________________
૧૮૯
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ મહિમા કરો તેટલો ઓછો છે. તેમની પૂજા તે તીર્થની પૂજા છે. આવા ગીતાર્થ-જ્ઞાની પુરુષની જે ભક્તિ કરે તે સમગ્ર ધર્મતીર્થની ભક્તિ કરે છે. ગીતાર્થ-જ્ઞાની ધર્મગુરુની લોકમાં જેટલી પ્રભાવના કરો તેને તીર્થની, શાસનની, ધર્મની પ્રભાવના કહી છે. પર્યુષણનાં પ્રવચનોમાં શ્રાવકનાં અગિયાર વાર્ષિક કર્તવ્યોનું બીજું પ્રવચન આવે છે, તેમાં દશમું કર્તવ્ય તીર્થપ્રભાવના કહ્યું છે. તેનો અર્થ કરતાં લખ્યું કે, વર્ષમાં એક વાર શ્રાવકે તીર્થસ્વરૂપ ગુરુની ભવ્ય નગરપ્રવેશ આદિ દ્વારા પ્રભાવના કરવી; કારણ કે તેમના પરિચયથી જ પાત્ર જીવો પ્રતિબોધ અને માર્ગ પામશે, તેમનામાં જ સાચી તારકશક્તિ છે.
સભાઃ અમને હજી એવો ઉલ્લાસ કેમ થતો નથી ?
સાહેબજીઃ કારણ કે તમારા માનસપટ પર અર્થ-કામનો જ અત્યંત પ્રભાવ છે, તેથી ગુણસમુદાયની કિંમત દેખાતી જ નથી. રત્નોના ઢગલાથી પણ ગુણ વધારે મહત્ત્વની ચીજ છે. આત્મિક ગુણો પાસે રત્નના ઢગલા પણ તુચ્છ છે. જેઓ ગુણથી ઉત્તમ છે તે જ આ જગતમાં સાચા શ્રેષ્ઠ પુરુષો છે. જેની પાસે ગુણવૈભવ છે, તે જ સાચા ઐશ્વર્યવાળો છે. ગુણમાં જ સાચી સમૃદ્ધિનું ભાન થાય તો તમારી બુદ્ધિ નિર્મલ થઈ જાય. સમ્યગ્દષ્ટિને તો ગુણમાં જ ઐશ્વર્યનું અવશ્ય ભાન થાય. સમકિત આવ્યા પછી ગુણથી ઊંચું કાંઈ દેખાતું નથી.
જ્યાં ગુણ દેખાય ત્યાં સમકિતીનું માથું ઝૂકી જાય, ઓવારી જાય. તીર્થસ્વરૂપ ગુરુ હજારો ગુણોના ભંડાર અને તે તે યુગના યુગપુરુષ હોય?
વળી તીર્થસ્વરૂપ સદ્ગુરુઓમાં મુખ્ય ગુણ સૂત્રાર્થનું જ્ઞાન છે, પણ તે એક જ ગુણ નથી. તારક બનનારમાં બીજા હજારો ગુણો હોય છે. તેઓ નિઃસ્પૃહી, પરોપકારશીલ, ત્યાગી, ધર્માવતાર, આદેયવચન, સહિષ્ણુ, શરણે આવેલાના અનેક દોષોને પચાવી શકે તેવા ધીર-ગંભીર, સૌજન્યશીલ આદિ અનેક અદ્વિતીય ગુણોના ભંડાર હોય છે. તારક તીર્થ બનનાર વ્યક્તિ સામાન્ય નથી. તે તે યુગમાં વિશેષ યુગપુરુષ કહી શકાય તેવા ઉત્તમ પુરુષ જ દરેક કાળે તીર્થસ્વરૂપ બને. તેમનાં દર્શન પણ મહાપુણ્યથી થાય, તેમનું સાન્નિધ્ય તો મહાભાગ્યથી જ મળે. વળી તે મળ્યા પછી તો જે સાચા ગુણગ્રાહી હોય અને સમર્પણપૂર્વક અનુશાસનમાં રહેવા તૈયાર હોય, તેમનું તો કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. પ્રભુ મહાવીરના શાસનમાં તીર્થની અવિચ્છિન્ન પરંપરા :
તમને ક્રમશઃ તીર્થની અવિચ્છિન્ન પરંપરા દેખાવી જોઈએ. પ્રભુ મહાવીરના પ્રથમ પટ્ટધર એવા પંચમ ગણધર સુધર્માસ્વામીથી અત્યાર સુધી શાસનમાં અવિચ્છિન્ન તીર્થપરંપરા ચાલી છે અને હજુ બીજા અઢાર
१ आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो। गच्छाणुकंपयाए अव्वोच्छित्ती कया तित्थे।।१२७भा.।।
(ओघनियुक्ति भाष्यगाथा १२७ आ. द्रोणाचार्य वृत्ति) २ तथा प्रवचनप्रभावनता च, सा च यथाशक्त्या मार्गदेशनेति २०।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १७९-१८०-१८१ टीका) 3 पुरुषविशेषे सूत्रार्थोभयनिष्णाते तीर्थकल्पे गुरौ, (षोडशक त्री, श्लोक १०, उ. यशोविजयजीटीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org