________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૧૩ તેનો જ બચાવ શક્ય છે અને ખબર નહીં હોય તે પડશે. આ સંસારનું સત્ય કોઈ ઈશ્વરની પેદાશ નથી, આ સત્ય ત્રિકાલાબાધિત અનાદિનું છે. દ્વાદશાંગીમાં આ જગતના સત્ય સિવાય બીજું કંઈ પણ બતાવ્યું નથી. તેથી “અર્થથી દ્વાદશાંગી કદી નહોતી, નહીં હોય કે અત્યારે નથી” તેવું બોલાય નહીં. અર્થથી દ્વાદશાંગી નિત્ય જ છે, એટલે કે જગતનું સત્ય શાશ્વત-નિશ્ચલ છે. તેનું જ શરણ લઈ તીર્થકરો તીર્થકર બન્યા છે, ગણધરો ગણધર બન્યા છે. જે જગતતારક સત્ય ઉત્તમ પુરુષોને પણ તારે છે તેનાથી ઊંચું તારક તીર્થ બીજું કયું હોઈ શકે? તેથી 'શ્રુતજ્ઞાનમય દ્વાદશાંગી જ ધર્મતીર્થ છે, જે સર્વતારક છે.
ઋષભદેવ ભગવાન દ્વારા ધર્મ સ્થપાયો તે પહેલાં મરુદેવામાતા મોક્ષે ગયાં, તેથી તેમણે કાન દ્વારા શાસ્ત્રનો એક શબ્દ પણ સાંભળ્યો નથી, છતાં શાસ્ત્રનું અર્થરૂપ તત્ત્વ સ્વયે ફુરણાથી સમજીને તેને સાંગોપાંગ અનુસરણ કરવા દ્વારા જ તેઓ પણ મોક્ષે ગયાં છે. શાસ્ત્રોમાં દર્શાવેલ ઉત્સર્ગ-અપવાદના યથાર્થ જ્ઞાન વગર નિરતિચાર ચારિત્ર પ્રગટે નહીં, પૂર્વરૂપ શાસ્ત્રના જ્ઞાન વિના શુક્લધ્યાન કે ક્ષપકશ્રેણી આવે નહીં અને ચૌદપૂર્વના સંપૂર્ણ બોધ વિના કોઈ જીવ વીતરાગ બને નહીં. તેથી ક્ષયોપશમરૂપે શાસ્ત્રોનાં સર્વ તત્ત્વોનું જ્ઞાન મરુદેવામાતાને પણ પામવું પડે. તે વિના તરણ શક્ય જ નથી. અત્યારે તમારી બુદ્ધિ એટલી મંદ થઈ ગઈ છે કે શાસ્ત્ર શબ્દ બોલીએ એટલે પુસ્તકો જ દેખાવા માંડે છે, પણ જૈનશાસનમાં પુસ્તકને શબ્દરૂપ શાસ્ત્રના જ્ઞાનનું સાધન કહ્યું છે. વળી, અંર્થરૂપ શાસ્ત્ર તો સનાતન છે, જેના જ્ઞાનનું સાધન શબ્દરૂપ શાસ્ત્ર છે. તે સૂત્રરૂપ શાસ્ત્ર દરેક તીર્થકરોના શાસનમાં નવાં-નવાં રચાયાં. ઋષભદેવ ભગવાનના એક ગણધરે શબ્દથી જે શાસ્ત્ર રચ્યાં, તેના કરતાં બીજા ગણધરે શબ્દથી બીજાં રચ્યાં. ઋષભદેવ ભગવાનને ૮૪ ગણધરો હતા. તે સૌએ પ્રભુ પાસેથી તત્ત્વ ગ્રહણ કરી, શીધ્ર પોતપોતાના મસ્તિષ્કમાં સૂત્રાત્મક જુદી જુદી ૮૪ દ્વાદશાંગી રચી; જે પરસ્પર શબ્દોથી ભિન્ન હતી, છતાં સૌની દ્વાદશાંગીનો વાચ્યાર્થ એક જ હતો, એક જ તત્ત્વની જુદી જુદી રજૂઆત હતી, જે દરેક ગણધરના પરિવારમાં વાચનારૂપે ભિન્ન ભિન્ન પ્રવર્તી, તેથી ઋષભદેવના ૮૪ ગણધરો
- ગણ હતા. જ્યારે પ્રભુ મહાવીરસ્વામીના ૧૧ ગણધર અને ૯ ગણ હતા; કારણ કે પ્રભુના આઠમાનવમા અને દશમા-અગિયારમા એમ બે-બે ગણધરોની દ્વાદશાંગી શબ્દથી પણ સરખી હતી. તેથી તેમના શિષ્ય પરિવારમાં વાચનારૂપે પણ સૂત્રપરંપરા એકસરખી રહી, જે ગણનો અભેદ સૂચવે છે. સંક્ષેપમાં શબ્દરૂપે શાસ્ત્રનું નવસર્જન થાય છે, પરંતુ અર્થરૂપે શાસ્ત્રનું કોઈએ સર્જન કર્યું નથી કે કરશે પણ નહીં.
१ यदेतदाचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं परमागमरूपं तदाधारभूतचतुर्वर्णश्रीश्रमणसङ्घलक्षणं वा मन्दिरं
(उपमिति० प्रथम प्रस्ताव) * चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम्। द्वादशाङ्गं पुनर्जनं, वचनं पुरमुच्यते।।१०१।। (उपमिति० चतुर्थ प्रस्ताव) ★ श्रुतस्य धर्मः-स्वभावः श्रुतधर्मः, बोधस्वभावत्वात् श्रुतस्य धर्मो बोधोऽभिधीयते, अथवा जीवपर्यायत्वात् श्रुतस्य श्रुतं च तद्धर्मश्चेति समासः, सुगतिधारणाद्वा श्रुतं धर्मोऽभिधीयते, (आवश्यक नियुक्ति एवं भाष्य श्लोक १३० टीका) २ तथार्थ-ज्ञान-शब्दरूपत्वादधिकृतवचनस्य शब्दवचनापेक्षया नावचनपूर्वकत्वेऽपि कस्यचिद् दोषः, मरुदेव्यादीनां तथाश्रवणात्, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेः तत्त्वतस्तत्पूर्वकत्वमिति।
(નિવિસ્તરીટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org