________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૪૩ વચન પણ અધૂરા જ્ઞાનની નિશાની છે. તેને અનુસરવાથી કે સમર્પિત થવાથી નિષ્ફળતા જ મળે, કલ્યાણ ન થાય. તેથી જે વચન આદર્શ, આચાર અને સિદ્ધાંતથી અવિરોધી તેમ જ ત્રણેયનું યથાર્થ બોધક હોય તે જ વચન સર્વજ્ઞવચન છે. ગમે ત્યાં રહેલું આવું વચન તત્ત્વથી પૂર્ણજ્ઞાનીનું જ વચન છે. તેને અનુસરવામાં ચોક્કસ કલ્યાણ સમાયેલું છે. જેમ સામાયિકસૂત્ર દ્વાદશાંગીનું પ્રથમ સૂત્ર છે, તીર્થકરો પણ દીક્ષાગ્રહણ અવસરે પ્રતિજ્ઞાબદ્ધ થવા આ સૂત્ર બોલે છે. તે સૂત્રમાં આત્મામાં સમત્વનો આય કરવાનું ધ્યેય બતાવેલ છે. આખું જગત કષાય-ફ્લેશ-વિકારોથી ત્રસ્ત છે, દુઃખી છે, રાગ-દ્વેષરૂપી વિષમતાથી ભરપૂર છે. તે વૈષમ્યના દુઃખમાંથી મુક્ત થઈ નિર્વિકારી સમતાના સુખને પામવાના ધ્યેયથી સમનો આય દર્શાવ્યો છે, જે આદર્શ તરીકે ઉત્તમ છે. પરંતુ આદર્શથી વિરુદ્ધ ક્રિયા-આચાર દર્શાવ્યો હોય તો ધ્યેયપ્રાપ્તિ શક્ય ન બને. સામાયિકમાં ધાંધલ-ધમાલ, હસી-મજાક, ગીત-નૃત્ય-સંગીત, ટેસથી ખાવું-પીવું આદિ ક્રિયાઓ હોય તો તે ધ્યેયવિરુદ્ધ ક્રિયા છે. કારણ કે તેનાથી તમારા રાગ-દ્વેષ-વિકારો-મોહ-આસક્તિ વગેરેની પુષ્ટિ થાય છે. પરંતુ સામાયિકના અનુષ્ઠાનમાં તો સર્વ સાવદ્ય-પાપપોષક ક્રિયાઓનો ત્યાગ દર્શાવ્યો છે અર્થાત્ એક પણ ઇન્દ્રિયના વિકારો કે રાગ-દ્વેષને પોષે તેવું વર્તન નથી. તેથી ધ્યેયને અનુરૂપ ક્રિયા છે. હવે પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતની રૂએ જો આત્મા અપરિવર્તનશીલ જ હોય, તો વિકારયુક્ત આત્મા કદી પણ રાગ-દ્વેષવિરોધી આચારના પાલનથી નિર્વિકારી બની સમતા ન જ પામી શકે. તેથી ઉત્તમ આચાર પાળવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. તેથી સિદ્ધાંતરૂપે આત્મા પરિવર્તનશીલ છે તે અવશ્ય સ્થાપિત કરવું પડે, જે આ સૂત્રમાં કરેમિ’ અને ‘પચ્ચક્ઝામિ'રૂપ ક્રિયાવાચક શબ્દો દ્વારા સ્પષ્ટ અભિવ્યક્ત થાય છે. તેથી આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી આ સૂત્ર છે, જે તેમાં રહેલી તારકતાનો નક્કર પુરાવો છે. આવા નિશ્ચિત શુભ ફળદાયી શાસ્ત્રોને સમર્પિત થનાર કલ્યાણ પામે છે. પૂર્ણજ્ઞાનીના વચનોની ગુણવત્તાનું આ નિયત ધોરણ છે. દ્વાદશાંગીના એક એક વચનથી અનંતા મોક્ષે ગયા છે :
જૈનશાસ્ત્રોમાં એવું કોઈ સૂત્ર નહીં મળે કે જેમાં આદર્શ અભિવ્યક્ત ન થતો હોય. જે જ્ઞાન તમારા જીવનમાં આદર્શ ન બતાવે તે ખાલી બોજો છે. બુદ્ધિની કસરત કરવા જ્ઞાન મેળવવાનું નથી, પણ જીવનમાં સાચો રાહ, સાચી દૃષ્ટિ મેળવવા જ્ઞાન સાધન છે. જેને દૃષ્ટિ પામવી હોય તેને આદર્શોની અવશ્ય જરૂર પડશે. ધર્મ પહેલાં તમારી જાતની વાત કરે. તમારે જીવનમાં શું પામવું છે, આદર્શ-ધ્યેય તરીકે તમારે શું પામવા જેવું છે તે શાસ્ત્ર સૂચવે છે. તમને તમારી જાતની વાતમાં રસ ન હોય અને ગામની પંચાતમાં રસ હોય તો શાસ્ત્રોના આદર્શો નહીં ગમે. 'પૂર્વધર પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે લખ્યું કે જેનશાસ્ત્રનું એક પણ વચન એવું નથી કે જે સંવેગ પેદા ન કરે અર્થાત્ મુક્તિનો આદર્શ ન દર્શાવે તેવું કોઈ શાસ્ત્રવચન નથી. જૈનશાસ્ત્રના પદે પદે સંવેગ ભર્યો છે. જેને સંવેગ ન ગમે તેને આ શાસ્ત્ર કદી ગમવાનાં નથી. તે આ શાસ્ત્ર વાંચે-ભણે તો પણ તેને માટે
१ एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं ।।३०२१।।
(વિશેષાવરમાણ ખૂન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org