________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૨૯ disturbance-હસ્તક્ષેપ ન કરે. આપણે ત્યાં cosmic order જ સુપ્રિમ છે. દુનિયાના કોઈ ધર્મે પદાર્થવિજ્ઞાનને આટલું મહત્ત્વ નથી આપ્યું. અરે જૈનધર્મમાં તો પદાર્થવિજ્ઞાનના નિયમનું ઉલ્લંઘન કરે એવા કોઈ ચમત્કારdivinity)નું પણ વર્ણન કે સ્વીકાર નથી. જૈનશાસ્ત્રોમાં આવતી ચમત્કારની વાતો પણ સંપૂર્ણ physics-પદાર્થવિજ્ઞાનના નિયમને અનુસરીને જ હોય છે. મને એક વૈજ્ઞાનિકે કહેલું કે ધર્મમાં રેશનલ વાતો નથી હોતી, પરંતુ ચમત્કારો વગેરેનું bombastic-ગપગોળા જેવું વર્ણન હોય છે, તેથી અમે ધર્મમાં રસ લેતા નથી. ત્યારે મેં તેમને કહેલું કે તમે નહીં માનતા હો તેટલું physics-પદાર્થવિજ્ઞાન જૈનધર્મ માને છે. જૈનશાસ્ત્રોમાં સ્વીકારેલા પ્રત્યેક ચમત્કારનું સ્પષ્ટીકરણ પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ આપી શકાય તેમ છે, અને જે તેની સાથે સુસંગત ન હોય તેવો એક પણ ચમત્કાર જૈનધર્મને મંજુર નથી. અરે ! ઈશ્વર પણ પદાર્થવિજ્ઞાનથી વિરુદ્ધ જઈને આ સૃષ્ટિમાં કશું કરી શકે નહીં. શૂન્યમાંથી કોઈ પણ વસ્તુનું સર્જન કરવું એ ઈશ્વરની મર્યાદાની પણ બહાર છે. આપણે ત્યાં તો ‘even God has to follow physics'નો નિયમ પ્રવર્તે છે. તમે જૈન ધર્મનાં શાસ્ત્રો, ઈશ્વર કે તત્ત્વજ્ઞાનને ઓળખતા નથી. ઈશ્વર જેવા ઈશ્વર પણ જગતનું જે પરમ શાશ્વત તત્ત્વ છે, તેનું અવલંબન લઈને પોતે તરે છે અને વાણી દ્વારા તે તત્ત્વને લોક સમક્ષ અભિવ્યક્ત કરે છે અને તે જ તેમનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન છે. બાકી વિશ્વવ્યવસ્થામાં તીર્થંકરો કાંઈ આડું અવળું કરતા નથી. બીજા ધર્મોમાં ઈશ્વર બધે માથું માર્યા કરે, અહીં તો ઈશ્વર નિર્લેપ છે. માત્ર સનાતન તત્ત્વને જાણવું, અનુસરવું, પામવું અને જગતને પમાડવાનો રાહ ચીંધવો એટલું જ તેમનું કામ છે. તેથી સર્વતીર્થકરો દ્વાદશાંગીના તત્ત્વને અનુસરીને પોતે તરે છે અને જગતને તારે છે. તેથી તેમના ઉપર પણ દ્વાદશાંગીનું ઋણ છે, તેથી દ્વાદશાંગી ઉત્કૃષ્ટ તારક તીર્થ છે.
સમગ્ર વિશ્વનું હેય-ઉપાદેયરૂપે જેમાં વર્ણન સમાયેલું છે, અર્થાત્ જીવનમાં કઈ વસ્તુ છોડવા જેવી છે અને કઈ વસ્તુ મેળવવા જેવી છે તેનો સર્વાગી બોધ કરાવે તેવી શબ્દમય રચના તે જ દ્વાદશાંગીરૂપ સૂત્રાત્મક શાસ્ત્રો છે, જેનું અવલંબન લઈને પ્રાયઃ કરીને આત્મામાં ભાવશ્રુતજ્ઞાનરૂપ ભાવકૃત પ્રગટે છે, જે પ્રત્યેક જીવને અંતરમાં હિતનું પ્રેરક બને છે. આ વિશ્વની સમગ્ર વસ્તુઓ હેય-ઉપાદેયમાં સમાઈ જાય છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં knowledge is for the sake of knowledge-જ્ઞાન ખાતર જ્ઞાન છે, જ્યારે ધર્મશાસ્ત્રોમાં કોઈપણ બિનઉપયોગી જ્ઞાનની વાત નથી. અહિતથી વિરામ પામવા અને હિતના માર્ગે પ્રયાણ કરવા જ્ઞાન મેળવવાનું છે. જે જાણવાથી તમારા આત્મામાં હિતાહિતની જીવનદૃષ્ટિ ખીલવે તે જ સાચું શાસ્ત્રજ્ઞાન છે. જેમ વ્યવહારમાં આ થાંભલો છે તે જાણવા માત્રથી શું મતલબ ? જો જાણ્યા પછી પણ થાંભલા સાથે આંખો મીંચીને ભટકાવાનું ચાલુ રહે તો તે જાણકારીનો કોઈ અર્થ નથી. ખાડો જાણ્યા પછી તેમાં ન પડે અને સાવધાનીપૂર્વક આગળ પાર પામે
इह-जगति, न चन्नैव, एकैकत एव नियत्यादेः, क्वचित् क्वापि किञ्चित्-किमपि घटादि, ईक्ष्यते-जायमानं प्रतीयते। तस्माद् हेतोः, सर्वस्य घटादेः कार्यस्य, सामग्री-कथञ्चित्तद्व्यतिरिक्ताऽव्यतिरिक्तहेतुसंहतिः, जनिका-कार्योपधायिका, मता-इष्टा। पूर्वं कारणसमुदाये कार्योपधायकत्वनियमः साधितः, इदानीं तु कार्य कारणसमुदायोपाधेयत्वनियम इति तु तत्त्वम्।...
(શાસ્ત્રવાર્તામુ સ્તવ - ૨સ્તો ૮૦ મૂન-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org