________________
૨૨૮
ભાવતીર્થ - દ્વાદશાંગી માનવજાતને ચીંધવા લાયક કોઈ જીવનનો આદર્શ કે રાહ નથી તે વિજ્ઞાન કોઈ પણ જીવનું અનુશાસન કે રક્ષણ શું કરે? વિજ્ઞાનને સમર્પિત થનાર જીવો જીવનમાં કાયમ ખાતે દિશાશૂન્ય રખડતા જ રહ્યા, જ્યારે શાસ્ત્રો તો એક એક વાક્યરૂપે પણ અનુશાસન-રક્ષણની ભરપૂર શક્તિ ધરાવે છે. તેથી તે શાસ્ત્રજ્ઞાનની quality-જાત જ જુદી છે. દા.ત. ‘નમો અરિહંતાણં' એ શાસ્ત્રવચન પણ તમે સમજો તો તમારા જીવનના હિતની દૃષ્ટિ તમને ચોક્કસપણે આપે અર્થાત્ તમારા આત્માનું અનુશાસન કરે. આ વચનમાં શત્રુઓનો વિનાશ-વિજય કરવાની જીવનદૃષ્ટિ સમાયેલી છે. શત્રુ એટલે જે તમને ત્રાસ આપે છે. વળી સૌથી વધારે ત્રાસ આપનાર આંતરિક ભાવશત્રુઓ જ છે. “તેમને જેણે જીત્યા તેને હું નમસ્કાર કરું છું.” અહીં આદર્શ મળ્યો કે જીવનમાં આંતરશત્રુઓનો વિજય કરવા જેવો છે. આ અનુશાસન. વળી આંતરશત્રુનો વિજય કરનારમાં, સમર્પિત થનારનું આપમેળે સર્વ સંક્લેશ-દુઃખોથી રક્ષણ થાય તેવી ત્રાણશક્તિ પણ પ્રગટ છે. આમ, શાસ્ત્રોમાં વિશ્વશાસક બનવાની નક્કર તાકાત છે. સાચો રાજા, પ્રજાજન દુષ્ટતાના માર્ગે જતો હોય તો તેને દંડ આપી મર્યાદાના માર્ગે લાવે, સમગ્ર પ્રજાને ન્યાય-નીતિ-સદાચારની મર્યાદામાં રાખે, વળી નિર્દોષ કે સજ્જન પ્રજાજન પર કોઈ અંદરથી કે બહારથી આક્રમણ કરે તો અવશ્ય રક્ષણ આપે. તેમ આત્મિક દૃષ્ટિએ તે જ કાર્ય સમર્પિત થનારને શાસ્ત્ર કરે છે. જેનામાં આ શક્તિ નથી તેને અમે માત્ર માહિતી આત્મક જ્ઞાન કહીએ છીએ.
ઘણા વૈજ્ઞાનિકો discovery અને inventionનો ભેદ પાડે છે. પરંતુ કહેવાતી inventionમાં પણ અજ્ઞાત સિદ્ધાંતોને માત્ર જાણીને, કોઈ ખોખા જેવા મશીનની નવી શોધખોળનો દાવો કરાતો હોય છે, નવું કશું હોતું નથી. દા.ત. ટેલિફોન. ડબલા આકારનો ટેલિફોન એ તો માળખું છે જે મજૂર કે કારીગર બનાવી આપે છે. પરંતુ તે જે સિદ્ધાંતના આધારે ધ્વનિનું દૂરવર્તી શ્રવણ કરાવે છે તેની જાણકારી જ અતિ મહત્ત્વની છે, તે સિદ્ધાંત જ અતિ મહત્ત્વનો છે. તે ધ્વનિના તરંગોની ગતિનો નિયમ ટેલિફોન શોધાયા પહેલાં પણ આ વિશ્વમાં કાયમ હતો. તે કોઈનું સર્જન નથી, માત્ર વિજ્ઞાન તે જાણતું નહોતું તે જાણીને મશીન દ્વારા કાર્યાન્વિત કર્યું. વળી મશીનમાં પણ ગોઠવાયેલા એક પણ અણુ-પરમાણુનું વૈજ્ઞાનિકોએ મળભૂત સર્જન કર્યું નથી. તેમણે તો વિશ્વમાં રહેલાં દ્રવ્યોનું જોડાણ કરીને એક structure-માળખું જ બનાવેલ છે. આ દુનિયામાં જે નથી તેનું સર્જન કોઈ કરી શકે તેમ નથી. તેથી પંચાસ્તિકાયમય જગત શાશ્વત છે અને તેને દર્શાવનાર દ્વાદશાંગી પણ તે રૂપે શાશ્વત છે.
જૈનધર્મ સંપૂર્ણ પદાર્થવિજ્ઞાન ઉપર આધારિત છે, દૃષ્ટિહીન અપૂર્ણ જડ વિજ્ઞાન ઉપર આધારિત નથી :
જૈન ફીલોસોફી અનુસાર તો તીર્થંકરો પણ નવું સર્જન ન કરી શકે, તો પછી વૈજ્ઞાનિકોની તો શું મજાલ છે? "ઈશ્વર પણ કુદરતમાં ક્યાંય હસ્તક્ષેપ ન કરે, cosmic orderમાં-વિશ્વવ્યવસ્થામાં ભગવાન પણ
१ नैतद्युक्तमनुग्राह्ये तत्स्वभावत्वमन्तरा। नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि।।५।।
___ (द्वात्रिंशद् द्वात्रिंशिका सोलमी, मूल श्लोक ५) ★ न चैकैकत एवेह क्वचित्किञ्चिदपीक्ष्यते । तस्मात्सर्वस्य कार्यस्य सामग्री जनिका मता।।८० ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org