________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૨૭ નય-
નિપાથી વિવેચન કરે તો વોલ્યુમો ભરાય તેવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ પર જો શાસ્ત્રની આવી છાયા હોય, તો તમે વિચારો કે દ્વાદશાંગીનું ઊંડાણ-વ્યાપકતા-વિશાળતા-અગાધતા કેટલી હશે! તેથી મોઘમ વર્ણન કર્યા સિવાય છૂટકો જ નથી. છતાં સૂચનરૂપે સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષ સર્વ બાબતોના ખુલાસા શાસ્ત્રોમાં અવશ્ય છે. તે અંગે અમને તો ભણ્યા પછી કોઈ શંકા નથી.
શાસ્ત્રો અંગે સ્પષ્ટ ખ્યાલ એ રાખવાનો કે તેમાં જે કહ્યું છે તે કોઈના ફળદ્રુપ ભેજામાંથી નીકળ્યું નથી. જે વિશ્વનું સત્ય છે તે આમાં બતાવ્યું છે, જે તત્ત્વનો બોધ કરાવી તત્ત્વ પામવાનો રાહ ચીંધે છે, પણ આ કોઈનો મૌલિક ઉન્મેષ કે સ્કુરણ નથી. જાલક્ષી વિજ્ઞાન પાસે આત્માના અનુશાસન અને રક્ષણની કોઈ દષ્ટિ જ નથી, તે એકમાત્ર દ્વાદશાંગીમાં છે ?
તમારા આધુનિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં લખે કે આ વસ્તુની શોધ આ વૈજ્ઞાનિકે કરી, અર્થાત્ નવા આવિષ્કારનો દાવો હોય. વળી તેની નામના-ખ્યાતિ તે તે ક્ષેત્રના founding father તરીકે બિરદાવવામાં આવે. જ્યારે જૈનશાસ્ત્રો વિજ્ઞાન કરતાં અનેકગણું જ્ઞાન પીરસતાં હોવા છતાં આવો કોઈ દાવો નથી કરતાં. અહીં તો રચયિતા સ્વયં જ કહે છે કે કુદરતમાં જે સત્ય હતું તે તમે નહોતા જાણતા તેને અમે જ્ઞાન દ્વારા જાણીને જણાવ્યું છે. અહંકારનો કોઈ અવકાશ નથી. વાસ્તવમાં વિજ્ઞાનના ક્ષેત્રે પણ કોઈ નવી શોધ છે જ નહીં. આધુનિક વિજ્ઞાન સૃષ્ટિના જે સિદ્ધાંતો કહે છે તે આ દુનિયામાં ભૂતકાળમાં પણ હતા જ. માત્ર સામાન્ય લોકોને તેની ખબર ન હતી, તે અનેક પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ જાણીને માનવજાતની અજ્ઞાનતાનું નિરાકરણ કર્યું. બાકી કોઈ નવો આવિષ્કાર નથી. કોઈની તાકાત જ નથી કે આ સંસારમાં નવા તત્ત્વને-સત્યને પેદા કરી શકે. દા.ત. modern biologyમાં શોધ્યું કે દેહમાં રહેલા કોષ અંતર્ગત DNAઆ રીતે function કરે છે. આ વાત વૈજ્ઞાનિકો જ્યારે નહોતા જાણતા ત્યારે પણ DNAનું શરીરમાં functioning તે જ રીતે ચાલતું હતું; માત્ર વૈજ્ઞાનિકોને ખબર નહોતી, જે લાખો પ્રયોગો બાદ મહામહેનતે ખબર પડી. કષાયથી પ્રેરિત કેવા પોકળા દાવા કરાય છે તેનો આ નમૂનો છે. વૈજ્ઞાનિકોએ આમાં નવું કાંઈ શોધ્યું નથી; માત્ર પહેલાં પોતાનું અજ્ઞાન દૂર કર્યું, પછી અનેક પ્રકારનાં ભૌતિક વળતરો મેળવી તેના બદલામાં સમાજને માહિતી પૂરી પાડી લોકોનું અજ્ઞાન દૂર કર્યું. તે તે ક્ષેત્રના કહેવાતા માંધાતાઓની પણ આ જ સ્થિતિ છે. તેઓ નહોતા જાણતા તે જાણ્યું. જેમ હમણાં stem cell શોધાયાની જોરશોરથી વાત ચાલે છે. આ cell-કોષ એવી ગુણવત્તા ધરાવે છે કે જેનું બીજા કોષોમાં conversion-રૂપાંતર થઈ શકે. પરંતુ આ માહિતી પહેલાં અજ્ઞાત હતી, તે હાલમાં જાણી, જેને બહુ મોટી break-through-સિદ્ધિ કહેવામાં આવે છે. છતાં હજી વિજ્ઞાને એક નવો stem cell જાતે પેદા કર્યો નથી, અને તેમાંથી conversion કરવાની પણ તેની કોઈ શક્તિ નથી, માત્ર વિધવિધ conversionની શરીરમાં થતી પ્રક્રિયાને જાણી. વળી આ જ્ઞાન માત્ર માહિતી છે, જેને જાણ્યા પછી જીવનમાં કલ્યાણની દૃષ્ટિ પ્રાપ્ત થાય તેવું કશું નથી; કેમ કે માત્ર જડલક્ષી વિજ્ઞાન પાસે કોઈ સ્વતંત્ર જીવનદૃષ્ટિ જ નથી. જેની પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org