________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૪૫ પામવા શ્રદ્ધા તત્ત્વ પર રાખવાની છે. તત્ત્વ એટલે સંસારનું પરમ સત્ય. આ સંસારનાં જેટલાં પારમાર્થિક સત્યો છે તે સર્વ પર તમને શ્રદ્ધા થશે, વિશ્વાસ બેસશે, સચોટ ખાતરી-નિર્ણય થશે તો જ તે શ્રદ્ધા સાચી સમજવી. બાકી ખાલી વાતોનો કોઈ મતલબ નથી. સમ્યક શ્રદ્ધા આવે એટલે વિચારસરણી બદલાયા વગર રહે નહીં.
દ્વાદશાંગીનું દરેક વચન પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે :
'અત્યારે તો તમને દ્વાદશાંગીરૂપ શાસ્ત્રોનો મહિમા સમજાવું છું. પ્રત્યેક જિનવચનમાં પૂર્ણજ્ઞાનીના જ્ઞાનની પૂર્ણતાની છાંટ છે, જેને પારખવા અવિરોધી આદર્શ, આચાર અને સિદ્ધાંતની કસોટી કહી છે. પ્રત્યેક જિનવચનમાં આખા જગતને તારવાની તાકાત છે. તમને વિશ્વાસ જોઈએ કે જે જગતતારક છે તે મારા આત્માને પણ અવશ્ય તારશે, વહેલા-મોડા ગમે ત્યારે તરીશ તો આનાથી જ તરીશ. “સંપૂર્ણ દ્વાદશાંગીમાં જ તારકતા છે અને અધૂરી દ્વાદશાંગી આપણને તારી ન શકે, હાલનાં શાસ્ત્રો તો અપૂર્ણ છે, તેને પૂર્ણ આધાર કઈ રીતે મનાય ?” તેવો ભ્રમ રખે કરતા. પ્રત્યેક જિનવચનમાં સાંગોપાંગ કલ્યાણમાર્ગ દર્શાવવાની તાકાત છે. દ્વાદશાંગીનાં ત્રુટક વચનો પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે. તીર્થંકરના દરેક વચનમાં અનુયાયીને છેક મોક્ષ સુધી પહોંચાડવાની ક્ષમતા છે; કારણ કે સર્વ વચનો સાચો આદર્શ, આચારસંહિતા અને સિદ્ધાંતોથી ભરપૂર છે. એક વચન જે રાહ બતાવે તેનું યથાર્થ પાલન કરનાર પણ ચોક્કસ પાર પામે. ભગવાનનું કોઈ વચન બીજા વચન સાથે વિરોધાભાસી નથી, પણ પ્રત્યેક વચન એકબીજાના પૂરક અને સમન્વયશાળી છે. એકને પણ બરાબર વળગીને ચાલો તો તમારી બુદ્ધિ ક્રમશઃ નિર્મળ થાય, સર્વ વચનની શ્રદ્ધા-રુચિ-સમજણ આપમેળે ભાવિમાં પ્રગટે. જેનાં ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતમાં અવિરોધિતા હોય તે નિશ્ચિત ફળદાયી જ હોય. અધ્યાત્મના માર્ગમાં આવાં વચનો જ સાધકને રાહબર(guide) છે. મહામહિમાશાળી દ્વાદશાંગીમાં દુનિયાની તમામ ફિલોસોફીનાં મૂળ છે ?
આ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રનો મહિમા ગમે તેટલો ગાઈએ તો ઓછો છે. તમે દેવવંદન, પ્રતિક્રમણ આદિ
१ एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं । ।३०२१।। ।
(વિશેષાવર્ષમાગ-૨) ★ एकस्मिन्नपि यत्र वीतरागोक्ते पदे सति जीवः संवेगं गच्छति, “येन च पदेन विरागत्वं भवति निर्वेदमुपैति, तत् तस्यैकमपि पदं समस्तमोहजालोच्छेदहेतुत्वात् संपूर्णद्वादशाङ्गरूपं ज्ञानमेव भवति, तत्कार्यकर्तृत्वात्, किं पुनरनेकपदात्मको नमस्कारः संपूर्णद्वादशाङ्गज्ञानं न भविष्यति?' इत्यनया भङ्ग्या नमस्कारस्य द्वादशाङ्गरूपतां साधयन्नाह
(વિશેષવિરથમ સ્નો રૂ૦૨૦-૨૦૨૨-૨૦૨૨ટીવા) २. पूर्वापरविरुद्धादेर्व्यपेतो दोषसंहतेः । द्योतकः सर्वभावानामाप्तव्याहतिरागमः।।
| (svg મટા (થવા ) ૨,પૃ.૨૨ ૦ ૨૨૩ ૩) 3 स्फुरन्ति सर्वे तव दर्शने नयाः, पृथग् नयेषु प्रथते न तत् पुनः। कणा न राशौ किमु कुर्वते स्थिति, कणेषु राशिस्तु पृथग् न વર્તતાાદરૂા. '
(શહેશ્વરપાર્શ્વનાથસ્તોત્ર-૩છે. છન (તોત્રાવિત્રી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org