SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સમવસરણમાં ગણધરોની આજુબાજુ ગૌણ વ્યક્તિ તરીકે બેસે છે, અને મુખ્ય નાયક તરીકે ગણધરો બિરાજમાન થાય છે. જે સમગ્ર શાસન સંભાળે તેનું જાહેરમાં એટલું માન તો અવશ્ય હોય જ. તેથી કેવલી ભગવંતો પણ ગણધર ભગવંતોનું ઉચિત વ્યવહાર તરીકે ગૌરવ જાળવે છે. તેઓ જાણે છે કે આ ગણધર ભગવંતો જ તીર્થ છે, આ જ શાસનની ધુરા વહન કરે છે, આ જ પાટવી કુંવર છે. ગણધરનામકર્મ એ રૂપ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યના વિપાકનો આ પ્રભાવ છે. તીર્થકરોની જેમ ગણધરોને પણ વ્યક્તિત્વરૂપે ઓળખવા જેવા છે, તેમના ગુણ ગાઈએ એટલા ઓછા છે. સભા : ગણધરોમાં પરસ્પર જવાબદારીનો તફાવત હોય ? સાહેબજી હા, જીવંત તીર્થસ્વરૂપ સર્વ ગણધરો શાસનના સર્વાધિકારયુક્ત છે, છતાં જેનો વંશ ચાલે તેને પરંપરાએ વિશેષ જવાબદારી આવે. જેમ પ્રભુ મહાવીરના સર્વ ગણધરોમાં સુધર્માસ્વામીનો વંશ ચાલ્યો, તેથી તેમના પર સંચાલન અને અવિચ્છિન્ન પરંપરા બંનેની જવાબદારી આવી. તીર્થંકરની ગેરહાજરીમાં સમવસરણમાં દેશનાની જવાબદારી પણ ક્રમ પ્રમાણે આવેછતાં જે કોઈ એમનું ભાવથી શરણું સ્વીકારે, સમર્પિત થઈને પગ પકડી લે તેને અવશ્ય તારવાનું સામર્થ્ય જીવંત તીર્થસ્વરૂપ સૌ ગણધરોમાં છે જ. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવાWor, Joj UJoj Agro Jyoj ||| (+મતિત પ્રy૨To ઋો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવોને તરવા માટે એક ધર્મતીર્થ જ અનન્ય સહાયક : ભાવતીર્થંકરો સ્વયં સાધના કરી, સર્વ ઘાતિકર્મોનો ક્ષય કરી, પૂર્ણ જ્ઞાન પામી ભવસમુદ્રને છેડે પહોંચેલા છે. તેમને પોતાને મોક્ષે જવા કોઈ તીર્થની જરૂર જ નથી. માત્ર પૂર્વભવોમાં સંચિત કરેલું તીર્થકર નામકર્મરૂપી શ્રેષ્ઠ પુણ્ય તેમની પાસેથી તેઓ જગદુદ્ધારક બને તેવી તીર્થસ્થાપનાની પ્રવૃત્તિ કરાવે છે. વળી, જે જીવો આ ભવસમુદ્રથી મૂંઝાયેલા છે, ગભરાયેલા છે, તેથી જેમના અંતઃકરણમાં સંસારના પારને પામવાનો મુમુક્ષુભાવ છે, છતાં શક્તિથી નબળા છે, સહાય કે આલંબન વગર આપમેળે તરી શકે તેવા નથી, તે સૌને સહાયરૂપે તારક તીર્થની જરૂર પડે છે. તીર્થ વગર તરનારા જીવો જવલ્લે જ મળે છે. તીર્થકરો જોકે અંતિમ ભવમાં તીર્થની સહાય વગર તરે છે, છતાં આગલા ભવોમાં તો તેમણે પણ તીર્થની સહાય લીધી જ હોય છે. મરુદેવામાતા જેવા તરનારા જીવો તો કોઈક જ નીકળે કે જેમણે આ ભવ કે પૂર્વભવમાં આલંબનરૂપે, સહાયરૂપે કે નિમિત્તરૂપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy