________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૬૫ ભાવના કરેલી, જેના પ્રભાવે ગણધરનામકર્મ બાંધ્યું છે. ગણધરોના આત્માએ ભૂતકાળમાં, આખા દેશને અથવા સમગ્ર નગરને કે આજુબાજુના વિસ્તારને કે પોતાની સમગ્ર જ્ઞાતિને કે પરિવારને ‘શુદ્ધ ધર્મ પમાડી તારું’ એવી કામના, ઉત્કટ શુભ ભાવના અવશ્ય કરેલી. આવા ભાવોથી ગણધરનામકર્મ બંધાય. તીર્થકરોની પરોપકારની ભાવના અમર્યાદિત હોય છે. તેમાં સામારૂપે કોઈ જીવની બાદબાકી નથી. અરે ! ભવિઅભવિનો પણ કોઈ ભેદ નહીં, તેવો “સવિ જીવ કરું શાસનરસી”નો પરિણામ છે; જ્યારે ગણધરોની પરોપકારની ભાવના મર્યાદિત છે. છતાં માત્ર હું પામું, હું તરું, તેમ નહીં, પરંતુ પોતે જે અપૂર્વ મોક્ષમાર્ગ પામ્યા છે, જેનો આસ્વાદ પોતે માણ્યો છે તે અનેકને પમાડું, તે ખાતર જે બલિદાન આપવું પડે તે આપું, એવી નક્કર હૃદયપૂર્વકની શુભ ભાવના તેમને હોય છે, અને તે ગણધરનામકર્મના સંચયનો ઉપાય છે.
તીર્થકરો કે ગણધરોને પૂર્વભવોમાં પોતે મોક્ષમાર્ગ પામ્યા પછી બીજાને પમાડવાનો જે ભાવ થાય છે, તે હૃદયપૂર્વકનો ગણાય; જ્યારે તમને પામ્યા વગર બીજાને પમાડવાનો જે ભાવ થાય છે, તે ઘેલછા છે. સ્વયં મોક્ષમાર્ગ પામ્યા વિના બીજાને પમાડવાની ભાવનામાં કોઈ નક્કર તથ્ય નથી. સાધુને પણ સ્વયં પામવાના બદલે બીજાને ઉપદેશ આપવામાં જ રસ હોય, તો તેવા ઉપદેશક સાધુને શાસ્ત્ર “પાઠ ભજવનાર નાટકિયો' કહે છે. પુણ્યબંધ માટે અંતરમાં સમ્યફ શુભ ભાવના જોઈએ. તેમાં પણ આ તો નિરવઘ પુણ્યાનુબંધી પુણ્યના શ્રેષ્ઠ પ્રકારો છે. તીર્થકર નામકર્મ એ સર્વ શ્રેષ્ઠ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિ છે. તેના પછી દ્વિતીય ક્રમમાં આ જગતમાં ગણધરનામકર્મ એ કક્ષામાં આવે છે. તીર્થકર નામકર્મ તો અલૌકિક જ છે, પરંતુ ગણધરનામકર્મ પણ મામલી નથી. તે બાંધનાર પણ કોઈ વિરલા જ નીકળે. તીર્થંકરનામકર્મના ઉદયથી જેમ જગદદ્ધારની શક્તિ મળે છે, તેમ ગણધરનામકર્મના વિપાકથી શીધ્રપણે સકલ શ્રીસંઘને તારવાની શક્તિ મળે છે. વળી આ પુણ્યના સ્વામી ગણધરોને ગુરુ તરીકે પૂર્ણ જ્ઞાની તીર્થકરો જ મળે છે. વળી તેમના ગુરુ બીજા કોઈ થઈ પણ ન શકે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ સચવાય, તેમ આવા અપૂર્વ પ્રતિભાસંપન્ન શિષ્યોના ગુરુ તીર્થકરો જ બની શકે. ગણધરો અંતિમ ભવમાં જન્મથી મહાપ્રતિભાસંપન્ન અને મહાપ્રજ્ઞાસંપન્ન હોય છે. ધર્મ પામવાની ઉત્તમ લાયકાત પણ ધરાવતા હોય છે. તેથી એક જ દેશનામાં પ્રતિબોધ પામી, વિરક્ત થઈ સર્વવિરતિ સ્વીકારે છે. ઉપરાંત બીજબુદ્ધિના સ્વામી હોવાથી, જિજ્ઞાસા દ્વારા તીર્થકરોના મુખે માત્ર સારભૂત ત્રણ પદો સાંભળીને સર્વશાસ્ત્ર અને સર્વ તત્ત્વનો બોધ પામે છે. બીજબુદ્ધિ એટલે એક વાક્યમાંથી કરોડ નહીં પણ
★ यस्तु स्वजनादिगतं ध्यायत्येवं तथाऽनुतिष्ठति च। सावधिकपरार्थरतः स तु धीमान् गणधरो भवति।।२१।।
(बंधहेतुभङ्गप्रकरणम् बंधहेतुना विवरण विषयक श्लोक २१) १ उत्तमाः प्रधाना अतिशयाः प्रसादादयो वाग्वाणी बुद्धिश्च बीजकोष्ठादिका ताभिः संपन्नैरन्वितैः,
(તત્ત્વાર્થસૂત્ર વ્યારા-૩૫ા. યશોવિનયન) २ बीजबुद्धित्वं स्वल्पमपि दर्शितं वस्तु अनेकप्रकारेण गमयति। तद्यथा-पदेन प्रदर्शितेन प्रकरणेनोद्देशकादिना सर्वमर्थं ग्रन्थं વાનુધાતા
(તત્ત્વાર્થમાષ્યવૃત્તિ-સિદ્ધસેન મળી ૨૦-૭, પૃ. ૩૨૭) * अङ्गप्रविष्टमाचारादिद्वादशमेदं बुद्ध्यतिशयद्धियुक्तगणधरानुस्मृतग्रन्थरचनम्।।१२।। भगवदर्हत्सर्वज्ञ-हिमवनिर्गतवाग्गङ्गाऽर्थविमलसलिलप्रक्षालितान्त-करणैः बुद्ध्यतिशयर्द्धियुक्तैर्गणधरैरनुस्मृतग्रन्थरचनम् आचारादिद्वादशविधमङ्गप्रविष्टमित्युच्यते।
(તસ્વાર્થવર્તિ -૨૦, પૃ.૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org