SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ભાવતીર્થ - દ્વાદશાંગી નકામાં. તમને એકદમ સ્પષ્ટ દૃષ્ટિ પ્રગટવી જોઈએ કે મારા આત્મામાં જે દુઃખ-સંતાપ છે તેનાથી મારે મુક્ત થવું જ છે, પૂર્ણ સુખી થવું જ છે. આવા અભિલાષકને શાસ્ત્ર મોક્ષનું સ્પષ્ટ ધ્યેય બતાવે છે. તમે સ્વયં ધ્યેયને સ્પષ્ટ ન કરી શકો તો તેને શાસ્ત્રો દિગ્દર્શક બની સ્પષ્ટ કરે છે. જે દિશા બતાવે, આદર્શ બતાવે તે શાસ્ત્ર પ્રાથમિક ગુણવત્તાયુક્ત સમજવાં. આવાં પણ વચનો આચાર બતાવવામાં અધૂરાપણું રાખે તો ધ્યેય સુધી ન પહોંચાડી શકે. અરે ! કદાચ આચાર પણ બરાબર જણાવે, પણ સિદ્ધાંતો ઊલટા હોય તો તેમાં પણ પૂર્ણ તારકતા ન સંભવે. જેને શરણ સ્વીકારી તરવું છે તેને આ ત્રણ ગુણવત્તાયુક્ત શાસ્ત્ર જ આધાર છે, તે જ સમ્યક તીર્થ છે. દ્વાદશાંગીના એક એક વચનમાં આ ગુણવત્તા છે. 'પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું કે એક એક જિનવચનથી અનંતા મોક્ષે ગયા છે. “નમો અરિહંતાણં પદ સાંભળીને પણ અનંતા જીવો મોક્ષે ગયા છે. પ્રત્યેક જિનવચનમાં અપાર તારકશક્તિ છે. એક એક જિનવચન તીર્થસ્વરૂપ જ છે. દરેક વચન આ સૃષ્ટિના નક્કર સત્યને કલ્યાણકારી દૃષ્ટિકોણથી રજૂ કરે છે. જેને દ્વાદશાંગીના પદ પદે આદર્શ, આચાર અને સિદ્ધાંતની સમન્વિતતા દેખાય તે સર્વજ્ઞવચનના હાર્દને પ્રત્યક્ષ જોઈ શકે છે. સભાઃ અમને તો માત્ર શ્રદ્ધા છે. સાહેબજીઃ અખતરો કરીએ એટલે ખબર પડે કે કેટલી શ્રદ્ધા છે. શ્રદ્ધાનો આકાર-સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે તમેવ સર્વાંનિસવ =નિહિં પડ્યું આ જગતમાં તે જ સત્ય છે, તે જ તત્ત્વ છે જે જિનેશ્વરદેવોએ કહ્યું છે. આમાં મીનમેખ ફેર ન ચાલે, બીજા કોઈની વિચારધારાનો પ્રભાવ કે તમારું દોઢ-ડહાપણ તેમાં ન રખાય. ઘણા શાસ્ત્રની વાતોમાં કહે કે આ કંઈ બેસતું નથી, માની શકાય તેમ નથી, આમાં વિશ્વાસ ઊભો થતો નથી. આવો બબડાટ ન ચાલે. હા, શાસ્ત્ર સર્વજ્ઞનું વચન છે કે અસર્વજ્ઞનું વચન છે તે નક્કી કરવા તેની ચકાસણીમાં કોઈ કમીના-ખામી રાખવાની નથી. અમે એવું નથી કહેતા કે તમે આલતુ-ફાલતુનું વચન પણ સ્વીકારો. ગમે તેવા માણસના વચનને સ્વીકારવાથી આપણું કલ્યાણ નહીં થાય. ઢંગધડા વગરનાં વચનો પર આસ્થા રાખવાથી, વિશ્વાસ રાખવાથી જીવનમાં ભટકાઈ જવાનું આવે. અંધશ્રદ્ધાને જૈનશાસનમાં સ્થાન નથી. ઊલટું તેની તો આપણાં શાસ્ત્રોમાં નિંદા છે. અંધશ્રદ્ધાનો આગ્રહ નથી, પણ પૂર્ણજ્ઞાનીના વચનની ખાતરી થયા પછી શ્રદ્ધામાં કોઈ કમીના ન ચાલે. કોઈ ધર્મશાસ્ત્રો નાગદેવતા, ગાયદેવતા, પૃથ્વીદેવતા, અગ્નિદેવતા, પાણીદેવતા કહે એટલે માની લેવાનું નથી. આ બધાં તો અબૂઝ પ્રાણીઓ કે અશક્ત જીવજંતુઓ છે. ગમે તેને ભગવાન કે પૂજ્ય માનવા તે શ્રદ્ધાનો કોઈ મતલબ નથી. કોઈ થાંભલામાં, ભીંતમાં કે પથરામાં પણ પૂજ્યતા માને, પરંતુ તે અંધશ્રદ્ધાનો જ એક પ્રકાર છે. જૈનશાસ્ત્ર કહે છે કે તત્ત્વને સમજો, વિચારો, નિશ્ચિત કરો; તત્ત્વની શ્રદ્ધા એ જ સમ્યક્ત છે, આંધળો વિશ્વાસ એ સમકિત નથી. સમકિત પામવા શ્રદ્ધાળુણ વિકસાવવો પડે. સમ્યગ્દર્શન શ્રદ્ધા સાથે જોડાયેલું છે. જેનામાં ૧૦૦% તત્ત્વની શ્રદ્ધા છે તેનામાં જ સમકિત આવે. પણ અંધશ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા કરશો તો મિથ્યાત્વ વધશે. ગમે ત્યાં શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ જ દઢ થાય છે. સમ્યગ્દર્શન १ एकमपि तु जिनवचना-द्यस्मानिर्वाहकं पदं भवति। श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ।।२७ ।। (तत्त्वार्थसूत्र आद्यकारिका मूल) २ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्।।३।। (तत्त्वार्थसूत्र प्रथम अध्याय) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy