________________
૧૭૭
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ. સદ્ગુરુ સામેથી નહીં કહે કે હું જ સાચો ગુરુ છું.
સભા : એક ગુરુને પકડ્યા પછી તેમનામાં ક્ષતિ દેખાય તો ?
સાહેબજી: બીજી ક્ષતિ હજારો ચાલે, જે સાધુ મહાવ્રતો શુદ્ધ પાળે છે અને શ્રદ્ધાથી જિનાજ્ઞાને સમર્પિત છે, તેવાના લાખ દોષ પચાવવાની તમારી તૈયારી જોઈએ. ન પચાવો તો તમે અપાત્ર. બધા જ પવિત્ર સાધુઓ ભક્તિપાત્ર છે, તેમાં દૃષ્ટિરાગથી ભેદભાવ રાખશો તો તમને પાપ લાગશે. છતાં તરવું હોય તો સંવિગ્ન- મે ગીતાર્થ તીર્થને જ સ્વીકારવું રહે. રોગની દવા કરવા માત્ર સજ્જન માણસ ન ચાલે, પણ આરોગ્યશાસ્ત્રનો નિષ્ણાત અવશ્ય જોઈએ. એમ, આત્માના ભાવઆરોગ્યને પામવા શાસ્ત્રજ્ઞ ચિકિત્સક જોઈએ. જે તીર્થને, શોધીને શરણે જવા તૈયાર નથી તેનો આ શાસનમાં પ્રવેશ જ નથી. શાસ્ત્રમાં લખ્યું કે 'મહા તપસ્વી, ત્યાગી, પવિત્ર ચારિત્રને પાળનાર સાધુ પણ ગમે તેટલી આરાધના કરતો હોય, છતાં જો તે સ્વયં ગીતાર્થ નથી કે ગીતાર્થની નિશ્રાએ નથી, તો તેનું બધું ધર્માનુષ્ઠાન ફોક છે. તો પછી નિશ્રાશૂન્ય શ્રાવકની તો શું વાત કરવી! પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, પાળ વિના જેમ પાણી ન રહે, જીવ વિના જેમ કાયા રે; ગીતારથ વિણ તેમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે.
વિચાર કરો કે આ શાસનમાં તીર્થના શરણનો આગ્રહ કેટલો છે ! સભાઃ આપ તીર્થને મહત્ત્વ આપો છો, જ્યારે બીજા કુલાચારને મહત્ત્વ આપે છે તેવું નથી લાગતું ? સાહેબજી : પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યુંજ્ઞાન, દર્શન, ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લૂંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે.
અર્થાતું પોતે પવિત્ર ચારિત્ર પાળનાર સાધુ પણ, પાટ ઉપર બેસીને ઉપદેશ દ્વારા લોકોને માત્ર કુલાચારમાં જ જોડે છે, પરંતુ સાચો મોક્ષમાર્ગ નથી સમજાવતા, તે સાધુ વાસ્તવમાં સાધુવેશમાં રહેલા લૂંટારા છે.
સભાઃ આવા સાધુએ શું લૂંટ્યું ?
श्रावकाश्च नो नैव सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्तन्ते। किंत्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः। इति पूर्ववत्। तस्मात् कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु प्रतिबन्धो बहुमानः कार्यः।।८३८ ।।
(उपदेशपद महाग्रन्थ श्लोक ८३८ टीका) १ ज्ञानादीनामभावे सति भवति विशिष्टानां, किमित्याह - अनर्थकं 'सर्वं' निरवशेषं शिरस्तुण्डमुण्डनाद्यपि, आदिशब्दाद्भिक्षाटनादिपरिग्रहः, कथमनर्थकमित्याह - विपर्ययात् कारणाद्, यथाऽन्येषां-चरकादीनामिति गाथार्थः ।।९४३।। न च स्वमतिविकल्पेन आगमशून्येन यथा तथा कृतमिदं-शिरस्तुण्डमुण्डनादि फलं ददाति स्वर्गापवर्गलक्षणम्, अपिच आगमानुपाताद्' आगमानुसारेण कृतं ददाति, किमिवेत्याह - रोगचिकित्साविधानवत्, तदेकप्रमाणत्वात् परलोकस्येति गाथार्थः।।९४४ ।। ‘इय' एवं द्रव्यलिङ्गमात्रं भिक्षाटनादिफलं प्रायोऽगीतार्थाद् गुरोः सकाशाद् ‘यद्' यस्मादनर्थफलं विपाके जायते 'तत्' तस्माद्विज्ञेयः तीर्थोच्छेद एव 'भावेन' परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति गाथार्थः।।९४५।। द्वारम्।।
(पंचवस्तुक श्लोक ९४३-९४४-९४५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org