________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૪૫ તેમ તેમ જિનશાસન પ્રત્યે ગાઢ અનુરાગ થાય. તેના માટે શાસ્ત્રીય શબ્દ છે, તત્ત્વાભિનિવેશ. જેમ જેમ તત્ત્વ સમ્યગુ જાણે તેમ તેમ તત્ત્વનો અભિનિવેશ આવે. અહીં અભિનિવેશ એટલે કદાગ્રહ નહીં પણ સદાગ્રહ. ત્રણ કાળમાં આના સિવાય બીજું સત્ય હોઈ શકે જ નહીં, આવી તીવ્ર શ્રદ્ધાને કારણે શાસન પર અવિહડ રાગ થાય. આવા જીવને ગમે તે સંયોગો આવે તો પણ આ શાસનને મનથી છોડવું મુશ્કેલ છે. શાસનને સર્વાગ પરિશુદ્ધ સત્ય તરીકે ઓળખે, તેમાં ઓળઘોળ થઈ જાય, પછી માત્ર આ ભવ નહીં પણ ભવોભવ છોડવું શક્ય નથી. જન્મોજન્મ શાસન સાથે આવે.
સભા : સિદ્ધાંત ગમી જાય પણ જાણકાર ન હોય તો ?
સાહેબજી : જાણકારને જેવી શ્રદ્ધા થાય તેવી પ્રબળ શ્રદ્ધા તેને ન થાય. સમજપૂર્વકની શ્રદ્ધા જેટલી, સમજ વિનાની શ્રદ્ધા મજબૂત ન હોય. છતાં સારી વસ્તુ પર શ્રદ્ધા કરવામાં લાભ જ છે. તેથી સિદ્ધાંત ન જાણનારે શ્રદ્ધા છોડવાની જરૂર નથી. પુરુષાર્થ કરી સિદ્ધાંત જાણશો તો શ્રદ્ધા અતિશય દઢ થશે. તીવ્ર શ્રદ્ધાળુને નિર્ગમ દુષ્કર છે. તેથી શાસન છૂટી ન જાય.
જૈન ધર્મતીર્થ દ્વારા ભવસાગરથી ઉત્તરણ પણ દુષ્કર છે :
જિનેશ્વરોના ધર્મતીર્થ દ્વારા ભવસાગરથી ઉત્તરણ પણ દુષ્કર છે; કારણ કે પાર પામવા માટે અંતે ઉત્કૃષ્ટ અનુષ્ઠાન તરીકે ધ્યાનમાર્ગ જ બતાવ્યો છે. તમને આયંબિલ, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન આદિ અનુષ્ઠાન પણ અઘરાં-કઠણ લાગે છે, જે શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન કરતાં ઘણાં સરળ છે. જે અત્યારે આવાં સરળ અનુષ્ઠાન નથી કરી શકતા તે અઘરા અનુષ્ઠાનમાં કઈ રીતે પ્રવેશે ? શાસ્ત્રાનુસારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, અઘરામાં અઘરું, કઠિનમાં કઠિન ધ્યાન છે, જેને આજના જમાનાવાદીઓએ સહેલામાં સહેલું બનાવ્યું છે. તેઓ કહે છે કે ધ્યાન કરીએ એટલે ઉદ્ધાર થઈ જશે, પરંતુ બે ઘડી સામાયિકમાં જે સ્થિર નથી રહી શકતા, તે ધ્યાનમાં શું જઈ શકવાના? તેમનાથી ધ્યાન શક્ય છે ? સામાયિકમાં તો શુભ વિચારો રાખવાના, પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો અને સ્વાધ્યાય આદિ સારી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાનો છે; જ્યારે ધ્યાનમાં તો બાહ્ય ઇન્દ્રિયોને સંપૂર્ણ નિષ્ક્રિય બનાવી અંતરમાં એકધારો સતત ઉપયોગ, તીક્ષ્ણ ધ્યાનની ધારા ચલાવવાની છે. અરે ! દેહને કષ્ટ આવી પડે કે ઉપસર્ગ થાય, તો પણ અસર નથી લેવાની; ધ્યેયમાં નિશ્ચલતા એવી રાખવાની કે કોઈ નિમિત્ત કે વાતાવરણ અસર જ ન કરી શકે. ધ્યાનમાર્ગ સિદ્ધ કરવા મહાસાધકો પણ પ્રચંડ પુરુષાર્થ કરે છે. તીર્થકરો પણ ધ્યાનમાર્ગ પાર પામવા વર્ષોનાં વર્ષો સુધી અપ્રમત્ત થઈ સાધના કરે છે. શુક્લધ્યાનની વાત છોડો, ધર્મધ્યાન પણ બચ્ચાંના ખેલ નથી. શાસ્ત્રમાં ધર્મધ્યાન કરવા લાયક જીવના સોળ ગુણોનું વર્ણન કર્યું, તેમાં એક ગુણ એવો કહ્યો કે જે સાધક પોતાના શરીરથી પણ
१ तत्त्वाभिनिवेशो-निश्चितप्रामाण्यकं तत्त्वज्ञानं (षोडशक अगियारमुं, श्लोक ४ टीका उ. यशोविजयजी) २. दुःखेष्वनुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते।।६५ ।। ... शान्तो दान्तो भवेदीदृगाऽऽत्मारामतया स्थितः। सिद्धस्य हि स्वभावो यः, सैव साधकयोग्यता।।६८।।
(अध्यात्मसार ध्यानाधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org