________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૭૧ આવું બને. મુખ્યપણે તેમાં તથાભવ્યત્વ જ કારણ છે. આ અચ્છેરું નથી પણ અચ્છેરાતુલ્ય છે. છતાં મરુદેવામાતાની મોક્ષપ્રાપ્તિમાં પણ કાળ, ભવિતવ્યતા, પુરુષાર્થ આદિ પાંચ કારણોનો સમવાય અવશ્ય છે, માત્ર તેમની સાધના નિસર્ગથી છે. કલ્યાણના માર્ગે ચઢનારા જીવો બે પ્રકારે છે. (૧) નિસર્ગથી અને (૨)
અધિગમથી. અધિગમ એટલે બાહ્ય સાધન-સામગ્રી, નિમિત્ત, આલંબનોથી વિકાસ પ્રાપ્તિ. સમકિત પણ નિસર્ગથી પામનારા અલ્પ હોય છે, અધિગમથી પામનારા અધિક હોય છે, જ્યારે મરુદેવામાતા તો નિસર્ગથી છેક સમકિત, ચારિત્ર, સમતા અને કેવલજ્ઞાન સુધી પહોંચ્યાં છે. આવા અતીર્થસિદ્ધ આદિ જીવોને તીર્થનું આલંબન ન હોય. તે સિવાયના સર્વ સાધકો તીર્થની સહાયથી જ તરે છે. તેવા પાત્ર જીવોને તારવા તીર્થકરો ગણધરરૂપ તીર્થ સ્થાપિત કરે છે.
દેશનાદાનમાં ગણધરોની કેવલતુલ્યતા :
ગણધરો એ વ્યક્તિરૂપે સ્વયં તીર્થ છે. જે કોઈને તરવાની ઇચ્છા હોય અને સહાયની જરૂર હોય તેઓ ગણધરોને શરણે ચાલ્યા જાય, તેમનું અનુશાસન સ્વીકારે એટલે અવશ્ય ભવસાગરથી તરી જાય. જે આરોગ્યશાસ્ત્રમાં નિષ્ણાત હોય, રોગનું નિદાન અને ચિકિત્સા પદ્ધતિમાં નિપુણ હોય તેવા ચિકિત્સકનું જે દર્દી શરણું સ્વીકારે, તેની હિતકારી સલાહ મુજબ ઔષધ કરે તે અવશ્ય નીરોગી થાય જ. તેમ જે વ્યક્તિ આત્માના સર્વ ભાવરોગના નિવારણના ઉપાયો જાણે છે અને સમર્પિત થનાર પાસેથી તેના અમલીકરણની ક્ષમતા ધરાવે છે, તેવાનું શરણ સ્વીકારનાર ભાવદર્દી પણ સંસારસાગરથી અવશ્ય કરે છે. તેથી તે શરણદાતા વ્યક્તિ જીવંત તીર્થ જ ગણાય. ગણધરો અપૂર્ણ જ્ઞાની છબસ્થ છે, પૂર્ણ જ્ઞાની ભાવ તીર્થકરો છે; કેમ કે તેમની પાસે કેવલજ્ઞાન છે. છતાં 'કેવલજ્ઞાનથી જાણેલી પણ સર્વ વાતો, તીર્થકરો પણ વાણી દ્વારા કહી શકતા નથી. વિશ્વમાં જ્ઞાન અગાધ છે, પરંતુ વાણીની શક્તિની મર્યાદા છે. તેથી તીર્થકરો પણ પોતાના અનંત જ્ઞાનના એક અંશને જ વાણી દ્વારા વ્યક્ત કરે છે. છતાં તેમણે વાણી દ્વારા વ્યક્ત કરેલું તત્ત્વ, સમગ્રતાથી દોહન કરીને ઉત્કટપણે પાન કરનારા ગણધરો જ છે. તેથી ગણધરો પાસે શબ્દશાસ્ત્રથી અભિવ્યક્ત કરાતું ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આ કારણસર જ છબસ્થ ગણધરો પણ વાણી દ્વારા પરહિત કરવામાં પૂર્ણ જ્ઞાની કરતાં જરાપણ ઊણપ ધરાવતા નથી. તીર્થ બનવા માટે અનુશાસન વાણીથી જ આપવાનું હોય છે. તમે ઉત્કૃષ્ટ તારકનું શરણ
१ पणवणिज्जाभावा, अणंतभागो उ अणभिलप्पाणं। पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुअनिबद्धो।।१४१।। ।
(ज्ञानार्णव श्लोक ३४ टीका) २ व्याख्या-सङ्ख्यातीतानपि भवान्, असङ्ख्येयानित्यर्थः, किं?-'साहइत्ति देशीवचनतः कथयति, एतदुक्तं भवति असङ्ख्येयभवेषु यदभवद्भविष्यति वा, यद्वा वस्तुजातं परस्तु पृच्छेत् तत्सर्वं कथयतीति, अनेनाशेषाभिलाप्यपदार्थप्रतिपादनशक्तिमाह, किं बहुना?-'न च' नैव, णमिति वाक्यालङ्कारे, 'अणाइसेसित्ति अनतिशयी अवध्याद्यतिशयरहित इत्यर्थः, विजानाति यथा एष गणधरछद्मस्थ इति, अशेषप्रश्नोत्तरप्रदानसमर्थत्वात्तस्येति गाथार्थः ।।५९०।।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ५९० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org