________________
૨૪૨
ભાવતીર્થ - દ્વાદશાંગી
સામાઇયં સાવર્જા જોગં પચ્ચક્ખામિ” આ પ્રાથમિક સૂત્રમાં પણ સમતાનો આદર્શ, તેને પ્રાપ્ત કરાવનાર સર્વ સંક્લેશ-પાપવિરામની ક્રિયા અને તેને અનુરૂપ પરિવર્તનશીલ આત્મતત્ત્વનો સિદ્ધાંત ચોક્કસપણે ફલિત થાય છે. આ ત્રણે ખૂબીથી યુક્ત વચન જ સર્વજ્ઞનું વચન સમજવું. ત્રણમાંથી એક પણ ખામીવાળું હોય તો તે વચન ચોક્કસપણે સર્વજ્ઞનું વચન નથી જ. તેવાં આદર્શ, આચાર અને સિદ્ધાંતમાં પરસ્પર વિરોધાભાસી વચનો નિયમથી અપૂર્ણ જ્ઞાનીનાં જ હોય. તેવાં કહેવાતાં શાસ્ત્રોને સમર્પિત થશો તો તમારું કલ્યાણ નહીં થાય, વાસ્તવમાં તે શાસ્ત્રવચન જ નથી.
ભૌતિક ક્ષેત્રે પણ ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતની સુસંગતતા અનિવાર્ય :
ભૌતિક ક્ષેત્રમાં પણ વિરોધાભાસી વાતોનો કોઈ મતલબ નથી હોતો; કારણ કે તેમાં ફળદાયકતા જ નથી હોતી. વ્યવહારમાં પણ ધ્યેયને અનુરૂપ સિદ્ધાંત આધારિત ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ થાય છે. સંસારના ક્ષેત્રે તમને કોઈ પણ પ્રવૃત્તિમાં સફળતા જોઈતી હોય તો પહેલાં ધ્યેય નક્કી કરવું પડે. વગર ધ્યેય નક્કી કર્યે પ્રવૃત્તિ કરો તો મૂર્ખામી ગણાય. વળી ધ્યેય પણ સાચું જોઈએ. ત્યાર બાદ તેને અનુરૂપ ક્રિયા પણ કરવી પડે. છતાં સિદ્ધાંત જ મૂળમાંથી ખોટો હોય તો ધ્યેયને અનુરૂપ ક્રિયાથી પણ લાભ ન મળે. આ ત્રણેય એક બીજા સાથે match-સંગત થાય તો જ ફળપ્રાપ્તિ સંભવે. દા.ત. આ આધુનિક વિમાનો છે જે રોજ પ્રવાસીઓને લઈને આકાશમાં ઊડે છે. આ વિમાનની શોધ શરૂઆતમાં રોબર્ટ ભાઈઓએ કરી તેમ કહેવાય છે. તો શોધખોળ કરનારના મનમાં પહેલાં આદર્શ તો હશે જ. વગર ધ્યેયે કંઈ મહેનત ક૨વા મંડી પડ્યા ન હોય. તેમના મનમાં ધ્યેય હશે કે અમારે એવું સાધન બનાવવું છે જે આકાશમાં ઊડે. અર્થાત્ આકાશમાં ઉડ્ડયન કરે તેવું સાધન બનાવવાનું તેમનું ધ્યેય. પરંતુ તે ધ્યેયને હાંસલ કરે તેવું વિમાનનું માળખું બનાવવાની ક્રિયા કરવી પડે. જો વિમાનનું body-માળખું જ આકાશમાં ઊડવાના બદલે નીચે પટકાય તેવું બનાવે તો તે ન ચાલે. તેથી ધ્યેયને અનુરૂપ ક્રિયા જોઈએ. કોઈ પણ માણસ ધ્યેયને અનુરૂપ ક્રિયા કરે તો તે ફળ મેળવે, પરંતુ ધ્યેયથી વિરુદ્ધ ક્રિયા કરે તો ફળ ન મળે. વળી, જો તે રોબર્ટ ભાઈઓને aeromatic-એરોમેટિકનો સિદ્ધાંત ખ્યાલમાં ન હોય કે તેને અનુસરે નહીં તો બધી જ મહેનત અંતે ફોક જાય. જે સાધન આકાશમાં ઉડાડવું હોય તે સાધનને હવાથી હલકું બનાવવું પડે. હવાથી જેની ઘનતા ઓછી હોય તે જ વસ્તુ હવામાં ઉપર રહી શકે, તે સિવાય નીચે પડી જાય. પછી તે સાધન કદમાં ગમે તેટલું નાનું હોય કે મોટું હોય પણ તેને હવામાં ઉડાડવું હોય તો આ સિદ્ધાંત સર્વત્ર જાળવી રાખવો જ પડે. વળી, હવા પોતાનાથી હલકી વસ્તુને ઉપર ધારણ કરે તે સિદ્ધાંત જ ખોટો હોય તો વિમાનો કદી ઊડી ન શકે. તેથી ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંત પરસ્પર સુસંગત હોવાં જોઈએ, તો જ ફળપ્રાપ્તિ શક્ય છે.
સામાયિકસૂત્ર આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી સૂત્ર છે :
વળી, જે વચન આદર્શવિહોણું છે અથવા આચારનું પ્રેરક નથી કે સિદ્ધાંતશૂન્ય છે, તે વચન અવશ્ય અધૂરું છે. તેને જ્ઞાનીનું વચન કહેવું યોગ્ય જ નથી. ઉપરાંત જ્યાં ત્રણમાંથી કોઈનો પરસ્પર વિરોધ હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org