SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૦ ઉદ્ધૃત કરીને મુકાયેલું છે. જેમ આખી દુનિયાનું પાણી મૂળ સ્રોતરૂપે દરિયામાં છે, નદી-તળાવમાં જે પાણી આવશે તે પરંપરાએ દરિયામાંથી જ આવશે; તેમ દ્વાદશાંગીમાં ગણધરો દ્વારા જે કાંઈ વર્ણન કરાશે, તે મૂળ આધારભૂત ૧૪ પૂર્વોમાંથી જ સંક્ષેપરૂપે ઉદ્ધૃત કરીને મુકાશે. ૧૧૪ પૂર્યો શ્રુતનો દરિયો છે. તેનું અવગાહન શ્રેષ્ઠ પ્રજ્ઞાસંપન્ન પુરુષ જ કરી શકે. સામાન્ય જીવને તત્ત્વનો બોધ ક૨વા ૧૪ પૂર્વે સાધન ન બની શકે. તેથી તેવા મંદ પ્રજ્ઞાસંપન્ન જીવોને જિનવાણીનો સંક્ષિપ્ત સાર સમજાવવા, અત્યંત ઉપકારબુદ્ધિથી ગણધરોએ ૧૪ પૂર્વ સિવાયનાં ૧૧ અંગ આદિ શાસ્ત્રો રચ્યાં. શાસ્ત્રરચનાના અવસરે ગણધરોની વ્યાપક અનુગ્રહબુદ્ધિ હોય છે. તેમને હૃદયમાં થાય છે કે જિનેશ્વરદેવનું તત્ત્વ મને મળ્યું છે, મેં જેનું સુમધુર પાન કર્યું છે, તે તત્ત્વ સંક્ષેપમાં એવા શબ્દોથી સ્થાપન કરીને મૂકું કે કોઈ પણ લાયક જીવ તેની તેની કક્ષા મુજબ કંઈક સાર પામી શકે, કલ્યાણ કરી શકે. દૃષ્ટિવાદરૂપ બારમું અંગ અને તેમાં ૧૪ પૂર્વો ધુરંધર પ્રજ્ઞાસંપન્ન વિદ્વાનોને અનુલક્ષીને રચાયાં છે. તેથી તે વિદ્ઘભોગ્ય સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મંદ પ્રજ્ઞાસંપન્ન જીવોને ઉપકાર કરવા આચારાંગ આદિ જે ૧૧ અંગરૂપ શાસ્ત્ર રચાયું છે, તે લોકભાષા પ્રાકૃતમાં છે. વાસ્તવમાં ૧૪ પૂર્વમાં ન હોય તેવી કોઈ વાત ૧૧ અંગમાં નથી. ૧૧ અંગમાં જે તત્ત્વ છે તે બધું ૧૪ પૂર્વમાં અવશ્ય છે, પણ ૧૪ પૂર્વમાં જે તત્ત્વ છે તે સમગ્રતાથી ૧૧ અંગમાં નથી; જેમ નદી-તળાવનું પાણી સમુદ્રમાં સમાય છે, પણ સમુદ્રનું પાણી નદી-તળાવમાં સમાતું નથી. આ ઉપમા છે. સંક્ષેપમાં કહું તો સર્વ શ્રુતજ્ઞાનની આધારશિલા ૧૪ પૂર્વ છે, છતાં માત્ર ૧૪ પૂર્વ ગણધરરચિત શાસ્ત્ર નથી, પરંતુ સમગ્ર દ્વાદશાંગી ગણધરરચિત છે . ૧૪ પૂર્વની રચના પ્રથમ કરી પણ અભ્યાસક્રમમાં છેલ્લે ટોચ પર મૂક્યું; કેમ કે ભણનાર વિદ્યાર્થી પ્રારંભમાં અલ્પજ્ઞ કે અલ્પ શક્તિમાન હોય, તેથી શરૂઆત smooth feedingથી ક૨વી પડે. કોલેજના અંતિમ વર્ગમાં પિરસાતા જ્ઞાનમાં પ્રાથમિક ધોરણોનું જ્ઞાન સમાઈ જ જાય છે, છતાં વિદ્યાર્થીને સીધો અંતિમ કક્ષાના ધોરણનો અભ્યાસક્રમ નથી ભણાવાતો, તેના જેવી આ વાત છે. તાત્પર્ય એટલું જ છે કે દ્વાદશાંગીનો એક વિભાગ ચૌદ પૂર્વ છે, છતાં સમગ્ર શાસ્ત્રનો મૂળ સ્રોત, ગંગોત્રી ચૌદ પૂર્વ જ છે. ચૌદપૂર્વમાં સર્વ શ્રુત સમાય, ૧૧ અંગમાં સર્વ શ્રુત ન સમાય. તેથી પૂર્વધરો શ્રુતના દરિયા કહેવાય. १ आह- ननु प्रथमं पूर्वाण्येवोपनिबध्नाति गणधर इत्यागमे श्रूयते, पूर्वकरणादेव चैतानि पूर्वाण्यभिधीयन्ते, तेषु च निःशेषमपि वाङ्मयमवतरति, अतश्चतुर्दशपूर्वात्मकं द्वादशमेवाङ्गमस्तु किं शेषाङ्गविरचनेन ? अङ्गबाह्यश्रुतरचनेन वा? इति, अत्रोच्यतेयद्यपि दृष्टिवादे सर्वस्यापि वाङ्मयस्यावतारोऽस्ति तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां मन्दमतीनां तथा श्रावकादीनां स्त्रीणां चानुग्रहार्थं विशेषश्रुतस्य पूर्वेभ्यो विभिन्नस्याङ्गबाह्य-शेषाङ्गरूपस्य विरचना कृतेति । स्त्रीणां दृष्टिवादे अधिकार एव नास्ति । (નંતીપૂત્ર ટીજોરિ ટિપ્પળ) २ यथाभव्यं व्यापकश्चानुग्रहविधिः, उपकार्यात् प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्त्तनात्। महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वात् । (ललितविस्तरा टीका) 3 यदिति श्रुतमस्माभिः पूर्वेषां सम्प्रदायतः । चतुर्दशापि पूर्वाणि संस्कृतानि पुराऽभवन् । । ११३ ।। प्रज्ञातिशयसाध्यानि तान्युच्छिन्नानि कालतः । अधुनैकादशांग्यस्ति सुधर्मस्वामिभाषिता । । ११४ । । बाल- स्त्री - मूढ - मूर्खादिजनानुग्रहणाय सः । प्राकृतां तामिहाकार्षीदનાસ્થાઽત્ર વં હિ વઃ ।। ́ ।। (प्रभाचंद्रसूरि कृत प्रभावकचरित्रे वृद्धवादिसूरि चरितम्) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy