________________
ભાવતીર્થ – ગીતાર્થ ગુરુ
૧૮૭
હજારથી વધારે વર્ષો સુધી ચાલશે. `અંતિમ યુગપ્રધાન શ્રી દુપ્પસહસૂરિ થશે, જેઓ ક્ષાયિક સમકિતના ધણી હશે અને તે કાળમાં જેટલું શાસ્ત્રજ્ઞાન વિદ્યમાન હશે તેના સાંગોપાંગ ધારક ગીતાર્થ હશે. જ્ઞાન ક્રમશઃ ઘસાતું જાય છે. પૂર્વે ૧૪ પૂર્વ હતાં તે ભગવાનના છઠ્ઠા પટ્ટધર સુધી રહ્યાં. સ્થૂલભદ્રસ્વામી સૂત્રથી ૧૪ પૂર્વધર અને અર્થથી ૧૦ પૂર્વધર થયા. ત્યારપછી શાસનમાં ૧૦ પૂર્વધરની પરંપરા ચાલી. છેલ્લા ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. આ બધા પટ્ટધરો શ્રેષ્ઠ તીર્થસ્વરૂપ હતા, શ્રુતકેવલી હતા. તેમની દેશના અમોઘ જ હોય. ગમે તેવો નાસ્તિક જીવ આવે, પણ જો તેનામાં અંશમાત્ર પણ લાયકાત હોય તો તેને માર્ગે ચડાવવાની પૂરેપૂરી ક્ષમતા આવા ગીતાર્થ ગુરુઓમાં અવશ્ય હોય.
પરોપકારનું પ્રધાન સાધન દ્વાદશાંગીરૂપ સમ્યક્ શ્રુતજ્ઞાન :
સભા : દસપૂર્વીને શ્રુતકેવલી કહેવાય ?
સાહેબજી : જેને સર્વ વસ્તુનું જ્ઞાન છે તે પૂર્ણજ્ઞાની કેવલી કહેવાય, જ્યારે શ્રુતના બળથી વાણી દ્વારા સર્વ વસ્તુઓ પ્રતિપાદન કરી શકે તે શ્રુતકેવલી કહેવાય. આવી ક્ષમતા દસ પૂર્વધર સુધીના શ્રુતજ્ઞાનીઓમાં હોય છે, તેથી દસ પૂર્વથી આરંભીને ઉપર સર્વ શ્રુતજ્ઞાનીઓ શ્રુતકેવલી કહેવાય. આમજનતાના બધા પ્રશ્નોનો હાજરાહજૂર જવાબ આપવાની શક્તિ તેમનામાં હોય. અમારી પાસે આવી શક્તિ નથી. મને તમે પૂછો કે ગયા ભવમાં હું ક્યાં હતો ? તો હું ન કહી શકું. બહુ બહુ તો તમારી માનસિક વૃત્તિઓના પરીક્ષણથી અંદાજ કાઢી શકાય કે દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક ક્યાંથી આવ્યા હશે. પણ તે અંદાજ અંદાજિત જ્ઞાન છે, સુનિશ્ચિત નથી. હું ભૂત-ભાવિ-વર્તમાનનો ત્રિકાલવેત્તા નથી. અમારી પાસે એવું શાસ્ત્રજ્ઞાન નથી કે ભૂતભવિષ્યના પ્રસંગો કહી શકાય. વળી, અત્યારે તમારા મનમાં કેવા વિકલ્પો ચાલે છે તે પણ હું ચોક્કસ જાણી ન શકું. માત્ર તમારા મુખની રેખા પરથી અંદાજ મેળવું, પણ તે જ્ઞાન અચોક્કસ-અધૂરું છે. જ્યારે શ્રુતકેવલી તો શ્રોતાના મનમાં કેવી ગડમથલ ચાલે છે તે પણ શ્રુતના બળથી નિશ્ચિંત જાણી શકે છે.
સભા : બધા શ્રુતકેવલી સર્વ શ્રુતનો પાર પામ્યા હોય ?
સાહેબજી : ના, સર્વશ્રુતનો પાર તો ચૌદપૂર્વી પામ્યા હોય. વળી, ચૌદપૂર્વીમાં પણ ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી ગણધરો છે.
સભા : ગણધરોને પણ શ્રુતજ્ઞાનાવરણીયનો ઉદય હોય ?
સાહેબજી : હા, હોય. હજુ અભિલાપ્ય ભાવોમાંથી અનંતમા ભાગને જ તેમણે જાણ્યો છે. છતાં વાણીમાં એવી ક્ષમતા છે કે સમજાવવામાં કચાશ કે અધૂરપ ન હોય.
૧ દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિગ્નગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭. (સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ ૧૬મી) द्रव्यतः श्रुतज्ञानी उपयुक्तः सन् सर्वद्रव्याणि जानाति पश्यतीति, अत्राभिन्नदशपूर्वधरादिः श्रुतकेवली परिगृह्यते, .
( नंदी सूत्र सूत्र ११९ टीका)
૨
...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org