________________
ભાવતીર્થ – દ્વાદશાંગી
૨૩૫
દ્વાદશાંગીનું તત્ત્વ પણ વાણી દ્વારા વિવેચન કર્યા જ કરીએ તો પણ જેનું અર્થમય તત્ત્વ ખૂટે જ નહીં. આ રીતે પ્રત્યેક વિશેષણનો અર્થ દર્શાવી દ્વાદશાંગીનો મહિમા ગાયો છે.
સાચાં શાસ્ત્રો હંમેશાં દૃષ્ટ-ઇષ્ટથી અવિરોધી હોય ઃ
શાસ્ત્રો ૫૨ શંકા-કુશંકા કરનારને એ જ ખબર નથી કે જૈન આગમોમાં સાચાં શાસ્ત્રોની કસોટી દર્શાવતાં જ કહ્યું કે, જે પ્રત્યક્ષ અને તર્કથી અવિરુદ્ધ હોય તે જ સમ્યગ્ શાસ્ત્ર. તમારા જીવનના પ્રત્યક્ષ અનુભવ સાથે સંગત ન થાય, પરંતુ વિરોધાભાસ ઊભો થાય એવી શાસ્ત્રની વાત ન હોય. તે જ રીતે જે પ્રત્યક્ષનો વિષય નથી, પણ તર્કગમ્ય-બુદ્ધિગમ્ય છે, તેમાં તર્કથી ખોટું સિદ્ધ થાય તેવી વાત સુશાસ્ત્રમાં ન હોય. આ શાસ્ત્રની નક્કરતાની કસોટી છે. પૂ. હરિભદ્રસૂરિએ તો ત્યાં સુધી લખ્યું કે “જે શાસ્ત્રો પ્રત્યક્ષ અને તર્કથી વિરુદ્ધ વાત કરનારાં છે તે શાસ્ત્રને શાસ્ત્ર તરીકે ન સ્વીકારો, પરંતુ તેને ઉપાડીને બાજુ પર મૂકી દો.” આ પરથી તમે સમજી શકશો કે જૈનશાસ્ત્રોમાં તર્કસિદ્ધ અને અનુભવસિદ્ધ વાતોનો કેટલો આગ્રહ છે ! અરે ! તીર્થંકરોએ કહેલ ત્રિપદી પણ કેટલી તર્ક અને પ્રત્યક્ષ આધારિત છે ! તમે વિશ્વની પ્રત્યેક વસ્તુના અસ્તિત્વનો વિચાર ચાલુ કરો તો આપમેળે સમજાશે કે, આ દુનિયામાં કોઈ પણ પદાર્થ તીર્થંક૨ના વચનથી વિરુદ્ધ વર્તતો નથી. સર્વ પદાર્થોમાં ત્રિપદીનો સિદ્ધાંત વણાયેલો છે. વિજ્ઞાનના ક્ષેત્રે પણ વિશ્વવ્યાપી નિયમ-universal law તેને કહેવાય છે, જે દરેક કાળમાં દરેક ક્ષેત્રમાં apply થાય-લાગુ પડે. વર્તમાન હોય, ભવિષ્ય હોય કે ભૂતકાળ હોય; જમીન પર હોય, પાણીમાં હોય કે હવામાં હોય; સ્થૂલ દ્રવ્ય હોય કે સૂક્ષ્મ દ્રવ્ય હોય; સૌને લાગુ પડે તેવો નિયમ તે universal law-વિશ્વવ્યાપી સિદ્ધાંત. દા.ત. અહીં પાણી ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે ઊકળે છે, જ્યારે ઓછા-વધારે દબાણવાળા વાતાવરણમાં ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે જ પાણી ઊકળતું નથી. તેથી ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે પાણી ઊકળે તે નિયમ વિશ્વવ્યાપી નથી, દબાણ ફરતાં ફરે છે. જે સર્વદા સાર્વત્રિક નિયમ હોય તેને જ વિજ્ઞાન પણ સનાતન નિયમ કહે છે. Law of gravity-ગુરુત્વાકર્ષણના નિયમને વૈજ્ઞાનિકો આવો સિદ્ધાંત' કહે છે. જોકે તે પુ૨વા૨ ક૨વો ઘણો મુશ્કેલ છે. જ્યારે ત્રિપદીમાં કહેલો સિદ્ધાંત તો તર્ક આધારિત અને પ્રત્યક્ષસિદ્ધ છે. પ્રત્યેક દ્રવ્યમાં અવલોકનથી ખાતરી કરી શકાય છે. તેથી દૃષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ શાસ્ત્ર જ આદરણીય છે; કેમ કે તે જ સત્યનિરૂપક છે. તેથી તેવાં શાસ્ત્રોનો અપલાપ ક૨ના૨ સત્યનો જ અપલાપ કરે છે અને અસત્યને શરણે જઈ જીવનમાં અનર્થની પરંપરા પામે છે.
કાર્યકારણના અટલ સિદ્ધાંતથી વિશ્વ અનાદિ અનંત સાબિત થાય છે :
સભા : આપ કહો છો કે પ્રત્યક્ષસિદ્ધ અને તર્ક અવિરોધી વાતને કહે તે શાસ્ત્રવચનને જ માનવું, તો જૈનશાસ્ત્રોએ અનાદિ અનંત વિશ્વ માન્યું તેમાં તર્ક શું ?
૧
आगमतत्त्वं ज्ञेयं तद्दृष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादिसमन्वितमलमैदम्पर्यशुद्धं च । । १० ।। आगमो हि णाम केवलणाणपुरस्सरो पाएण अणिदियत्थविसओ अचिंतियसहाओ जुत्तिगोयरादीदो । ।
Jain Education International
(પોકશા પહેતું, મૂત)
For Personal & Private Use Only
(ટ્વટ્ઠાનમ ટીવ્ઝા (થવત્તા) ૬,પૃ.૫૨)
www.jainelibrary.org