SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : સામાન્ય સાધુ તીર્થસ્વરૂપ બની શકે ? સાહેબજીઃ 'હા, મુનિ પણ સૂત્રાર્થનો જ્ઞાતા હોય, ઉભયજ્ઞ હોય તો તે તીર્થસ્વરૂપ જ કહ્યો છે. તે પણ વ્યક્તિરૂપે. ભગવાન હાજર હતા ત્યારે ગણધરો મુખ્ય તીર્થ હતા. તે પછી ગણધરો તેમના પટ્ટધરોને તીર્થરૂપે સ્થાપિત કરી ગયા, તે તેમના પટ્ટધરને, તે રીતે અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. આજ દિવસ સુધીમાં અનેક લાયક જીવો શાસનમાં આવ્યા અને શક્તિ પ્રમાણે ઉપાસના કરી. તે સૌને રસ્તે ચડાવનાર, આગળ આગળનો માર્ગ દર્શાવનાર અને છેક પાર પહોંચાડનાર આવી તીર્થસ્વરૂપ વ્યક્તિઓ જ હતી. જેઓ આવાના શરણમાં નથી તે નામથી જ સંઘમાં છે, બાકી હકીકતમાં સંઘની બહાર છે. આમાં કોઈપણ બાંધછોડ નથી. પથદર્શક પથગ્ન હોવો જ જોઈએ. ચિકિત્સક ચિકિત્સાશાસ્ત્રનો જ્ઞાતા અવશ્ય જોઈએ. તેમાં કોઈ વિકલ્પ નથી. સભાઃ ગણધરોની હયાતિમાં સંઘમાં જે જે ઉભયજ્ઞ મુનિ હતા તે બધા તીર્થ સ્વરૂપ ગણાય ? સાહેબજી : હા, બધા તીર્થસ્વરૂપ ગણાય. હોદ્દો કે પદ વિના પણ સાચું સામર્થ્ય હોય તો તેનો આ શાસનમાં સ્વીકાર છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મર્યાવસારૂoi, woi લિઈIM Affordi Iloil (મમ્મલિત પ્રફOTo મ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જે જીવ સ્વપુરુષાર્થ કરવા તૈયાર નથી તેને તીર્થ પણ તારી શકતું નથી ? આ જગતમાં કોઈ પણ જીવને કલ્યાણ કરવું હોય તો સ્વપુરુષાર્થથી સાધના કરવી પડે. જે જીવ સાધનાનો પુરુષાર્થ કરવા તૈયાર નથી તેવાને કોઈ તારી શકે નહીં. તમારે કે મારે જેણે પણ તરવું હોય તે બધાએ સ્વપુરુષાર્થની તૈયારી રાખવાની જ છે. જે સક્ષમ સાધક છે, સ્વયં જ્ઞાની, પ્રબુદ્ધ, પ્રાણ છે, તેવાને તરવા સ્વપુરુષાર્થ સિવાય કોઈ માર્ગદર્શન કે સહાયની જરૂર નથી. પરંતુ ઘણા સાધકો સ્વપુરુષાર્થ કરવા તૈયાર હોય પણ તેમને માર્ગદર્શન-દિશાસૂચનની જરૂર પડે. આ અગાધ સંસારમાં કુલ અનંતી અનંતી જીવરાશિ છે. તેમાંથી જે આત્મકલ્યાણ કરવા કટિબદ્ધ નથી તેને તો ભગવાન પણ ન તારી શકે. હવે આત્મકલ્યાણ કરવા જે કટિબદ્ધ છે તેના પણ બે પ્રકારો પડશે. (૧) માત્ર સ્વપુરુષાર્થથી તરનાર, અને (૨) १ सन्ति-विद्यन्ते तीर्थानि ममेति गम्यते, उक्तं हि - “साधूनां दर्शनं श्रेष्ठं, तीर्थभूता हि साधवः। तीर्थं पुनाति कालेन, सद्य: સાધુસમામ: ” (ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ - દરિણીય અધ્યયન પૃ. ૩૭૩, ગા. શાન્તિસૂરિ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy