________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૮૫
અન્યની સહાયથી પુરુષાર્થ કરી તરનાર. આ બીજા પ્રકારના જીવોને તરવા માટે તીર્થનું શરણું સ્વીકારવું પડે. તીર્થ તારે ખરું પણ સહાયક તરીકે જ તારે. બીજાને તા૨વા માટે સહાયના મુખ્ય બે પ્રકારો છે. (૧) ઉપદેશાત્મક વાણી અને (૨) સતત સારણા, વારણા આદિરૂપ અનુશાસન. તીર્થંકરો પાત્રને ઉપદેશ આપે છે, પણ અનુશાસનની જવાબદારી ગણધરોને સોંપે છે; જ્યારે ગણધરો તીર્થંકરોની હાજરીમાં જ ઉપદેશ પણ આપે છે અને અનુશાસન પણ આપે છે. તીર્થ વાણીના માધ્યમથી જ ઉપદેશ અને અનુશાસન દ્વારા તરવા માટે સહાય કરે, પરંતુ તરનારે તરવાનો પુરુષાર્થ તો સ્વયં કરવો જ પડે. ઉત્તમ સદ્ગુરુ, ગણધરો કે તીર્થંકર પણ કોઈને સીધા ઉપાડી મોક્ષમાં મૂકી દે, તેવું બનતું નથી. જેમ આરોગ્યશાસ્ત્રનો નિષ્ણાત ચિકિત્સક હોય, આયુર્વેદની ભાષામાં કહીએ તો સાક્ષાત્ ધન્વંતરી હોય, કે જેની સલાહનું અનુસરણ ક૨વાથી સર્વ સાધ્ય રોગ અવશ્ય મટે, અરે ! મોતના મોંમાં ગયેલા દર્દીના રોગનું નિવારણ ક૨વાની પણ જેનામાં ચોક્કસ શક્તિ છે, આવો ધન્વંતરી વૈદ્ય પણ જો દર્દી સ્વયં ચિકિત્સા કરવા તૈયાર હોય તો જ તેને નીરોગી કરી શકે. દર્દી ચિકિત્સા જ ન સ્વીકારે તો ધન્વંતરી પણ આરોગ્ય ન આપી શકે. વળી ધન્વંતરી મુખ્યત્વે માર્ગદર્શનરૂપે રોગનિવારણની સલાહ જ આપશે. તે સલાહ પ્રમાણે દર્દીએ જ ઔષધ અને પથ્યનું સેવન અને અપથ્યનો ત્યાગ કરવો પડે. તમે કહો કે ‘વૈદ્ય દવા ખાય, વૈઘ ચરી પાળે અને હું સાજો થાઉં.’ તો તેવું કદી બને નહીં. તેમ અહીંયાં પણ સાધનાનો પુરુષાર્થ કરનારને જ તીર્થ તારે.
ગીતાર્થ જ્ઞાની ધર્માચાર્યની ખ્યાતિ ફેલાવવી તે તીર્થપ્રભાવના છે :
તીર્થંકરો ગણધરોને તીર્થ તરીકે સ્થાપે છે, ગણધરો પોતાના ઉત્તમ શિષ્યને ઉત્તરાધિકારી તીર્થ તરીકે સ્થાપે, એમ ક્રમિક અવિચ્છિન્ન પરંપરા ચાલે. તીર્થંકરની વાણીમાંથી સારરૂપે સૂત્રાત્મક તત્ત્વ ગણધરોએ ગણધરનામકર્મના ઉદયથી ગૂંછ્યું છે, જેમાં સમગ્ર કલ્યાણમાર્ગનું જ્ઞાપન કરાવવાની તાકાત છે. તેથી જે વ્યક્તિ તીર્થ બને તેના માટે શરત એ જ છે કે પોતે સ્વયં સૂત્રાર્થના પારગામી હોવા જોઈએ, તેની પાસે પાત્રને માર્ગદર્શન આપવા પૂરેપૂરું સમગ્રતાથી વિશાળ જ્ઞાન જોઈએ. જેની પાસે તેવું પથદર્શક જ્ઞાન નથી, તે શરણે આવેલાને વાણી દ્વારા યથાર્થ ઉપદેશ કે અનુશાસન નહીં આપી શકે, અને તે વિના નબળા જીવોને તારી શકાતા નથી. સામાન્ય મુમુક્ષુને ઉપદેશ અને અનુશાસન બંને જોઈએ. તે આપનાર અત્યાર સુધીમાં જેટલા ઉત્તમ પુરુષો થયા, તે બધા તીર્થસ્વરૂપ હતા. તેમનો મહિમા ગાતાં લખ્યું કે, આવા તીર્થસ્વરૂપ મહાપુરુષો આખા જગત માટે આશીર્વાદરૂપ છે, ઘોર સંસારમાં અટવાયેલ જીવોને દીવાદાંડીની જેમ માર્ગ બતાડનાર તીર્થસ્વરૂપ વ્યક્તિઓ છે, તેમના સિવાય કોઈ સાચો આધાર કે શરણ નથી. જેમણે એમને પકડ્યા છે તે જ તરવાના છે. આવા ઉત્તમ પુરુષો અમૃતની વર્ષા કરનારા પુરુષો છે. તેમની જેટલી ભક્તિ કરો, જેટલો
१ तित्थपभावगपूआ, जिणे अ तित्थे अ पज्जवसिअ त्ति । इट्ठा सा वि य ण हवे, अणिच्छियत्ते जओ भणियं । । ७५ ।।
‘तित्थ’त्ति । तीर्थप्रभावकस्य-शास्त्राध्ययनाध्यापनादिना जिनशासनश्लाघाकारिणो गणधारिणः पूजा, 'जिने च' शास्त्रस्वामिनि ‘तीर्थे च’ प्रवचने पर्यवसिता शास्त्रगुणेन श्लाघ्यमाने आचार्येऽर्थाच्छास्तृशास्त्रयोरपि श्लाघालाभादिति हेतोरिष्टा, स्वपूजायामपि शास्तृशास्त्रश्लाघात्वेनेष्यमाणायां दोषाभावादिति । 'सापि च' पूजा न भवेत् 'अनिश्चितत्वे' श्रुतार्थापारगत्वे, यतो भणितं સમ્મેત્યાવો।૩૭ ।| (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक ७५ मूल - टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org