SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૩૩ પ્રત્યેકનું તત્ત્વજ્ઞાન બીજરૂપે ત્રિપદીમાં જોડાયેલું છે. આ ત્રિપદી કદી બદલાવાની નથી. કોઈ તીર્થંકર આના બદલે બીજા શબ્દો કહેવાના નથી.Universal truth-વૈશ્વિક સત્યરૂપ સિદ્ધાંતો અનાદિના છે. તેમાં અંશમાત્ર ફેરફાર શક્ય નથી. ત્રિપદીમાં કહેલું સઘન તત્ત્વ અને એના વિસ્તાર સ્વરૂપ જૈનશાસ્ત્રો, જેને દૃષ્ટિકોણરૂપે સમજાઈ જાય તેને જિનવચન પ્રત્યે કદી શંકા-કુશંકાનો અવકાશ જ નથી. તે તો વિચારે કે સિદ્ધાંત ત્રિકાલાબાધિત છે, સત્ય આ જ છે અને કાયમ માટે આ જ રહેવાનું છે. વિશ્વ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ છે : માત્ર ત્રિપદીમાં રહેલા સિદ્ધાંતની સત્યતા ટૂંકમાં વિચારીએ તો સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે તો પ્રત્યક્ષ છે. દુનિયામાં રોજ કાંઈ ને કાંઈ ઉત્પન્ન થાય છે અને કાંઈ ને કાંઈ નાશ પામે છે. કોઈ જન્મે છે, કોઈ મરે છે; મકાન ઊભું થયું, નાશ પામ્યું; એટલે ઉત્પત્તિ-વિનાશ પ્રત્યક્ષ દેખાય છે. તમારા પરિચયમાં આવતી દરેક વસ્તુમાં ઉત્પત્તિ અને વિનાશ દેખાશે. ઉત્પત્તિ એટલે પર્યાયાસ્તિકનયથી નવસર્જન કહેવાય. પણ ખૂબી એ છે કે શૂન્યમાંથી કોઈ વસ્તુનું સર્જન નથી થતું. તેથી કોઈ મૂળભૂત સર્જન નથી. જેની ઉત્પત્તિ દેખાય છે તે બીજી કોઈ વસ્તુમાંથી અવશ્ય પેદા થયું હશે. Out of nothing, anything can not be produced. (શૂન્યમાંથી કાંઈ પણ બનાવી શકાતું નથી.) વળી જેનો નાશ થાય છે તેનું પણ સંપૂર્ણ વિસર્જન થતું નથી. કોઈ પણ વસ્તુના અસ્તિત્વનું મૂળમાંથી નાબૂદીકરણ શક્ય નથી. જેમ કે કપડાને બાળશો તો અંતે રાખ રહેશે અર્થાત્ કોઈ ને કોઈ વસ્તુ અસ્તિત્વરૂપે કાયમ રહે જ છે, ઉત્પત્તિ અને નાશ દ્વારા માત્ર વસ્તુનું રૂપાંતરણ જ થાય છે. માટીના પિંડમાંથી ઘડો બન્યો કે ઘડામાંથી ઠીકરાં બન્યાં તો તે અવસરે માટીનું અસ્તિત્વ તો કોઈ ને કોઈ રૂપે રહ્યું જ. માત્ર પિંડમાંથી ઘડાની ઉત્પત્તિ અને ઘડામાંથી ઠીકરાની ઉત્પત્તિ થઈ, તે જ રીતે પહેલાં પિંડનો નાશ, પછી ઘડાનો નાશ થયો; છતાં માટીરૂપે દ્રવ્ય તો ધ્રુવ જ રહ્યું. દુનિયાના લાખ વૈજ્ઞાનિકો ભેગા કરો અને કહો કે આ માટીનો એક અણુ વિશ્વમાંથી સંપૂર્ણ નેસ્તનાબૂદ કરી આપો, તો તે વૈજ્ઞાનિકોની પણ તાકાત નથી. આ જ બતાવે છે કે ઉત્પત્તિ અને વિનાશશીલ વિસ્વ પણ મૂળભૂતરૂપે ધ્રુવ છે. દરેક વસ્તુમાં ત્રિપદીનું માર્મિક સત્ય સમાયેલું જ છે. કપડું તાંતણામાંથી પેદા થયું, તાંતણા રૂમાંથી પેદા થયા, રૂ ઝાડમાંથી પેદા થયું, ઝાડ માટીમાંથી પેદા થયું, માટી રેતીમાંથી પેદા થઈ, રેતી પત્થરમાંથી પેદા થઈ, પત્થર તેના અણુમાંથી બન્યો, એમ સર્જન કોઈને કોઈ હયાત વસ્તુમાંથી જ થાય છે. આના ઊલટા ક્રમે વિસર્જન વિચારો તો તેમાં પણ કોઈને કોઈ દ્રવ્યની હયાતિ અવશ્ય રહેશે. તેથી દ્રવ્યરૂપે સમગ્ર વિશ્વ કાયમનું હતું અને કાયમ રહેશે; પર્યાયરૂપે તેની અવસ્થાઓ બદલાયા કરશે, ઉત્પત્તિ, નાશ એ માત્ર change of manifestationઅવસ્થાંતર છે. ત્રિપદી સ્યાદ્વાદરૂપ સિદ્ધાંતનો અર્ક છે અને તેની ફલશ્રુતિ દ્વાદશાંગી છે : સર્વ દર્શનોમાં ફેલાયેલી તત્ત્વજ્ઞાનની પ્રત્યેક વિચારધારાઓનું સઘન બીજ આ ત્રિપદીમાં છે, જે તર્કબદ્ધ રીતે નયોના દૃષ્ટિકોણથી જૈનશાસ્ત્રોમાં રજૂ કરેલ છે. આ તથ્યને સર્વનયવિશારદ પ્રત્યક્ષતુલ્ય જોઈ શકે. તીર્થકરોએ ગણધરોને ત્રણ પદમાં વિશ્વવ્યાપી સત્ય સમજાવ્યું છે અને તેનાથી જ દ્વાદશાંગીરૂપ સમસ્ત શ્રુતનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy