________________
૧૬૮
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ હાજર થઈ જાય. ઋષભદેવ ભગવાનને પ્રથમ દિવસે જ ૮૪ ગણધરો થયા. તેમનું કુટુંબ, વંશ જ રત્નની ખાણ હતો. એવો વંશ, એવું કુટુંબ ભાગ્યે જ હોય. તેમનાં સર્વ સંતાનો મોક્ષે ગયાં છે. અરે ! તેમના વંશમાં અસંખ્ય પેઢી સુધી રાજા-મહારાજાઓ મોક્ષે ગયા છે. આઠ પેઢી સુધી તો રાજાઓ સતત આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા છે.
ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર, શ્રુતકેવલી એવા ગણધરોમાં પણ પરસ્પર વાચનાશક્તિ સમાન ન પણ હોય.'પ્રભુ મહાવીરના ગણધરોની વાચનાશક્તિનો તફાવત કલ્પસૂત્રમાં પણ ઉલ્લેખિત છે. ગણધરોમાં પરસ્પરની લબ્ધિ અને પુણ્યમાં તફાવત હોઈ શકે છે. ગૌતમસ્વામીને અનંતલબ્લિનિધાન કહીએ છીએ. પ્રભુ વીરના અન્ય ગણધરો કરતાં તેમની પુણ્યપ્રકૃતિ, સૌભાગ્ય આદિ વિશેષ છે. છતાં સર્વ ગણધરો અનેક લબ્ધિઓના પણ અવશ્ય સ્વામી હોય જ. કોઈ પણ ગણધરને આ એક ટેબલમાંથી હજાર ટેબલ પ્રગટાવવાનું કહો કે હજાર ટેબલને એક ટેબલમાં સંક્રાંત કરવાનું કહો તો સરળતાથી કરી આપે. આવી તો અગણિત શક્તિઓ તેમનામાં હોય. સર્વ ગણધરો ઉત્કૃષ્ટ શ્રુતકેવલી છે, મામૂલી વ્યક્તિ નથી. તીર્થંકરો કરતાં ન્યૂન છતાં ગણધરોની વાણી પણ અતિશયવંત જ હોય છે. તેથી તીર્થકરોની પ્રથમ પ્રહરની સુમધુર દેશનાના વિરામ અવસરે, તીર્થકરોની જ પર્ષદામાં, ગણધરો બીજો એક પ્રહર દેશના આપે છે; જે શ્રોતાઓ ઉદ્વિગ્ન થયા વિના રસપૂર્વક સાંભળે છે. ત્યારે સમવસરણમાં કેવલી ભગવંતો પણ હાજર છે, છતાં દેશના ગણધર જ આપે છે. કેવલજ્ઞાનીની અપેક્ષાએ ગણધરોનું જ્ઞાન બિંદુ જેટલું છે, ગણધરોના આત્મામાં હજુ અસંતું અજ્ઞાન છે, અજ્ઞાન કરતાં જ્ઞાન અતિ અલ્પ છે, છતાં પૂર્ણ જ્ઞાની કેવલી દેશના ન આપે, જ્યારે મધ્ય સ્થાન પર બિરાજમાન થઈને છમસ્થ ગણધરો કેવલી સમક્ષ પર્ષદાને દેશના આપે.
સભા કેવલી ભગવંત દેશના સાંભળે ?
સાહેબજી : હા, તેમના કાનને વાણીરૂપ દેશના સંભળાય, પણ તેમને દેશનામાંથી કશું જાણવાનું નથી; કારણ કે તેઓ સ્વયં સર્વજ્ઞ છે. તેથી તત્ત્વથી તેઓ શ્રોતા નથી, છતાં શાસનના ઉચિત વ્યવહાર તરીકે
१ समणस्स भगवओ महावीरस्स जिढे इंदभूई अणगारे गोयमसगुत्तेणं पंच समणसयाई वाएइ ५०० मज्झिमे अग्गिभूई अणगारे पंच समणसयाई वाएइ ५०० कणीअसे वाउभूई अणगारे गोयमसगुत्तेणं पंच समणसयाई वाएइ ५०० थेरे अज्जवियत्ते भारद्दाए गुत्तेणं पंच समणसयाइं वाएइ ५०० थेरे अज्जसुहम्मे अग्गिवेसायणगुत्तेणं पंच समणसयाइं वाएइ ५०० थेरे मंडिअपुत्ते वासिढे गुत्तेणं अद्भुट्ठाइं समणसयाई वाएइ थेरे मोरिअपुत्ते कासवगुत्तेणं अद्भुट्ठाइं समणसयाइं वाएइ ३५० थेरे अकंपिए गोयमसगुत्तेणं थेरे अयलभाया हारिआयणे गुत्तेणं ते दुनिऽवि थेरा तिण्णि तिण्णि समणसयाई वाएंति ३०० थेरे मेअज्जे थेरे पभासे एए दुन्निवि थेरा कोडिन्नागुत्तेणं तिण्णि तिण्णि समणसयाई वाएंति ३०० ।
પુત્ર અષ્ટમ ચાહ્યાન પ્રામ) २ गणधरैर्भगवच्छिष्यैः, न तु स्वयं गृहीतलिङ्गः, अतिशयवद्भिर्घटात्घटसहस्रनिर्माणाधुपलक्षितविशिष्टशक्त्युपेतैः,
(તત્ત્વાર્થસૂત્ર વ્યારા-૩. યશોવિજયની) 3 केवलिन: 'त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिनं' तीर्थकर तीर्थप्रणामं च कृत्वा मार्गतः 'तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ५५९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org