SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૭૭ દે. ગણધરસ્વરૂપ જીવંત તીર્થ તે સૌને અનુશાસન આપી ઘડતર કરીને તારે. તીર્થંકરોની હાજરીમાં પણ શ્રીસંઘનું સમગ્ર સંચાલન ગણધરો જ કરે છે. સભા : બધા તીર્થંકરોની ત્રિપદી સરખી હોય ? સાહેબજી : હા, નવકાર શાશ્વત છે, તેમ ત્રિપદી પણ શાશ્વત છે. સભા : સર્વ તીર્થંકરોના સર્વ ગણધરો જીવંત તીર્થ હોય ? સાહેબજી : હા, તમામ તીર્થંકરોના ગણધરો આવા સક્ષમ જ હોય. જોકે બધા તીર્થંકરોના ગણધરોની સંખ્યા સરખી નથી હોતી. ઋષભદેવપ્રભુના ૮૪ ગણધરો છે, જ્યારે મહાવીરપ્રભુના ૧૧ ગણધરો છે. ઋષભદેવના ચોરાશીએ ચોરાશી ગણધરો, લાખોને ભવસાગરથી પાર પમાડવાના સામર્થ્યયુક્ત જીવંત તીર્થ જ હતા. સભા : ગણધરોએ જે ધર્મ બતાવ્યો તે ધર્મ તીર્થ છે ? સાહેબજી : ના, ૧ ગણધરો પોતે જ જીવંત તીર્થ છે; કારણ કે તેઓ અનુશાસનથી સર્વને તારનારા છે. તમારી બુદ્ધિ સદેહ જીવંત તત્ત્વને પકડવા ટેવાયેલી જ નથી. ૨ ગણધરો સ્વયં સાક્ષાત્ ધર્માવતાર છે. ધર્મને આ જગતમાં જન્મ લેવાનું મન થાય અને સદેહે જન્મ લે, તો તે સાક્ષાત્ ગણધરતુલ્ય વ્યક્તિત્વ બને. જીવંત ધર્મ કેવો હોય તે જોવું હોય તો ગણધરોને જોઈને કહી શકાય કે આ જ સાક્ષાત્ ધર્મ. તમે ક્ષમાને ધર્મ કહો છો, પણ ક્ષમા શબ્દ તો જડ છે અને તેનાથી વાચ્ય ક્ષમારૂપ ભાવ જગતમાં ક્યાંય અદ્ધર રહેતો નથી, પરંતુ વ્યક્તિમાં રહે છે. તેથી જે વ્યક્તિ સ્વયં ક્ષમાનો ભંડાર છે તે વ્યક્તિ જ સ્વયં ક્ષમાધર્મ છે; કેમ કે અપેક્ષાએ ગુણથી ગુણી જુદા નથી, એકમેકરૂપ છે. સારાંશ એ છે કે ૐ ધર્મસ્વરૂપ સર્વ જીવંત ગુણોના ભંડાર ગણધરો જ ધર્મતીર્થ છે. ગણધરો તીર્થંકરોની હાજરીમાં શાસનની ધુરાને વહન કરનારા વૃષભતુલ્ય છે. જેમ ગાડાનો સમગ્ર ભાર ધૂંસરી દ્વારા વૃષભ વહન કરે છે, તેમ મહાવૃષભ તુલ્ય ગણધરો દીક્ષાના પ્રથમ દિવસથી જ તીર્થંકરોના શાસનની સમગ્ર જવાબદારી માથે લે છે. ભગવાન તો ઉપદેશ આપી આપીને લાયક જીવોને શાસનમાં-સંઘમાં ગોઠવતા જાય, ત્યારબાદ સારણા-વારણા-શિક્ષા ગણધરો અદા કરે. સભા : એક જ દિવસે બધા ગણધરો મળી જાય ? સાહેબજી : હા, તે જ તીર્થંકરોનું અજોડ પુણ્ય છે કે તેમને અદ્વિતીય પટ્ટધર શિષ્યોની પૂરી હારમાળા તત્કાલ પ્રાપ્ત થાય, કરોડોમાં વીણો તો એક ન મળે તેવા ઉત્તમ પુરુષો એક જ દિવસમાં સમર્પિત શિષ્ય તરીકે ૧ તીર્થમિતિ-ાપરો દેશનાં રોતીતિ ... (आवश्यकसूत्र निर्युक्ति एवं भाष्य श्लोक ५४३ टीका) ★.. तीर्थमिह गणधरस्तस्य धर्म:- आचारः श्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः यदिवा तीर्थं प्रवचनं श्रुतमित्यर्थस्तद्धर्मः-स्वाध्यायः.. (उत्तराध्ययनसूत्र सम्यक्त्वपराक्रम अध्ययन श्लोक ५०९ पद १९ शांतिसूरि टीका) (નીતિવાવવામૃત ૨-૫) (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८२ टीका) ... ૨ धर्मसमवायिनः कार्यसमवायिनश्च पुरुषास्तीर्थम् ।। 3 अनुत्तरज्ञाऩदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy