SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૭૫ અર્થના જાણકાર નથી, તે તીર્થ નથી. ભલે લોક કે સંઘમાં અત્યંત માન્ય હોય, મહાપુણ્યશાળી હોય, અનેક શિષ્યોના ગુરુ હોય પણ સૂત્રાર્થના જ્ઞાતા ન હોય તો તે તીર્થ નથી. માર્ગદર્શક ગુરુ અને ગુણિયલ ગુરુ : તમને ગુરુતત્ત્વમાં માર્ગદર્શક ગુરુ અને સામાન્ય ગુરુ વચ્ચેનો તફાવત ખબર નથી. આ શાસનમાં પંચમહાવ્રત પાળનારા, પવિત્ર જીવન જીવનારા, પ્રભુશાસનને શ્રદ્ધાથી સમર્પિત હોય તે સર્વ સાધુઓ સામાન્ય ગુરુ તરીકે વંદનીય-પૂજનીય-ભક્તિપાત્ર છે, પણ તે વ્યક્તિગત તીર્થસ્વરૂપ નથી અર્થાતુ તેમના ચરણ પકડીને અનુશાસનથી તરી ન શકીએ. સજ્જન ડૉક્ટર પણ અજ્ઞાનથી દવાનું ખોટું prescription-ઇલાજ લખી આપે તો દર્દી અવશ્ય મરે, તેમ સંયમી પવિત્ર ગુરુ પણ વીતરાગની વાણીના મર્મજ્ઞ ન હોય, સૂત્રાર્થના જ્ઞાતા ન હોય, વર્તમાન શ્રતના રહસ્યને પામ્યા ન હોય તો તેમનામાં યથાર્થ માર્ગદર્શન આપવાની ક્ષમતા નથી. તેવા ગુરુ વંદનીય બની શકે પણ સમર્પિત થઈને ચરણ પકડવા લાયક તીર્થસ્વરૂપ ગુરુ તો ન જ બને. સભાઃ ગુરુ સૂત્રાર્થના જ્ઞાતા ન શોધીએ પરંતુ અમારું સમર્પણ બરાબર હોય તો તરીએ ? સાહેબજી શાસ્ત્ર ના પાડે છે, માર્ગદર્શક ગુરુ તો જ્ઞાની-ગીતાર્થ જ જોઈએ. આગમમાં સેંકડો વિધાનો છે. ઠેર ઠેર લખ્યું કે તીર્થકરોના શાસનમાં તરવાના બે જ માર્ગ કહ્યા છે. (૧) કાં સ્વયં ગીતાર્થ બનો, (૨) કાં ગીતાર્થનું શરણું સ્વીકારો. તે સિવાય તરવાનો ત્રીજો માર્ગ નથી. આ સિવાયના માર્ગને તીર્થકરોએ સંમતિ આપી નથી. તમારે તો અત્યારે શરણું જોઈતું જ નથી, અનુશાસનની કોઈ આવશ્યકતા જ નથી, તેથી નિરાંતે પગ લાંબા કરીને બેઠા છો. તમને આ સંસાર ટહેલવા યોગ્ય બગીચા જેવો લાગે છે. હજુ આનાથી ગભરાયામૂંઝાયા નથી. તીર્થસ્વરૂપ તારક ગુરુ વિના ડૂબી મરશો એવું લાગતું નથી. શાસ્ત્રો ગીતાર્થ ગુરુની શોધ કરવા સાડા બાર વર્ષ જેટલી લાંબી અવધિ દર્શાવે છે. જેનામાં જાતે તરવાની ક્ષમતા નથી તેને માર્ગદર્શક ગુરુ અવશ્ય જોઈશે જ, સાચા માર્ગદર્શક ગુરુ તીર્થસ્વરૂપ જ હોય. જેને શ્રુતના આધારે સ્વયં સાંગોપાંગ માર્ગ દેખાતો નથી તે કદી બીજાને તારી ન શકે. સ્વજીવનમાં પવિત્રતા ગમે તેટલી હોય પણ તે તારકતા ગુણની તોલે ન આવે. સાર એ છે કે જેમની પાસે શાસ્ત્રનું સમ્યગું જ્ઞાન નથી, તેવા પવિત્ર ગુણિયલ ગુરુ પણ તારી નહીં શકે. તમને માર્ગદર્શક શબ્દનો અર્થ ખબર નથી. તમે માનો છો કે કોઈ પણ મહાત્મા તમને દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ-તપ-ત્યાગ-સંયમભક્તિ વગેરેમાં જોડે, અને તમે જોડાઈ જાઓ, એટલે તમે માનો કે આ મહાત્માએ મને ધર્મમાર્ગમાં જોડ્યો, તાર્યો. પણ શાસ્ત્ર કહે છે કે તેમણે તેમને માત્ર કુલાચારમાં જોડ્યા. આવા પવિત્ર મહાત્માથી પણ જૈનશાસન નહીં પામી શકાય. તે પામવા તો પ્રભુએ કહેલું તત્ત્વ તમારા અંતરને આરપાર સ્પર્શી જાય તેમ બનવું જોઈએ, જે માર્ગદર્શક ગુરુ જ કરી શકે, અને તે તો સૂત્રાર્થના જ્ઞાતા હોય જ. સૂત્રાર્થના જ્ઞાતા ન હોય અને બીજાના अमूढानां तथाविधापरिग्रहणाद्, 'अविनिश्चितश्च' अज्ञाततत्त्वश्च ‘समये' सिद्धान्ते तथा तथाऽसौ वस्तुस्थित्या 'सिद्धान्तप्रत्यनीकः' सिद्धान्तविनाशकः, तल्लाघवापादनादिति गाथार्थः।।९४७।। (पंचवस्तुक श्लोक ९४७ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy