________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ જાણકાર છે, આગળ વધીને સંભવિત વિદ્ગો કે અવરોધોનો પણ જ્ઞાતા છે અને તેના નિરાકરણરૂપ ઉપાયોમાં પણ નિપુણ છે; ટૂંકમાં સાંગોપાંગ માર્ગદ્રષ્ટા છે, તે જ વ્યક્તિ તારક તીર્થ છે. જેને પોતાને આગળ રસ્તો દેખાતો નથી, માર્ગની જાણકારી શૂન્ય છે, તેવો માણસ બીજાને રસ્તો દેખાડવા જાય તો પોતે પણ અટવાઈ જાય અને બીજાને પણ રખડાવે. અજાણ્યા વિસ્તારમાં ગયા હો અને કોઈ ગામમાં પહોંચવું હોય ત્યારે, રસ્તો પૂછવા તમે ખાલી સજ્જન માણસની સલાહ લો કે તે વિસ્તારનો જાણકાર હોય તેની સલાહ લો? જેને પોતાને રસ્તાની જાણકારી ન હોય તેવો સજ્જન અને પરગજુ માણસ પણ, અજાણ્યા વિસ્તારમાં તમને સહાય કરવા તૈયાર હોય, અને ચોક્કસ સ્થળે લઈ જવા તૈયારી બતાવે, તો પણ તમે તેના પર મદાર રાખી જવા તૈયાર થાઓ? કારણ કે તમને ખબર છે કે તે પોતે જ રસ્તાનો જાણકાર નથી, તો અન્યને શું બતાવશે ? બાહ્ય જગતમાં પણ બીજાના માર્ગદર્શક બનનારને માર્ગનું જ્ઞાન અનિવાર્ય છે, તેમ આંતર જગતમાં પણ મોક્ષમાર્ગનો નેતા બનનાર અવશ્ય માર્ગદ્રષ્ટા હોવો ઘટે. તે જ તારક તીર્થ છે અને મુમુક્ષુને તેનું જ શરણ સ્વીકારવું યોગ્ય છે.
ઘોર અટવીમાં ભૂલા પડેલા મહાત્માને નયસાર પૂછે છે કે, તમે ભરબપોરે આવા તડકામાં અટવીમાં કેમ ભમો છો ? તો તે મહાત્માઓ જવાબ આપે છે કે અમે રસ્તો ભૂલ્યા છીએ. ત્યારે માર્ગાનુસારી ગુણસંપન્ન નયસાર કહે છે કે તમે ચિંતા ન કરો. પહેલાં મને ભોજનનો લાભ આપો, પછી હું તમને સીધો માર્ગ બતાવીશ. ત્યારબાદ બહુમાનપૂર્વક યોગ્ય સરભરા કરી વિદાય વખતે ધર્માચાર્યને કહે છે કે મારી સાથે ચાલો, હું આપને આ અટવીમાંથી માર્ગે પહોંચાડી દઉં. અહીં નયસાર રસ્તે ચડાવવાનો દાવો કરે છે; કેમ કે તે અટવીના રસ્તાઓનો જાણકાર છે, તે પ્રદેશમાં ક્યાંથી કઈ બાજુ પહોંચાય તેની તેને સ્પષ્ટ જાણકારી છે. માત્ર ભક્તિવાળો હોય પણ માર્ગનો અન્ન હોય, અને તેના ભરોસે સાધુઓ દોરવાય તો હજી પણ અટવાતા જ રહે. તેથી બાહ્ય જગતમાં પણ પાર ઊતરવા માર્ગનું જ્ઞાન અનિવાર્ય છે. સાધુને રસ્તે ચડાવ્યા પછી પાછા ફરવાના અવસરે નયસારને ધર્માચાર્ય કહે છે કે, આ અટવીમાં ભૂલા પડેલા અમને જાણકાર એવા મેં રસ્તો બતાવ્યો, તેમ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા તને પાર પામવાનો ભાવમાર્ગ દર્શાવવાની અમને પણ ઇચ્છા છે. અહીં નયસારને ભાવમાર્ગ દર્શાવવાનો દાવો કરનાર આચાર્ય આંતર જગતના માર્ગદ્રષ્ટા જ છે. તેથી જ પ્રથમ ભવમાં પ્રભુ મહાવીરના આત્માને જીવંત તીર્થસ્વરૂપ ધર્માચાર્યના સાક્ષાત્ યોગથી તરવાનો પ્રારંભ થયો છે. જો નયસારને પણ માર્ગદ્રષ્ટા ગુરુ ન મળ્યા હોત તો તરવાનો અવકાશ જ પેદા ન થાત.
આ જગતમાં તરવાપાત્ર જીવો અતિ અલ્પ છે, મોટા ભાગે જીવો ડૂબવાપાત્ર છે; કારણ કે ચોરાશી લાખ જીવાયોનિમાં જીવ રઝળી-૨ઝળીને ગમે તેટલો હેરાન-પરેશાન થાય, સખત માર પડે તો પણ તેને મુમુક્ષુભાવ જાગતો જ નથી. કોઈ વિરલા જીવને જ પાર ઊતરવાની મુમુક્ષા જાગે છે. તેવા જે પાત્ર છે તે સર્વ શરણાગતને તારવાની જવાબદારી તીર્થ લે છે. જેને તરવાની ઇચ્છા છે તે નક્કી વહેલો મોડો તરવાનો. પણ સંસારમાં મોટા ભાગના જીવો તરતા જ નથી, અનંતકાળથી અનંતા જીવો એમ ને એમ રખડે છે; કેમ કે તેમને તરવાની ઇચ્છા જ નથી. પણ જે જીવો તરવાપાત્ર છે, સાધના કરવા તત્પર છે, છતાં સ્વબળે તરવાની શક્તિ નથી; કારણ કે માર્ગના જાણકાર નથી; તેથી જેઓને પુરુષાર્થ કરવા અન્યની સહાય-આલંબનની જરૂર છે, તેવા જીવોને તારવા માટે તીર્થ છે. જેમ નદી-તળાવ-સમુદ્રમાંથી બહાર નીકળવાના રસ્તાઓના જાણકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org