________________
૨૧૨
ભાવતીર્થ - દ્વાદશાંગી છે. જૈન આગમમાં અનેક સ્થળે લખ્યું છે કે 'દ્વાદશાંગી શબ્દથી અનિત્ય છે, પરંતુ અર્થથી સનાતન શાશ્વત છે. પ્રત્યેક તીર્થકરોના ગણધરો દ્વાદશાંગીને નવો નવો શબ્દદેહ આપે છે, પરંતુ સર્વ ગણધરોની દ્વાદશાંગીમાંથી પ્રગટ થતું તત્ત્વ એક જ હોય છે; જે તત્ત્વ કોઈએ પેદા કર્યું નથી, આ વિશ્વમાં તે કોઈની શોધ કે કોઈનું સર્જન નથી. તીર્થકરો પણ જગતના તત્ત્વનું સર્જન કરવા નથી ગયા. તેમણે સત્ય શોધ્યું નથી, પરંતુ જે સત્ય હતું. તેને કેવલજ્ઞાન, કેવલદર્શનથી સ્વયં જોયું, જાણ્યું છે અને વાણી દ્વારા લાયક જીવોને તેનો બોધ કરાવ્યો છે. નવ તત્ત્વમાંથી એક પણ તત્ત્વ પ્રભુ મહાવીરે પેદા નથી કર્યું. પ્રભુ વીરે શાસન સ્થાપ્યું તે પહેલાંના અનંતા તીર્થકરોએ પણ આ જ નવ તત્ત્વ બતાવ્યાં છે. દરેક તીર્થકરોના શાસનમાં તત્ત્વ એકરૂપ જ હોય છે. ભૂતકાળના અનંતા તીર્થકરો, ભવિષ્યના અનંતા તીર્થકરો કે વર્તમાનના સર્વ તીર્થકરો વાણી દ્વારા જે તત્ત્વ પીરસે છે, તે સનાતન શાશ્વત છે. તેથી તે તત્ત્વ પર કોઈની મહોરછાપની જરૂર જ નથી. તીર્થકરો તેના પર મહોરછાપ મારતા જ નથી. પરંતુ “ગણધરોએ પોતાના મસ્તિષ્કમાં જે તત્ત્વબોધક સૂત્રો રચ્યાં છે, તે શબ્દાત્મક સૂત્રો પણ શાશ્વત સત્ય તત્ત્વને જ કહેનારાં છે; મેં વાણી દ્વારા અર્થમાં શાશ્વત તત્ત્વ વર્ણવ્યું, તેને જ સમ્યક્ પ્રતિપાદન કરનારાં આ સૂત્રો છે; માટે તેને ખોટાં ન માનશો.” આમ, શબ્દરૂપ સૂત્રાત્મક દ્વાદશાંગી પર તીર્થકરો સત્યતાની મહોરછાપ મારે છે. બાકી તેના તત્ત્વનું તો કોઈએ સર્જન નથી કર્યું, તે તો સનાતન શાશ્વત જ છે.
જગતનું અર્થરૂપ તત્ત્વ સનાતન શાશ્વત છે, કોઈ ઈશ્વરની પેદાશ નથી ?
ઘણા ધર્મો કહે છે કે ઈશ્વર દુનિયાના સર્જનહાર છે; પણ જૈનધર્મ તો કહે છે કે તત્ત્વ સનાતન શાશ્વત છે, તેનો કોઈ સર્જક પણ નથી અને વિસર્જક પણ નથી. આ જૈનધર્મની વાત પ્રત્યક્ષથી પણ પુરવાર થાય છે. લાંબી બુદ્ધિ દોડાવ્યા વગર જુઓ તો, જેમ એક ટેબલ છે, તેનું પણ કોઈ મૂળમાંથી સર્જન કે વિસર્જન કરી શકે તેમ નથી. અરે ! આ ટેબલનો એક ખૂણો પણ કરોડો વૈજ્ઞાનિકો ભેગા થઈ મહેનત કરે તો પણ નવો બનાવી શકે તેમ નથી, અને છે તેનો સંપૂર્ણ નાશ કરી શકે તેમ નથી. આ સૃષ્ટિમાં જે છે તે કાયમ માટે છે અને જે નથી તે કાયમ માટે નથી. તેથી નવે નવ તત્ત્વો શાશ્વત છે. તેને સત્યરૂપે તમે સમજશો તો તમારું હિત થશે, નહીં સમજો તો તમે પોતે જ અથડાશો-કુટાશો, બીજો નહીં. જેમ રસ્તામાં ખાડો છે તે સત્યની જેને ખબર હશે
१ यद्यप्येषा द्वादशाङ्गी न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन भविष्यति अभूच्च भवति च भविष्यति च [नन्दीसूत्रे सू.११८] इतिवचनात् नित्या द्वादशाङ्गी, तथाप्यर्थापेक्षया नित्यत्वं शब्दापेक्षया तु स्वस्वतीर्थे श्रुतधर्मादिकरत्वमविरुद्धम्।
| (વર્ણસંગ્રહ૦ ફ્લો દરટી) ★ से किं तं सादीयं इत्यादि । इह पज्जातट्ठितो वोच्छित्तिणतो, तस्स मतेणं दुवालसंगं पि सादि सपज्जवसाणं । कहं? जहा णरगादिभवमवेक्खातो जीवो व्व। दव्वट्ठितो पुण अव्वोच्छित्तिणतो, तस्स मयेणं दुवालसंगं पि 'अणादि अपज्जवसाणं च' त्रिकालवत्थायी, जहा पंचत्थिकाय व्व।।
(નવી ગૂ) २ सोऽजरामररूपोऽपि, सिद्धान्तः परमार्थतः । लोके प्रसिद्धिमायातो, वरिष्ठेनैष कारितः।।६०५ । ।(उपमिति० छट्ठो प्रस्ताव)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org