________________
૨૫૪
ભાવતીર્થ - દ્વાદશાંગી ઉદ્ભવી છે. પ્રત્યેક દર્શન કોઈ નયના આધારે પ્રગટ્યું છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રંથમાં આ વાતનું વર્ણન કરતાં કહ્યું કે – बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां सङ्ग्रहात्।
साङ्ख्यानां तत एव नैगमनयाद योगश्च वैशेषिकाः।। शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता। जैनी दृष्टिरितीहसारतरता प्रत्यक्षमुवीक्ष्यते।।६।।
જિનમતસ્તુતિગળવાર ગાથાર્થ બૌદ્ધધર્મ ઋજુસૂત્રનયમાંથી, વેદાંતદર્શન અને સાંખ્યદર્શન સંગ્રહનયમાંથી, યોગદર્શન અને વૈશેષિકદર્શન નૈગમનયમાંથી અને શબ્દબ્રહ્મવિદોનું દર્શન શબ્દનયમાંથી નીકળ્યું છે. જ્યારે સર્વ નયોથી ગૂંથાયેલી જૈનદર્શનની દૃષ્ટિ આ બધાં દર્શનોમાં શ્રેષ્ઠ સારયુક્ત છે, જે પ્રત્યક્ષ દેખાય છે. આવા
મહાપ્રજ્ઞાસંપન્ન ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીને સર્વ દર્શનોનો સ્રોત જિનશાસન છે તે વાત પ્રત્યક્ષસિદ્ધ જણાય છે. આ વિધાન પરથી દ્વાદશાંગી સર્વ ફીલોસોફીનું ઉદ્ગમસ્થાન છે તે વાતની મજબૂતાઈ વિચારી શકશો.
સભા : અનાર્ય દર્શનો શેમાંથી નીકળ્યાં છે ?
સાહેબજીઃ તે પણ તે તે નયોના તૂટક અંશોમાંથી જ નીકળ્યાં છે; કારણ કે ત્યાં પણ આત્મા, પરલોક, પુણ્ય-પાપ આદિ તત્ત્વની વાત ભૂલથી આવે જ છે. પણ તેમાં મોક્ષલક્ષિતા નથી, બાકી તો નાસ્તિકની ફીલોસોફી પણ નયમાંથી જ નીકળી છે એમ જૈનશાસ્ત્રો કહે છે. આથી ' દ્વાદશાંગી સર્વનયગર્ભિત છે. તે તે નયોનો વિપરીત વિસ્તાર જ મિથ્યાધર્મ છે અને તેનો સમ્યક સમન્વય જૈનશાસન છે.
દ્વાદશાંગીની વ્યાપકતા એવી છે કે તેમાં આખો સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ પણ સમગ્રતાથી વર્ણવાયેલો છે. આલોક અને પરલોકનાં સુખનાં સાધન, તેમ મોક્ષસુખના ઉપાયો પણ દ્વાદશાંગીમાં વર્ણવેલ છે. ભૌતિક અને આત્મિક સર્વ વસ્તુઓનું વિવેચન તેમાં છે.
१ मिथ्यात्ववासनानिर्मूलनक्षमजाह्नवीजलनिर्मलपरस्परविरोधलेशवर्जितसप्तनयविशुद्धद्वादशांगीप्रणयन
(માધ્યાત્મિક પરીક્ષા પત્નો ૨ટીવા) २ अथवा वैषयिकाणां सुखानां मुक्तिसुखस्य च सर्वेषां सुखानां मूलबीजं जिनशासनम्। सर्वे च तेऽर्थाश्च सर्वार्थाः पञ्चास्तिकायाः ससमयाः सर्वेषु सर्वार्थेषु यो विनिश्चयः परिच्छेदः एवं संसारस्थितिघटना मुक्तिमार्गश्चेति तं प्रकाशयति प्रतिपादयति जैनमेव शासनम्।
(प्रशमरतिप्रकरणम् श्लोक ३१३ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org