________________
૨૨૪
ભાવતીર્થ - દ્વાદશાંગી જડ કદી જડ મટીને ચેતન નથી થતો અને ચેતન કદી ચેતન મટીને જડ નથી થતું. જડના ગુણધર્મ એ કદી ચેતનના ગુણધર્મ બન્યા નથી અને ચેતનના ગુણધર્મ એ કદી જડના ગુણધર્મ બન્યા નથી. પણ તમને જડમાં મારાપણાની બુદ્ધિ છે; તેમાં રાચવું, તેના પર આધિપત્ય જમાવવું, તેને ભોગવવું તેનો તમને રસ છે, તે જ જીવનનું અસત્ય છે. તેને દૂર કરો એટલે આપમેળે શાશ્વત તત્ત્વ તરફ ગતિ ચાલુ થાય. આ નિયમ સૈકાલિક છે. તેને પુરવાર કરવા તીર્થકરોની પણ જરૂર નથી. તીર્થકરો તો લાયક અજ્ઞાની જીવોને દૃષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સુગમતાથી બોધ થાય તે રીતે સનાતન તત્ત્વનું વિવેચન કરે છે. બાકી તત્ત્વભૂત અર્થમય દ્વાદશાંગી તો સ્વયંસિદ્ધ છે. જે આ જગતનું સ્વયંસિદ્ધ સત્ય છે તે તીર્થકરોને પણ પ્રમાણ છે. વાસ્તવમાં તેને સાબિત કરવાની જરૂર જ નથી. માત્ર અબૂઝ એવા આપણું અજ્ઞાન દૂર કરવા દાખલા-દલીલની જરૂર છે, તેથી તીર્થકરોએ વાણી દ્વારા અર્થ પ્રરૂપીને અજ્ઞાન ભવિ જીવો પર ઉપકાર કર્યો છે. બાકી સનાતન તત્ત્વમાં જ સર્વ જીવ પ્રત્યેની તારકતા સમાયેલી છે, સર્વ મુમુક્ષુઓનો તે તત્ત્વ જ આદર્શ છે. 'તીર્થકરો પણ તે તત્ત્વ પામીને જ કરે છે. તેથી તીર્થકરો પર પણ દ્વાદશાંગીરૂપ તીર્થનું ઋણ છે, જે ઋણસ્વીકારના આશયથી જ પ્રતિદિન તીર્થકરો શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે, બાકી ગણધરોનું તેમના પર ઋણ નથી. તેમને તો પ્રતિબોધ કરીને તીર્થસ્વરૂપ બનાવનાર જ તીર્થકરો પોતે છે. હા, ગણધરસ્વરૂપ તીર્થને પામીને કરોડો જીવો તરવાના. શરણું સ્વીકારનાર અન્ય ભવિ જીવો પર ગણધરોનું અવશ્ય મહાન ઋણ છે, પરંતુ તીર્થપતિ પર તેમનો ઉપકાર કે ઋણનો અવકાશ જ નથી.
સભા : કોઈ ભવમાં તેમના પર ગણધરોએ ઉપકાર કર્યો હોય તો ?
સાહેબજી? અત્યારે અંતિમ ભવની વાત ચાલે છે. અંતિમ ભવમાં તીર્થંકરો ગર્ભાવતારથી મહાસાધક હોય છે, તેમનું શ્રેષ્ઠ જીવદળ છે. છતાં અંતિમ ભાવમાં પણ તેમના પર સાધક અવસ્થામાં ભાવશ્રુતમય દ્વાદશાંગીનું અવશ્ય ઋણ છે; કારણ કે દ્વાદશાંગી સનાતન સત્ય છે અને આ સંસારમાં જેને પણ તરવું હોય તેને સનાતન સત્યનું અવલંબન અવશ્ય લેવું પડે.
તીર્થકરો પૂજિતપૂજ્ય વ્યવહારથી ગણધરરૂપ તીર્થને નમસ્કાર કરે છે :
સભા ગણધરરૂપ તીર્થનો તીર્થકરો પર અંતિમ ભવમાં ઉપકાર નથી, છતાં ગણધરરૂપ તીર્થને તીર્થકરો નમસ્કાર કેમ કરે છે ?
સાહેબજીઃ તે નમસ્કારના અવસરે આશય જુદો છે. ત્યાં ઋણસ્વીકાર તરીકે નમસ્કાર નથી, પરંતુ ભવિ લોક સમક્ષ માન્યતા અપાવે છે કે આ મારા શિષ્યો પણ શરણ તરીકે પરમ આદરણીય છે, તેમનામાં ભાવતીર્થ
१ प्रधानं, प्रशस्तम्, आदौ वा वचनं प्रवचनं द्वादशाङ्गं गणिपिटकम्, आदित्वं चाऽस्य विवक्षिततीर्थकरापेक्षया द्रष्टव्यम्, “नमस्तीर्थाय” इति वचनात् तीर्थकरेणाऽपि तन्नमस्करणादिति।
(विशेषावश्यकभाष्य श्लोक १ टीका) * 'तीर्थ' श्रुतज्ञानं तत्पूर्विका अर्हत्ता' तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते। तथा पूजितस्य पूजा पूजितपूजा, सा च तीर्थस्य कृता भवति, पूजितपूजको हि लोकः, ततो यद्यहं तीर्थं पूजयामि ततस्तीर्थकरस्यापि पूज्यमिदमिति कृत्वा लोकोऽपि पूजयिष्यति।
(बृहत्कल्पसूत्र श्लोक ११९४ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org