ત્રમાં જાણકાર છે પણ કાયદાશાસ્ત્રમાં અનિષ્ણાત છે. વળી, નિષ્ણાત ડૉન્ડર પણ ગળાનો છે, આંખનો નથી. અર્થાત્ પ્રત્યેક વિધાનમાં સાપેક્ષતા જોડવી જ પડે. એકાંતથી ગ્રસ્ત બુદ્ધિ જે વિધાન કરે તે મિથ્યા જ હોય. અનેકાંતદષ્ટિમાં સમ્યક્ત છે, એકાંતદષ્ટિમાં મિથ્યાત્વ છે; અનેકાંત સમ્યક્તનું બીજ છે, એકાંત મિથ્યાત્વનું બીજ છે. સર્વ કદાગ્રહનો નાશ કરનાર અનેકાંતદષ્ટિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy