________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૪૭ બાળીને રાખ કરવાનું સામર્થ્ય ધરાવે છે. 'માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાં સહેલાં છે, પણ એક કલાક નિશ્ચલ ધ્યાનમાં રહેવું તે મહાકઠણ છે. આ વાત તમને બેસે કે ન બેસે પણ શાસ્ત્રીય સત્ય છે. ધ્યાન કરનાર સાધુ બહારથી સંપૂર્ણ નિષ્ક્રિય લાગે. દા.ત. ભગવાન મહાવીર તેમના સાધનાકાળમાં ચાર ચાર મહિના કાઉસગ્ગ મુદ્રામાં સળંગ ધ્યાન કે અનુપ્રેક્ષા અવસ્થામાં રહ્યા છે. જોનારને થાય કે આ કશું કરતા નથી, ખાલી થાંભલા કે ઠુંઠાની જેમ ઊભા છે, પણ અંદર પ્રચંડ પુરુષાર્થ ચાલે. એક ક્ષણનો પણ પ્રમાદ નહીં. મન-વચનકાયાની અંશમાત્ર શક્તિ idle-નિષ્ક્રિય નથી. ૧૦૦ % active-સક્રિય છે. અત્યારે તમારા મન-વચનકાયાની કુલ શક્તિઓમાંથી mostly wastage, misuse કે idle-મોટે ભાગે બગાડ, દુરુપયોગ કે નિષ્ક્રિય પડી રહી છે. તમે તમારી શક્તિઓ વિકારોની પૂર્તિ માટે વાપરો તે દુરુપયોગ છે. ભૌતિક દૃષ્ટિએ પણ અર્થ વગરની પ્રવૃત્તિઓમાં રોકો તે wastage-બગાડ છે. પ્રમાદથી પડ્યા રહો, તે શક્તિઓને નિષ્ક્રિય-ગુમાવવા બરાબર છે. સંસારી જીવોની શક્તિઓની પ્રાયઃ આ ત્રણ જ ગતિ છે. જ્યારે પ્રભુ તો એક ક્ષણ પણ મનવચન-કાયાની શક્તિ spare-ફાજલ પણ નથી રાખતા, wastage-બગાડ પણ નથી કરતા અને misuseદુરુપયોગ પણ નથી કરતા. સર્વપુરુષાર્થથી આગળ ધપી રહ્યા છે. એનું જ નામ અપ્રમત્તદશા છે.
સભા : વચનનો ધ્યાનમાં ઉપયોગ કેવી રીતે ?
સાહેબજીઃ ધ્યાનકાળે પણ આંતરજલ્પ ચાલુ જ છે. હોઠ ફફડાવીને મોઢેથી બોલો તો જ વચનયોગનો ઉપયોગ તેવું નથી. તમે મનમાં કોઈ પણ વિચાર કરો ત્યારે તેનો પણ એક અંદરમાં શબ્દદેહ હોય છે; કેમ કે અંદર પણ પ્રાયઃ અત્યંત પરિચિત ભાષાના (માતૃભાષાના) અવલંબનથી જ વિચારતા હો છો. અત્યારે જેટલા પણ મનના સ્પષ્ટ વિચારો છે તે બધા શબ્દદેહ સહિત જ છે. તેથી અંતરજલ્પરૂપે વચનયોગ પણ પ્રવર્તે જ છે. અરે ! ક્ષપકશ્રેણીમાં પણ શાસ્ત્ર વચનયોગ સ્વીકાર્યો છે.
સભા : દ્રવ્યધ્યાનની શરૂઆત ક્યાંથી થાય ?
સાહેબજી : હિતકારી દ્રવ્યધ્યાન પહેલા ગુણસ્થાનકથી પણ પ્રારંભ થઈ શકે. ભાવધ્યાન તો ઉપરના ગુણસ્થાનકોમાં આવે. અરે ! શાસ્ત્રો કહે છે કે પહેલા ગુણસ્થાનકે પણ એવા મહાત્મા હોઈ શકે કે તેમને ઊભાને ઊભા ચીરી નાંખો તો પણ મનમાં એક અશુભભાવ ન આવે.
પ્રસ્તુત ધર્મતીર્થથી પાર પામનારને આ દુષ્કર ધ્યાનમાર્ગમાંથી અવશ્ય આરપાર પસાર થવું પડે. સ્થિર ધર્મધ્યાન વિના સમતા નહીં, સમતા વિના શુક્લધ્યાન નહીં, શુક્લધ્યાન વિના વીતરાગતા નહીં, વીતરાગતા વિના કેવલજ્ઞાન નહીં અને કેવલજ્ઞાન વિના મોક્ષ નહીં. આ નિયત ક્રમ છે. તેથી આ શાસનમાં ઉત્તરણ પણ અતિ દુષ્કર છે.
१ अतः सर्वमनुष्ठानं, चेतःशुद्ध्यर्थमिष्यते। विशुद्धं च यदेकाग्रं, चित्तं ताद्ध्यानमुत्तमम्।।७२८ ।। तस्मात्सर्वस्य सारोऽस्य, द्वादशाङ्गस्य सुन्दर! । ध्यानयोगः परं शुद्धः, स हि साध्यो मुमुक्षुणा।।७२९ ।। शेषानुष्ठानमप्येवं, यत्तदङ्गतया स्थितम्। मूलोत्तरगुणाढ्यं तत्सर्वं सारमुदाहृतम्।।७३० ।।
(ઉપમિતિ, પ્રસ્તાવ ૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org