________________
૨૩૮
ભાવતીર્થ - દ્વાદશાંગી નથી, તેથી તેને વળગીને કેમ જિવાય ?, એવી વિમાસણ કરવા જેવી નથી; કારણ કે જે બચ્યું છે તે પણ આપણા માટે પર્યાપ્ત છે. વર્તમાન ઉપલબ્ધ શાસ્ત્રોનું કદ પણ એટલું વિશાળ છે કે તેને વાંચતાં-વિચારતાંસમજતાં પણ ભવ પૂરો થઈ જાય તેમ છે. વળી દ્વાદશાંગીના એક વચનમાં પણ સંપૂર્ણ જીવનદૃષ્ટિ આપીને પાર પમાડવાની તાકાત છે. તેથી વર્તમાન ઉપલબ્ધ શાસ્ત્રો પણ રક્ષકશક્તિ યુક્ત જ છે.
સભાઃ ગીતાર્થ ગુરુનું શરણ સ્વીકાર્યા વિના માત્ર શાસ્ત્રનું શરણ સ્વીકારીએ તો ?
સાહેબજી : તમે ભૂલ્યા. ગીતાર્થ ગુરુ વિના શ્રુતજ્ઞાનમય શાસ્ત્રોની સમ્યગુ પ્રાપ્તિ પ્રાયઃ અશક્ય છે. પ્રાથમિક દશામાં સર્વ જીવોને શાસ્ત્રના તત્ત્વ સુધી પહોંચાડનાર સેતુ ગીતાર્થ ગુરુઓ જ છે. તેથી ગીતાર્થ ગુરુને પ્રથમ જીવંત તીર્થ ગણ્યા અને ત્યાર બાદ શાસ્ત્રોને તીર્થ તરીકે વર્ણવ્યાં. તીર્થકરોની વાણી દ્વારા પણ પ્રતિબોધ પામેલા જીવોને તીર્થકરો દીક્ષા આપીને ગણધરોના શરણે સોંપે છે; કારણ કે જીવંત જ્ઞાની ગુરુસ્વરૂપ તીર્થ જ દરેક કાળમાં પ્રથમ તરવાનું સાધન છે. માત્ર દ્વાદશાંગી તેનાથી મહાન તીર્થ એ અંશમાં જ કહીએ છીએ કે, ગુરુસ્વરૂપ તીર્થમાં રહેલી તારકતા પણ આ દ્વાદશાંગીના પ્રભાવે છે, બાકી દ્વાદશાંગીના મહિમાથી પ્રથમ ગીતાર્થ ગુરુરૂપ તીર્થ નિરુપયોગી બનતું નથી. શાસ્ત્ર સર્વકાળે સર્વવ્યાપી છે, તેથી સાધક તમામ વિષયો તેના આધારે જ મૂલવે તે કહે તે જ તેને પ્રમાણઃ
પૂજ્ય હરિભદ્રસૂરિએ લખ્યું કે જેને શાસ્ત્રોનું બહુમાન નથી, શાસ્ત્ર પ્રત્યે ભક્તિ નથી તેવો જીવ ગમે તેટલી સાધના કરે તો પણ તરવા માટે લાયક નથી. આજે આપણે ત્યાં કેટલાક કહે છે કે શાસ્ત્ર out-dated-કાલગ્રસ્ત થઈ ગયાં છે. પણ તેવું બોલનારનું મગજ સડી ગયું છે. ત્રણેય કાળમાં શાસ્ત્ર અદ્યતન જ છે; કેમ કે તે ત્રિકાલવ્યાપી છે. અમારા જીવનમાં કોઈપણ વાત આવે તો અમે શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણીએ. વર્તમાનમાં દેશમાં democracy for the people, by the people, of the people કહેવાય છે. છતાં તમારી democracyમાં પણ સુપ્રીમ કોર્ટના જજો કહે છે કે constitution is supreme, people's will is not supreme.-બંધારણ મુખ્ય છે, લોકોની ઇચ્છા મુખ્ય નથી. તેમ જૈનશાસનમાં પણ constitution is supreme. તેને કોઈ challenge ન કરી શકે. તીર્થકરો પણ દ્વાદશાંગીનું ઉલ્લંઘન ન કરી શકે, તો બીજાની ક્યાં વાત ? આવાં શાસ્ત્રો માટે જે એલફેલ બોલે, લખે, માને, વિચારે તેવા માણસનું અહીં કામ નથી. અમે તો દુનિયાની કોઈ પણ વાત આવે તો તેનું વિશ્લેષણ શાસ્ત્રદૃષ્ટિથી જ કરીશું, પછી તે આધુનિક વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, રાજનીતિ હોય કે બીજી કોઈ પણ વાત હોય. કોઈ કહે કે politicsરાજકારણનો શાસ્ત્રમાં વિચાર-વિમર્શ નથી. તો તે ભૂલે છે. શાસ્ત્રો સર્વવ્યાપી છે, સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
१ ११७. तं च दुवालसंगसुतं चतुव्विहं दव्वादि। अभिण्णदसपुव्वादियाण जाव सुतनाणकेवली ते पडुच्च भणितं। दव्वतो णं सुतनाणी सुतनाणेणोवयुत्तो सुत्तविण्णत्तीए सव्वदव्वादिं जाणति पासति य। णणु पासइ त्ति विरोहो? उच्यते-जम्हा अदिट्ठाण वि मेरुमादियाण सुतणाणपासणताए आगारमालिहइ, ण यादिटुं लिखइ, पण्णवणाए य भणिता सुतणाणपासणत त्ति, ण विरोधो।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org