SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ભાવતીર્થ - દ્વાદશાંગી દા.ત. ચશ્માં, થાંભલો, એમ કોઈ પણ શબ્દ લેશો તો તેના ઓછામાં ઓછા ચાર અર્થ તો આવશે જ. પ્રત્યેક શબ્દના ચાર નિક્ષેપા પાડ્યા છે. ચશ્માંનો સંબોધક શબ્દ કે લિપિબદ્ધ શબ્દ તે “નામચશ્માં' કહેવાય; કારણ કે પ્રત્યેક શબ્દ પોતાનો પણ વાચક છે અર્થાત્ નામનું વાચક પણ નામ છે. તમે “ચશ્માં” બોલ્યા, પછી તમને કોઈ પૂછે કે તમે શું બોલ્યા ? તો તમે કહેશો કે હું ‘ચશ્માં” બોલ્યો. આ વાક્યમાં ચશ્માંથી ચશ્માં શબ્દ અભિપ્રેત છે. એટલે ચશ્માં શબ્દનો અર્થ પણ “ચશ્માં” એ રૂપ ધ્વનિ થાય. વળી, કોઈ કાગળ પર ચશ્માંનું ચિત્ર દોરેલું છે, તે વખતે તમને કોઈ પૂછે કે આ શું છે? તો તમે કહેશો કે “ચશ્માં છે. એટલે ચશ્માનું ચિત્ર પણ ચશ્માં કહેવાય. જે “સ્થાપના ચશ્માં' છે. ટૂંકમાં શબ્દનો વાચક પણ શબ્દ છે અને ચિત્રનો વાચક પણ શબ્દ છે. વળી, કોઈ કારીગર ચશ્માં બનાવવા ઓજારો લઈને બેઠો હોય, અને ચશ્માંના partsને-ભાગોને assemble કરી-જોડી રહ્યો હોય, તે વખતે કોઈ પૂછે કે તું શું બનાવે છે ? તો જવાબમાં કહે કે હું ચશ્માં બનાવું છું. હજી ચશ્માં તો બન્યાં નથી, પરંતુ તે ચશ્માંની પૂર્વ અવસ્થા છે, જેનો વાચક પણ ચશ્માં શબ્દ બન્યો. તે જ રીતે તમારાં ચશ્માં હાથમાંથી પડ્યાં અને તૂટી ગયાં, ત્યારે કોઈ તમને પૂછે કે શું તૂટ્યું? તો તમે કહેશો કે આ ચશ્માં તૂટી ગયાં. અથવા તૂટેલા ટૂકડાઓને આ મારાં ચશ્માં તૂટ્યાં એમ કહેશો. આ ચશ્માંની ઉત્તર અવસ્થા છે, જેનો વાચક પણ ચશ્માં શબ્દ બન્યો. કોઈપણ ચશ્માંની પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થા તે ‘દ્રવ્યચશ્માં છે, જ્યારે મૂળભૂત ચશ્માં તે ‘ભાવચશ્માં' છે. દુનિયાના તમામ શબ્દોના સંક્ષેપમાં આ ચાર નિક્ષેપા ઘટે, અને ક્યાંક તો ૧૦-૧૫-૨૫ નિક્ષેપ પણ થાય. આ ભાષાના આધારે અર્થઘટનની શૈલી છે. આગમમાં એક એક શબ્દના નિક્ષેપા દ્વારા અર્થઘટન કર્યા છે, તે વાંચો તો દંગ થઈ જાઓ. તેમ “શાસ્ત્ર શબ્દના પણ સંદર્ભથી અનેક અર્થ થાય. પ્રસ્તુતમાં લેખન દ્વારા લિપિબદ્ધ જડ ગ્રંથરૂપ શાસ્ત્ર લો તો તેની અપેક્ષાએ તેને ભણનાર, વાંચનાર, સમજનાર, સમજાવનાર કે રજૂ કરનાર વ્યક્તિનું મહત્ત્વ અવશ્ય વધારે છે; કારણ કે પુસ્તકરૂપ શાસ્ત્રો જડ સાધન છે, જ્યારે શ્રુતજ્ઞાનરૂપ ભાવશાસ્ત્ર તો આત્મામાં રહે છે. તત્ત્વથી શાસ્ત્ર શ્રુતજ્ઞાન સ્વરૂપ જ છે, જે આત્મામાં રહે છે. તે જીવંત શાસ્ત્રનો અત્યારે હું તીર્થસ્વરૂપે મહિમા ગાઉ છું. તીર્થકરોએ વાણી દ્વારા કહેલ દ્વાદશાંગી અર્થજ્ઞાનસ્વરૂપ છે. તે પરથી ગણધરોએ સ્વમસ્તિષ્કમાં રચેલ દ્વાદશાંગી સૂત્રજ્ઞાનસ્વરૂપ છે. સૂત્ર અને અર્થ ઉભયનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે, જે આત્માનો બોધરૂપ ગુણ છે. તે શ્રુતજ્ઞાનને અભિવ્યક્ત કરનારા કે બોધ કરાવનારા ધ્વનિરૂપ જડ શબ્દો પણ અપેક્ષાએ શાસ્ત્ર કહેવાય, અને તેનું લિપિબદ્ધ પુસ્તક પણ અપેક્ષાએ શાસ્ત્ર કહેવાય. છતાં લિપિ કે શબ્દો એ શ્રુતજ્ઞાનનાં જડ સાધન તો આત્મામાં રહેલા સૂત્રજ્ઞાન કે અર્થજ્ઞાનરૂપ જીવંત શાસ્ત્રની વાત ચાલે છે. તે ભાવશાસ્ત્ર જ તીર્થસ્વરૂપ છે અને તેમાં સમગ્ર વિશ્વને તારનારા સર્વ હિતકારી નીતિનિયમોનો સાંગોપાંગ સંગ્રહ છે. અરે ! આખું વિશ્વ જ તેમાં શેયરૂપે પ્રતિષ્ઠિત છે. ત્રણ લોક, સચરાચર સૃષ્ટિ, જગતનું સર્વ તત્વ શાસ્ત્રમાં રહેલું છે. તેનાથી બહાર કંઈ નથી. १ लोकनं लोक:- ज्ञानमेव, स यत्र प्रतिष्ठितः, तथा जगदिदं ज्ञेयतया। केचिन्मनुष्यलोकमेव जगन्मन्यन्त इत्यत आह "त्रैलोक्यं मनुष्यासुरम्" आधाराधेयभावरूपमित्यर्थः। (તિવિસ્તાર ટi) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy