SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ માર્ગદર્શક બને તો ભયંકર પાપ લાગે. કોઈ આંધળો કહે કે હું આખા ગામને દોરીને રસ્તે ચડાવું, તો તેને અનુસરનારનું શું થાય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, નયન રહિત જેમ અનિપુણ દેશે, પંથ નટ્ટ જેમ સત્ય રે; જાણે હું ઠામે પહોંચાડું, પણ નહીં તેહ સમસ્થ રે. સભા : સામાન્ય ગુરુએ પણ કુલાચારમાં તો જોડ્યા ને ? સાહેબજીઃ હા, ચોક્કસ, કુલાચારમાં જોડવાનો ઉપકાર કર્યો કહેવાય, પરંતુ તે તારક તીર્થ ન કહેવાય; કેમ કે ભાવથી શાસન પમાડ્યું નથી અને પમાડવાની ક્ષમતા પણ નથી. જેમાં આવી ક્ષમતા હોય તે જ જીવંત વ્યક્તિ સ્વરૂપે તીર્થ કહેવાય. સાચા માર્ગદર્શક ગીતાર્થ ગુરુ સાક્ષાત્ તીર્થ છે; કેમ કે તેમનું શરણું-અનુશાસન સ્વીકારે તેને તરવાની ગેરંટી છે. આ કાયમનો નિયમ છે. સભા અભવિ ગુરુ કેટલાયને મોક્ષે મોકલે છે. સાહેબજી : શાસ્ત્રથી અબૂઝ-અભણ અભવિ કોઈને મોક્ષે મોકલતો નથી. ગીતાર્થ અભવિ જ ઉપદેશ આપી બીજાને તારી શકે છે, પણ ત્યાં પોતાનામાં સંવિગ્ન-ગીતાર્થતા નથી. જેમ કે જાણકાર પણ ખોટો ડૉક્ટર prescription સાચું આપી શકે છે, તેથી દર્દી સાજો થાય છે. છતાં અભવિની તારકતા શાસ્ત્ર ઔપચારિક જ કહી છે; કેમ કે તેનામાં પોતાની જાતને તારવાની પણ ક્ષમતા નથી. તેથી અભવિને તીર્થ બનવાનો કોઈ સવાલ નથી. સભાઃ ગીતાર્થ શ્રાવક ગુરુ તરીકે ચાલે ? સાહેબજીઃ ગીતાર્થ શ્રાવકને અવસરે consult કરાય-સલાહ લેવાય, પણ ગુરુપદ તો ચારિત્રધરમાં જ છે. સભાઃ ગીતાર્થતાના આટલા આગ્રહથી સર્વોપરિતા તો જ્ઞાનની જ થઈ ને ? સાહેબજીઃ ના, સર્વોપરિતા ગીતાર્થ ચારિત્રધરની જ આવશે. જો જ્ઞાનની સર્વોપરિતા હોય તો ગીતાર્થ ગૃહસ્થને પણ ગુરુ બનાવાય. પરંતુ તેની ના પાડી. જે પાળતો નથી તેને લોકને ઉપદેશ આપવાનો અધિકાર નથી. તેના ઉપદેશ અને વાણીમાં અસરકારકતા પણ નહીં હોય. પૈસા પાપ છે, તે બોલતાં પહેલાં મેં (સાધુએ) પૈસા છોડ્યા છે. હું પૈસા રાખીને ફરતો હોઉં અને તમને કહું કે પૈસા પાપ છે, તો તેની અસર કેટલી ? આ શાસનમાં માર્ગદર્શક ગુરુપદ સંવિગ્ન-ગીતાર્થને અનામત છે. જેને પોતાને જ રસ્તો ખબર નથી તેવાના પગ તમે પકડો તો તમારી દશા શું થાય ? એ તો અટવાતો ફરે સાથે તમે પણ અટવાતા ફરો. સભાઃ અત્યારે તીર્થસ્વરૂપ સાધુ ખરા ? સાહેબજી : 'ન હોય તો શાસનનો લોપ થઈ જાય. ‘તરવું હોય તો સ્ત્રાર્થના જ્ઞાતા શોધી લાવો. १ जा तित्थं अणुवित्ती, दुण्ह णियंठाण संजयाणं च। चउरो गुरुओ मासा, ता पच्छित्तस्स निन्हवणे।।१९० ।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक १९० मूल) २ एवमुक्तोदाहरणवत् प्रायेण बाहुल्येन जना लोका: कालानुभावाद् वर्तमानकालसामर्थ्यादिहापि जैने मते सर्वेऽपि साधवः Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy