________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૫૧ તો સૂત્રાત્મકતા અને અર્થાત્મકતારૂપ તફાવત કેમ ? તેનો જવાબ આપતાં કહ્યું કે તીર્થકરો બીજરૂપે બોલે છે અને ગણધરો તે વાત લોકને સરળતાથી સમજાવવા વિશાળ કદવાળા ગ્રંથરાશિરૂપે કહે છે. સૂત્રમાં તત્ત્વ ઓછું છે, શબ્દરૂપે વર્ણનાત્મક વિસ્તાર વધારે છે; કેમ કે તીર્થકરો બીજરૂપે જે શબ્દો બોલે છે તે એક એક શબ્દમાં જે અપાર તત્ત્વ ભર્યું છે, તે અપેક્ષાએ ગણધરરચિત સૂત્રમાં તત્ત્વ ઓછું છે. છતાં અમારા જેવા મંદબુદ્ધિની અપેક્ષાએ એક સૂત્રમાં પણ અનંતા અર્થ છે. માત્ર તીર્થકરની વાણીમાં જેટલા તત્ત્વરૂપ અર્થ છે, તેના કરતાં ગણધરરચિત સૂત્રમાં અર્થ ઓછો છે, શબ્દ વધારે છે. વળી, ગણધરરચિત સૂત્રમાં જે અર્થ છે તે પણ તીર્થકરની અર્થમય વાણીની ફલશ્રુતિ જ છે. તેથી સૂત્રમય દ્વાદશાંગી કરતાં અર્થમય દ્વાદશાંગી અતિશય મહાન છે. ટૂંકમાં, ગણધરરચિત સૂત્રમય દ્વાદશાંગીના જેટલા શબ્દો લ્યો, તેટલા જ શબ્દોના કદવાળી તીર્થકરની વાણીમાં કંઈગણો તત્ત્વરૂપ અર્થ નીકળે. આ બીજરૂપ વાણી તે તીર્થકરોનો અતિશય છે, અને તેના હાર્દને સૂત્રરૂપે તત્કાળ શબ્દદેહ પ્રદાન કરવો તે ગણધરોનો અતિશય છે. બંનેનું કામ જગદુદ્ધારનું જ છે છતાં બંનેની પરોપકારશક્તિ જુદી છે. તીર્થકરોની ઉત્કૃષ્ટ પરોપકારની ભાવના તેમનામાં ઉત્કૃષ્ટ પરોપકારની શક્તિ પ્રગટાવે છે. તે અપેક્ષાએ ગણધરોની પરોપકારશક્તિ ન્યૂન છે છતાં તે પણ મામૂલી નથી. તીર્થકરો પછી next-તરતનું પરોપકારનું સામર્થ્ય ગણધરોનું જ છે. પૂર્ણજ્ઞાની કેવલી જે પરોપકાર ન કરી શકે તે ગણધરો કરી શકે. તીર્થકરોની દેશનાના રહસ્યને સૂત્રાત્મક સંગ્રહિત કરીને વારસારૂપે પ્રદાન કરનારા ગણધરો જ છે, તે જ તેમના શાસનમાં અનન્ય ઉપકાર છે. તીર્થકરો, ગણધરો બધા કાલક્રમે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષે જવાના. પૂર્ણ સાધકો આ ધરાતલ પર કાયમ માટે કોઈ હયાત નથી રહેવાના, પરંતુ વારસારૂપે આપવા રચાયેલાં સૂત્રો જ અવિચ્છિન્ન તારક બને છે. સાક્ષાત્ તીર્થકરની વાણીથી જેટલા સાધકો ન તરે એટલા આ વારસારૂપ સૂત્રાત્મક દ્વાદશાંગીથી કરે છે. તેથી સૂત્રમય દ્વાદશાંગી પણ તીર્થ છે, મહામહિમાવંત છે; અને અર્થમય દ્વાદશાંગી તો તેનો પણ મૂળ સ્ત્રોત છે, તેથી તેની મહાનતા તો વર્ણનાતીત છે. આ સૂત્રમય-અર્થમય ઉભય
प्रभूतार्थमर्थमात्रं स्वल्पमेव अभिधत्ते, न त्वितरजनसाधारणं ग्रन्थराशिमिति, अत आहगाथेयं प्रायो निगदसिद्धैव, चालनाप्रत्यवस्थानमात्रं त्वभिधीयते-कश्चिदाह-अर्थोऽनभिलाप्यः, तस्य अशब्दरूपत्वात्, अतस्तं कथमसौ भाषत इति, उच्यते, शब्द एव अर्थप्रत्यायनकार्यत्वाद् उपचारतः खलु अर्थ इति, यथा आचारवचनत्वाद् आचार इत्यादि, 'निपुणं' सूक्ष्मं बह्वर्थं च, नियतगुणं वा निगुणं, सन्निहिताशेषसूत्रगुणमितियावत्, पाठान्तरं वा 'गणहरा निपुणा निगुणा વા' ા૨ાા
(માવનિવિન પર્વ ભાણ રોજ ૨૨ ટીવા) अर्थशब्दस्यार्थमाह-य: सूत्रस्याभिप्रायः सोऽर्थोऽभिधीयते यस्मादर्यते गम्यत इत्यर्थः ।।१३६९।।
(વિશેષાવરમાણ સ્નોવા રૂદ્રટીવા) २ तेणं इमस्स भव्व-सत्तस्स मणगस्स तत्त-परिन्नाणं भवउ त्ति काऊणं जाव णं दसवेयालियं सुयक्खंधं णिज्जूहेज्जा। तं च वोच्छिण्णेणं तक्काल-दुवालसंगेणं गणिपिडगेणं जाव णं दूसमाए परियंते दुप्पसहे तावणं सुत्तत्थेणं वाएज्जा। से य सयलागमनिस्संदं दसवेयालिय-सुयक्खधं सुत्तओ अज्झीहीय गोयमा! से णं दुप्पसहे अणगारे तओ तस्स णं दसवेयालियसुत्तस्साणुगयत्थाणुसारेणं तहा चेव पवत्तेज्जा, णो णं सच्छंदयारी भवेज्जा। तत्थ य दसवेयालिय-सुयक्खंधे तक्कालमिणमो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org